
શિક્ષણ ક્ષેત્રે 35 વર્ષથી અને શાળા સંચાલનમાં છેલ્લા બે દાયકાઓથી સક્રિય મહેશભાઇ પટેલની નિયુક્તિને પગલે શાળા સંચાલકોના વર્ગમાં પણ રાહતની લાગણી
રાજ્ય સરકારે આજે શાળાઓ માટેની દક્ષિણ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં એક સભ્યના જવાથી ખાલી પડેલી જગ્યા પર સુરતના વિદ્યાકુંજ સંકુલના મહેશભાઇ પટેલની નિમણૂંક કરવાનું નોટિફિકેશન જારી કરતા સુરતના સંચાલક વર્ગમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. મહેશભાઇ પટેલ દાયકાઓથી શાળા સંચાલન ક્ષેત્રમાં કાર્યરત છે અને તેઓ મૃદુભાષી અને ટ્રબલ શૂટરની છાપ ધરાવે છે.
શાળાઓની ફી નિર્ધારણ માટે રાજ્ય સરકારે નિમેલી ફી રેગ્યુલેટરી કમિટીમાંથી ડો.કિશોરસિંહ ચાવડાએ રાજીનામું આપ્યા બાદ છેલ્લા ઘણાં મહિનાઓથી સુરતની એફ.આર.સી.માં એક સભ્યની બેઠક ખાલી પડી હતી. રાજ્ય સરકારે સાઉથ ઝોનની એફ.આર.સી.માં સુરતમાં વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર મહેશભાઇ વલ્લભભાઇ પટેલની નિમણૂંક કરતું નોટિફિકેશન જાહેર કર્યું છે. બી.એ.બી.એડ. તેમજ ફાઇન આર્ટસની ડિગ્રી ધરાવતા મહેશભાઇએ પોતાની કારકિર્દી એક શિક્ષક તરીકે શરૂ કરી હતી અને છેલ્લા વીસથી વધુ વર્ષથી તેઓ વિદ્યાકુંજ સંકુલના સંચાલન સાથે સંકળાયા હતા. સ્વભાવે ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મહેશભાઇ પટેલે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ભળીને અનેક લોકોપયોગી કાર્યો કર્યા છે. સરકારે તેમની કદર કરતા તેમને દક્ષિણ ઝોનની એફ.આર.સી.માં મૂક્યા છે
સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી જનજાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરત ખાતે દર વર્ષે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ૫૧૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. સમાજ તરફથી આગામી મહા વદ ૪ ને રવિવાર તા. ૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ૬૩માં સમૂહલગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભાગ લેવા માટે લગ્ન નોંધણીના ફોર્મ વિતરણ ૧૦૧/૧૦૨, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ, ખાતે શરૂ થઇ ચૂક્યું છે. તે સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વિવિધ વિકલ્પો સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતને આર્થિક વ્યવસ્થા તંત્રની સ્થિતિ જોતા આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યારેક જન સમાજ માટે નાણાકીય જાગૃતતા ખુબ જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખી બચત ની થીમ ઉપર સમગ્ર આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. શક્ય તેટલા ખોટા ખર્ચ બંધ કરી તે રકમની બચત થાય તે બાબત માં માહિતી સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. કરકસર સાથે બચત કરી સુખી અને સલામત જીવન જીવતા રોલ મોડલ પરિવારોનું સન્માન કરવામાં આવશે.
જે અન્ય માટે પ્રેરણા બનશે. સમૂહલગ્ન પ્રવૃત્તિ માં જોડાનારા પરિવારો ખર્ચ ઓછો કરી દીકરી ના નામે બચત કરે તે માટે પ્રોત્સાહન તથા સહાય આપવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા અને ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતુ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સાથે જરૂરી ૨૦૦ સેવા ભાવી સંસ્થા અને ૧૦૦૦ યુવાનો જોડાયેલા છે. તેઓ દ્વારા જેટલા ૨૦૦ થી વધુ સભાઓ કરી આર્થિક બચત માટે વ્યાપક જન જાગૃતિ નો પ્રયાસ કરી સમાજ ને દિશા આપવામાં આવે છે.
તાજેતર માં જ સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૦૦ કરોડ ના ખર્ચે હોસ્ટેલ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત થયું છે. તેનું બાંધકામ કાર્ય દિવાળી પછી તરત શરુ કરવામાં આવનાર છે. લોક સહયોગથી નિર્માણ થનાર આ સુવિધા ના માધ્યમથી જન સમાજ ના સુખાકારી માટે પ્રયાસ થશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા શ્રી કાન્તીભાઈ ભંડેરી અને હરિભાઈ કથીરીયા તથા ભવાનભાઈ નવાપરા તથા સમાજની યુવા ટીમ સમુહલગ્ન આયોજન ની તૈયારી માં લગ્ન થયા છે. વહેલા તે પહેલા ના ધોરણે ૧૫૧ યુગલો ની નોંધણી કરાશે. કોવીડ-૧૯ ની જે પરિસ્થિતિ હશે તે પ્રમાણે સમારોહ નું આયોજન થનાર છે.
બચત જાગૃતિ ના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કરિયાવર અને અન્ય વ્યવસ્થા ખર્ચમાં કાપ મૂકી રૂ. ૧૦૦૦૦ કન્યાને બચત સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. ઉપરાંત ગુજરાત સરકારશ્રી ની કુંવરબાઈ મામેરું યોજના માંથી રૂ. ૧૦૦૦૦ અને સાતફેરા સમુહલગ્નના યોજના માંથી રૂ. ૧૨૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. કન્યાને કુલ રૂપિયા ૩૦ હજાર મળવા પાત્ર છે.
સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલી વનિતાવિશ્રામ આર્ટ ગેલેરીમાં જાણીતા તબીબ અને કલાપ્રેમી ડો સમીર શાહ અને ડો રુજુલ શાહના કલાત્મક આર્ટ પેઇન્ટિંગનું “બિયોન્ડ ઇમેજિનેશન” પ્રદર્શન યોજાયું છે. ડો. સમીર શાહ છેલ્લા ચાળીસથી વધુ વર્ષોથી ચિત્રો દોરી રહ્યા છે. વ્યવસાયે તબીબ હોવા છતાં તેમનો આર્ટ પ્રત્યેનો અતૂટ નાતો જોવા જાણવો હોય તો તેમણે દોરેલા અને તેમની તબીબ દિકરી ડો. રુજુલે દોરેલા ચિત્રોની પ્રદર્શની અવશ્ય નિહાળવી પડે.

તા. 22મી ઓક્ટોબરથી રવિવાર તા. 24મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચિત્ર પ્રદર્શન મા ભાત ભાત ના વિષયો અને ભાવ (land scape, portrait, religion, pet love, philosophy, abstract, shlok, temple, surreal) આધારીત ચિત્ર ને પ્રદર્શિત કરવા મા આવ્યા છે. આ સુંદર પ્રદર્શન તેના નામ પ્રમાણે કલ્પનાતીત છે.

150 થી વધારે આકર્ષક ચિત્રો આ પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
સર્વ કલા પ્રેમી નાગરિકો ને આ પ્રદર્શન ની મુલાકાત લેવા ડૉ. સમીર શાહે જાહેર આમંત્રણ આપ્યુ છે. આવતીકાલે 24/10/2021 રવિવારે આ ફોટો પ્રદર્શન સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી નિહાળી શકાશે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ચોર્યાસી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ માટે આજનો દિવસ ભાવુક બની રહ્યો હતો. આજે તેમણે તેમના સ્વર્ગીય પિતા અને કાંઠા વિસ્તારના લોકનેતા સ્વ. રાજાભાઇ (ડુમસ)એ સેવેલું એક સ્વપ્ન સાકાર કર્યાનો આત્મસંતોષ મેળવ્યો હતો.

પોતાના પિતાએ સેવેલા સ્વપ્ન અંગે ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે મારી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મારા પિતાશ્રી સ્વર્ગીય રાજાભાઈ પટેલનું સ્વપ્ન હતું કે હજીરા ગામના 47 જેટલા નવયુવાનો કે જેઓ જે તે સમયે એસ્સાર સ્ટીલ કંપનીમાં હંગામી કર્મચારીઓ તરીકે કાર્યરત હતા જે આજે AM/NS (આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ) કંપનીમાં પણ કાર્યરત છે. હજીરા કાંઠા વિસ્તારના આ યુવાનોને કંપનીમાં તમામ મળવા પાત્ર લાભો સાથે નોકરીમાં કાયમી કરવામાં આવે એ સ્વપ્ન મારા પિતા સ્વ. રાજાભાઇએ જોયું હતું. જેને આજે તા.20મી ઓક્ટોબર 2021ના રોજ પૂર્ણ થતા મને આત્મસંતોષ છે કે મારા પિતાના લોકકાર્યોને પૂર્ણ કરવામાં હું નિમિત બની શકું છું.

આજે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના હસ્તે 23 જેટલા સ્થાનિક નવયુવાનો કે જેઓ એન્જીનિયરીંગ અને ડિપ્લોમા ડિગ્રી ધારકો ધરાવતા હતા તેમને કંપનીમાં કાયમી ધોરણે અને 24 જેટલા એન્જીનિયર્સને ટ્રેઇની તરીકે જોબ લેટર એનાયત કરવામાં આવ્યા હતા.


રોટરેક્ટ ડિસ્ટ્રિકટ 3060, જેમાં ૬૮ જેટલી ક્લબ આવેલી છે જેમની વાર્ષિક એવોર્ડ સેરેમનીનું આયોજન સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

રોટરેક્ટ ડિસ્ટ્રીક્ટ 3060ની એવોર્ડ સેરેમનીમાં રોટરેક્ટ ક્લબ સુરત ઈસ્ટને 6 એવોર્ડ સાથે છવાઇ ગયું હતું. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટને નીચે મુજબના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.






સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના પ્રેસિડેન્ટ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોર બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે તા.20મી ઓક્ટોબર 2021ને બુધવારની સવારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર. ૧૦ ( અડાજણ – પાલ – ઈચ્છાપોર ) નાં કોર્પોરેટર શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાનાં જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ સંપન્ન કરવામાં આવ્યો હતો.

સુરત મહાનગરપાલિકા વોર્ડ નં.10, અડાજણ, પાલ, ઇચ્છાપોરીયા વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલાના જનસંપર્ક કાર્યાલયનું સરનામું નીચે મુજબ છે.
1, અક્ષરધામ સોસાયટી, શિવાજી સર્કલ પાસે, ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ, અડાજણ, સુરત-5