કોરોના પોઝિટિવ પરિવારોને પણ મદદ મળી” લોક ડાઉન ના નિયમો હળવા થાય છે અને શહેરોમાં જન જીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ હજી પણ ગામડાંઓ ને કળ નથી વળી અને ત્યાં પરિસ્થિતિઓ ફરી નિયમિત થતાં થોડો સમય લાગશે.

માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓમાં ફરી ફરીને વાસ્તવિક વંચિતો સુધી રાશન કીટ પહોંચાડી
લગભગ ૨ મહિના ચાલેલા લોક ડાઉન ના સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અનેક રસોડાઓ અને ભોજન વ્યવસ્થાઓ જોવા મળી હતી પરંતુ અંતરિયાળ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં લોકો સુધી મદદ પહોંચાડવા માટે સુરતની શક્તિ ફાઉન્ડેશન સંસ્થા એ આગળ આવીને પહેલ કરી છે.
છેલ્લા નવ વર્ષોથી સુરત અને તાપી જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ૫૦૦૦ રાશન ની કીટ મેળવીને તેનું વિતરણ દ. ગુજરાત ના ગામડાઓમાં કરવામાં આવ્યું છે. જેમાં માંડવી, દેવગઢ, ઉચ્છલ નિઝર, ધરમપુર કપરાડા ના ગામડાઓનો સમાવેશ થાય છે.

આ બાબતે વાત કરતા શક્તિ ફાઉન્ડેશન ના સ્થાપક ડૉ સોનલ રોચાની એ જણાવ્યું કે, “અમે ઘણા સમયથી દ. ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાસ્થય, શિક્ષણ અને સ્વરોજગારી માટે કામ કરીએ છીએ. લોક ડાઉન નો તબક્કો ધાર્યા કરતા વધુ ચાલ્યો અને અમને અમારા આદિવાસી પરિવારોની ચિંતા થઈ. અમે એમના માટે અનાજ શાકભાજી સહિતની વ્યવસ્થા કરવાનુ વિચારી રહ્યા હતા તે દરમ્યાન અમને દિલ્હી થી ઝોમાટો કંપની માંથી ફોન આવ્યો કે તમને આદિવાસી પરિવારો માટે રાશન કીટ ની જરૂર હોય તો અમે મોકલી શકીએ છીએ. અમે ૫૦૦૦ પરિવારો માટે કીટ ની માંગણી કરી અને એક અઠવાડિયામાં અમને ૫૦૦૦ કીટ સુરત મોકલી આપવામાં આવી.

” પહેલા તબક્કા માં ધરમપુર – કપરાડામાં ૨૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ધરમપુર ગામ અને કપરાડાના ચાંદ વેંગણ વેરી ભવાડા, લિખવડ, શરવર તાતી, શિંગાર તાતી, બામન વાડા, વાડી જંગલ, મૂળ ગામ, ચિચ પાડા, પાયરી માળ, ગુંજવેરી, સેલ ટી માળ અને મોહ પાડા ગામોનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માં માંડવીના – દેવગઢ, ખડખુલી, આમલી, કોલ ખડી, આન્દ્રા વાડી ગામોમાં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

ત્રીજા તબક્કામાં ઉચ્છલ અને નિઝર ના નાની ભીલ ભવાલિ, મોટી ભીલ ભવાલિ, સયાજી ગામ, બોર ઠા, સીત પુર અને જામ તળાવ જેવા ગામો માં ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ચોથા તબક્કામાં સુરત ના વિવિધ હડપતિવાસ ના હળપતિ ઓ ને ૧૦૦૦ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગામોમાં અત્યંત ગરીબ, જરૂરતમંદ અને રોજ કમાઈને ખાતા કોટવાળીયા પરિવારોને ખાસ મદદ કરાઈ હતી. જેમાં વિધવા બહેનો, દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજ ટીબી જેવા રોગો થી પીડાતા અને કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા પરિવારો નો પણ સમાવેશ થાય છે. આ કીટ વિતરણમાં ગામના સરપંચો, ગામના આગેવાનો અને કાર્યકર્તા બહેનો મદદરૂપ થઈ હતી.
Latest on this web
- અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહનો જાહેર આભાર કેમ માન્યો? સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર પર જે કર્યું તેનાથી સદીના મહાનાયક ગદગદીત્ થયા
- કો-ઓપરેટીવ સેક્ટરનું ભારતનું સર્વોચ્ચ સન્માન સુરતના કાનજીભાઇ ભાલાળાને નવી દિલ્હી ખાતે રૂ.11 લાખની ધનરાશિ સાથે ઇફ્કો સહકારીતા એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને એનાયત કરાયો
- કિરણ હોસ્પિટલની વયસ્ક નાગરીકો માટેની મેડીકલ સિક્યુરિટી સ્કીમ સુપર હીટ, સંકટ સમયની સાકળ જેવી યોજના સિનિયર સિટીઝનોને એક કોલથી તમામ પ્રકારની મેડીકલ સુવિધા પૂરી પાડે છે
- SGCCIનો સીટમે એક્ષ્પો 20થી 22 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
- સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇના રાજીનામા બાદ શું કરવું? આજે 21/3/24 સાંજે 6 વાગ્યે ડાયમંડ બુર્સની કોર કમિટીની મિટીંગ મળશે મુંબઇ જ નહીં સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં ખળભળાટ
























