CIA ALERT

ઇન્ડીયા Archives - Page 91 of 183 - CIA Live

March 31, 2020
fiscalyear2020-1.png
1min7100

31st માર્ચ સૂમસામ, સ્ટેટમેન્ટસ, સ્ટોક, રિટર્ન ફાઇલિંગ કશી દોડધામ નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના ન હોત તો આજે તા.31મી માર્ચ એટલે હિસાબી વર્ષનો અંતિમ દિવસ. વિશ્વમાં ભલે કેલેન્ડર વર્ષ અને હિસાબી વર્ષ એક હોય પરંતુ, ભારતમાં પરંપરાગત રીતે હિસાબી વર્ષ અને કેલેન્ડર વર્ષ અલગ અલગ છે. ભારતમાં હિસાબી વર્ષનો છેલ્લો દિવસ એટલે 31મી માર્ચ અને આજે તા.31મી માર્ચ 2020. આજના દિવસે ધંધો, રોજગાર, વ્યવસાયિકો તમામનું નાણાંકીય વર્ષ પૂર્ણ થાય અને હિસાબો સેટલ થાય. આજે બેંકોમાં પણ સેટલમેન્ટનો દિવસ. પરંતુ, કોરોનાના કારણે ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વના ગણાતા હિસાબી વર્ષના અંતિમ દિવસે કચેરીઓ સૂમસામ ભાસે છે.

નાણાંકીય વર્ષ લંબાવવાની વાત બેબૂનિયાદ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે એવી સ્પષ્ટતા કરી છે કે નાણાંકીય વર્ષ લંબાવાયું હોવાની કોઇ જ વાત નથી કે ચર્ચા પણ નથી. આવી વાતો ફેક છે. કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક રીતે આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

કોરોનાનો સ્પ્રેડ રોકવા માટે લૉકડાઇનની સ્થિતિમાં –

  • હિસાબી વર્ષના અંતિમ દિવસે નથી કોઇ દોડધામ
  • બેંકો ખાલીખમ
  • કોઇ સ્ટેટમેન્ટસ લેવા માટે પડાપડી નથી
  • સી.એ.ની કચેરીઓ બિલકુલ બંધ
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની કોઇ દોડધામ નથી
  • સરકારી કચેરીઓ બિલકુલ ખાલી
  • હિસાબ સેટલમેન્ટના કોઇ ઉજાગરા નહીં કે કોઇ ઉતાવળ નહીં
  • હિસાબી વર્ષની નાણાંકીય લેવડદેવડને અંજામ આપવાનો બાકી
  • સ્ટોક ગણતરીની કામગીરી બિલકુલ બંધ
  • બધી જ નાણાંકીય અને હિસાબી બાબતો છેલ્લા એક સપ્તાહથી બંધ

કાલથી 20/20 વર્ષ

આવતીકાલ તા.1લી એપ્રિલ 2020 એટલે ભારતમાં નવા નાણાંકીય વર્ષનો સૂર્યોદય હશે. નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં લૉકડાઉનની સ્થિતિ ભારત આઝાદ થયું એ પહેલાથી પહેલી એપ્રિલ 2020ના રોજ એવી સ્થિતિ ન હતી જેવી આવતીકાલ તા.1લી એપ્રિલ 2020ના રોજ થવાની છે.

कोरोना की वजह से वित्त वर्ष 2019—20 के टलकर जून 2020 तक कर देने की की चर्चा और भ्रम पैदा हुई. यह भ्रम सरकार के एक नोटिफिकेशन की वजह से हुआ. भारत में ​वित्त वर्ष की ब्रिटिश प्रणाली अपनाई गई है जो हर साल 1 अप्रैल से अगले साल के 31 मार्च तक होती है. इस तरह वित्त वर्ष 2019—20 का समय 1 अप्रैल 2019 से 31 मार्च 2020 तक है.

इस बारे में काफी चर्चा के बाद आखिर सरकार को सफाई देनी पड़ी. सरकार की तरफ से बयान जारी कर उस खबर को नकारा गया है जिसमें दावा किया जा रहा था कि वित्त वर्ष को 30 जून तक बढ़ाने का फैसला किया गया है. वित्त मंत्रालय की तरफ से जारी बयान में कहा गया कि इंडियन स्टाम्प ऐक्ट की तारीख में बदलाव को वित्त वर्ष में बदलाव कहा जा रहा जो गलत रिपोर्ट है.



March 30, 2020
recovery.jpg
1min4630

કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા

વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.

Symbolic photo of recovery

દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.

  • અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
  • વિશ્વમાં કુલ 155,965
  • ભારતમાં કુલ 1000
  • ગુજરાતમાં કુલ 02

કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ

વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.

હાલના એક્ટીવ કેસ

હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.

March 30, 2020
minal-dakhave.jpg
2min7550

ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.

દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.

વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.

મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.

દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં

મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.

देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम

  • देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
  • पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
  • उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
  • अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं

कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।

वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।

March 30, 2020
coronaindia-1-1280x1044.jpg
8min3090

દેશમાં 30મી માર્ચે કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા

  • Confirmed Cases : 1,251
  • Total Deaths : 32
  • Total Recovered : 102
  • Active Cases : 1,117

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું.

ભારતમાં હજુ કોમ્યુનિટી લેવલ પર નથી દેખાયો કોરોના

દેશભરમાં કોવિડ-19 (Covid-19)ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે લોકડાઉનની સકારાત્મક દિશામાં અસર દેખાઈ રહી છે અને ઘાતક વાયરસ હાલ ‘લોકલ ટ્રાન્સમિશન’ (બીજા) સ્ટેજમાં છે. સરકારે જણાવ્યું છે કે જેવા આ વાયરસના “કમ્યુનિટી ટ્રાન્સમિશન”ના પુરાવા મળશે કે તરત નાગરિકોને વધારે એલર્ટ કરી દેવાની સૂચના આપી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ લોકોને રોગચાળાને લગતી સાચી માહિતી આપીને જાગૃત કરવા જોઇએ. દેશમાં હજી પણ અનેક સ્થળે લોકો ખોટી માહિતી કે અંધશ્રદ્ધાને કારણે ટોળે વળે છે અને શારીરિક સંપર્ક ટાળતા નથી.

રોગચાળાની ખોટી માહિતી નહિ ફેલાવો : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરતા સોમવારે જણાવ્યું હતું કે સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા સંગઠનો કોરોના વાઇરસને લગતી અંધશ્રદ્ધા અને ખોટી માહિતી ફેલાતી રોકવામાં સહાય કરી શકે છે.

મોદીએ સમાજના કલ્યાણ માટે કામ કરતા વિવિધ સંગઠનોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમ જ તબીબી સુવિધા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

વડા પ્રધાનની કચેરીએ બહાર પાડેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે દેશ હાલમાં અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે અને સામાજિક સંગઠનોની બહુ જ મોટી સેવાની જરૂરિયાત છે.

મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે ગરીબો અને અન્ય નબળા વર્ગના લોકોની સેવા જ દેશની મોટી સેવા ગણાય. જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે.

મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરનારા સામાજિક સંગઠનોના સ્વયંસેવકોએ પોતાના દ્વારા ભોજનના પૅકૅટ્સ, સૅનિટાઇઝર્સ, દવા અને કરિયાણાની અન્ય ચીજોના કરાયેલા વિતરણની જાણકારી આપી હતી.

કોરોનાનો ભય: હજારો કેદીઓને વચગાળાના જામીન પર છોડી મૂકાયા

કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા અને કેદીઓ વચ્ચેની અથડામણનો ભય ટાળવાના પ્રયાસો વચ્ચે એક અસાધારણ પગલું લેતાં વહીવટકર્તાઓએ દેશભરની ખીચોખીચ ભરેલી જેલના હજારો કેદીઓને વચગાળાના જામીન કે પૅરોલ પર છોડી દેવામાં આવ્યા હોવાનાં અહેવાલ છે.

ખીચોખીચ ભરેલી દિલ્હીની તિહાર જેલમાંથી બીજા તબક્કામાં ૧૫૦૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે, એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

એશિયાની સૌથી મોટી અને ગીચ જેલ ગણાતી પ્રથમ તબક્કામાં કુલ ૩૦૦૦ કેદીમાંથી ૪૦૦ કેદીને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના ડિરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિલ્હીની તિહાર જેલની કુલ ક્ષમતા ૧૦,૦૦૨૬ કેદીની છે તેની સામે તેમાં કુલ ૧૭,૪૪૦ કેદીઓ છે જેમાંથી ૧૪,૩૫૫ અન્ડર ટ્રાયલ કેદીઓ હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના કેદીઓમાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જેલમાં કોરોના વધુ ઝડપથી ફેલાય તેવી શક્યતા હોવાને કારણે જેલના ખૂણેખૂણાનું

નિયમીત રીતે સૅનિટાઈઝેશન અને સફાઈ કરવામાં આવે છે. કેન્દ્રના આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૭૧ કેસ નોંધાયા હોવા ઉપરાંત તેને કારણે ૨૯ જણનાં મોત થયા છે.

વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા અન્ડર ટ્રાયલ કેદીઓને પણ આ જ પ્રકારનો લાભ આપવાનું કૉર્ટે સૂચન કર્યું હતું.

મોદીએ પોતાના યોગ કરતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો શૅર કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દ્વારા યોગ કરીને કઇ રીતે શારીરિક સુસજ્જ રહેવાય છે, તેની જાણકારી આપતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો ટ્વિટર પર શૅર કર્યા હતા.

તેમણે ટ્વીટ કર્યું હતું કે મને રવિવારે એક જણે ‘મન કી બાત’ કાર્યક્રમમાં શારીરિક સુસજ્જતા જાળવવા માટેની મારી દરરોજની કસરત અંગે પૂછ્યું હતું. હું આશા રાખું છું કે તમે બધા પણ નિયમિત યોગ કરશો.

મોદીએ જણાવ્યું હતું કે હું શારીરિક સુસજ્જતા જાળવવાની સલાહ આપી શકતો નિષ્ણાત કે યોગનો પ્રશિક્ષક નથી. હું માત્ર યોગની પ્રૅક્ટિસ કરનારો છું. યોગના અનેક આસનની સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર થાય છે.

India State wise Update 31/03 at 10 am

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2021
MAHARASHTRA1988
DELHI872
KARNATAKA833
UP820
TELANGANA711
GUJARAT696
TAMIL NADU671
RAJASTHAN590
J&K482
MADHYA PRADESH473
PUNJAB381
HARYANA360
ANDHRA PRADESH230
WEST BENGAL191
BIHAR151
LADAKH130
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND70
CHHATTISGARH70
GOA50
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

Reported on 30 March 2020

Confirmed – 1,024, Deaths – 27, Recovered – 96, Active – 901

India Cases on 30/03 @ 9 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP660
GUJARAT595
RAJASTHAN540
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K312
MADHYA PRADESH302
ANDHRA PRADESH190
WEST BENGAL181
LADAKH130
BIHAR91
ANDAMAN90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
GOA60
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

સામૂહિક ચેપ અટકાવવા રાજ્યોની સરહદો સીલ કરવાનો આદેશ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં તીવ્ર વધારા સાથે આંક હજારને પાર કરી ગયો હોવાથી અને કોરોનાને કારણે ૨૫ લોકોના મૃત્યુ થયા હોવાથી કેન્દ્ર સરકારે રવિવારે પરપ્રાંતિય કામદારો દ્વારા સંભવિત કોરોનાવાયરસના સામૂહિક ચેપને રોકવા માટે દેશભરના રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ઉલ્લંઘન કરનારાઓને ૧૪ દિવસના કવોરન્ટાઇનનો સામનો કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લોકડાઉનનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો હતો.

પરપ્રાંતિય કામદારોની મોટા પાયે હિજરતથી ચિંતિત, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ રાજ્ય અને જિલ્લાની સરહદોને અસરકારક રીતે સીલ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સરકારી સુવિધાઓમાં ૧૪-દિવસની ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે.

લૉકડાઉનનો 5 દિવસ પૂર્ણ

રવિવારે દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનનો પાંચમો દિવસ હતો. કામધંધા બંધ થઇ ગયા હોવાથી તેઓ બેકાર થઇ ગયા હતા અને ભૂખે મરવા કરતા તેમણે પોતાના વતન પાછા ફરવાનું મુનાસિબ સમજ્યું હતું. પરપ્રાંતિય કામદારોએ અને અનેક રાજ્ય તથા જિલ્લાની સરહદ પર ભારે ભીડ જમાવી હતી. તેઓ પાસે ખાવાપીવાની પણ કોઇ વ્યવસ્થા નહોતી. સખાવતી સંસ્થાઓ, સ્વયંસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ સહિતની સરકારી સંસ્થાઓએ દેશભરના હજારો લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરી હોવા છતાં પણ અનેક લોકો આ સરકારી સુવિધા અને પહોંચથી વંચિત રહ્યા હતા.

વડાપ્રધાનની મન કી બાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ’મન કી બાત’ના રેડિયો પ્રસારણમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે થયેલી મુશ્કેલીઓ માટે રાષ્ટ્રની ક્ષમા માંગી હતી અને કહ્યું હતું કે તે જરૂરી છે કારણ કે દેશ જીવન અને મૃત્યુનો જંગ લડી રહ્યો છે. તેમ છતાં કોરોનાવાઇરસ સામેના જંગમાં જીતવાનો અતૂટ વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કટોકટીભર્યા સમયમાં દેશમાં અતિઆવશ્યક સેવાઓ પહોંચાડનારા અસંખ્ય કામદારો અને ફ્રન્ટલાઇન વર્કર્સોની તેમણે પ્રશંસા કરી હતી.

ભારતમાં ઇંધણની કટોકટી નથી

ઇંધણના વપરાશમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ભારતમાં ઇંધણની કોઈ કટોકટી નથી એમ જણાવતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું હતું કે દેશમાં ત્રણ અઠવાડિયાના લોકડાઊંનની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ નો જથ્થો તેના કરતા વધુ લાંબો સમય ચાલે એમ છે. જે દિવસે દેશમાં ૨૧ દિવસના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી તે જ દિવસે તેમના પિતાનું મૃત્યુ થયું હોવા છતાં દેશના તમામ વિસ્તારમાં ઇંધણની અછત ન સર્જાય અને લોકો ગભરાટના માર્યા બુકિંગ ન કરાવે તેની ખાતરી કરવા તેમણે વિતરણની કામગીરી પર દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ મહિના તેમ જ ત્યાર બાદ પણ લોકોને ઇંધણ નો અખંડ પુરવઠો મળતો રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમને કહ્યું હતું. ઇંધણના મોટા સંગ્રહસ્થાન તેમ જ રાંધણ ગેસ એજન્સી ઓ, પેટ્રોલ પંપ, સામાન્ય રીતે જ ચાલી રહ્યા છે અને દેશમાં ઇંધણની કોઈ કટોકટી નથી, એમ તેમણે કહ્યું હતું.

March 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4900

NATA 19 એપ્રિલે લેવાનું આયોજન હતું, નવી તારીખ લૉકડાઉન પૂર્ણ થયા પછી જાહેર થશે

આર્કિટેક્ચર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે આગામી તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવનારી નાટા ફર્સ્ટ પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. નાટા ફર્સ્ટની નવી તારીખ લૉકડાઉન પિરીયડ પૂરો થાય પછી ઘોષિત કરવામાં આવશે.

આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેના મેરીટમાં નાટાનો હિસ્સો 50 ટકાનો હોય છે. નાટા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. 2020ની પહેલી નાટા પરીક્ષા 19મી એપ્રિલે લેવાની હતી. હવે આ તારીખ મુલતવી રાખી ને કાઉન્સિલે તા.15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ નાટા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છે છે તેમને જણાવ્યું છે કે તેઓ ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.

March 28, 2020
modigovt.jpg
1min5770

India’s Response : વાંચો ભારતે કોરોનાને અટકાવવા ભરેલા એકેએક પગલાંઓની તવારીખ

હાલમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાઇરસ સામે એક થઇને લડી રહી છે ત્યારે ભારતમાં કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકારની ટીકાઓ કરવાવાળા આ સમયમાં પણ ઓછા નથી. અહીં એ હકીકત દર્શાવી રહ્યા છે કે ભારત સરકારે છેક જાન્યુઆરીથી નોવેલ કોવીડ-19 વાઇરસને ભારતમાં અટકાવવા માટે પગલાંઓ ભરવાના શરૂ કરી દીધા હતા. જેમ જેમ સમય આવ્યો તેમ તેમ ભારતે આંતર રાષ્ટ્રીય સીમાઓ પર પ્રવેશ રિસ્ટ્રીક્ટ કર્યા હતા. વાંચો અહીં તારીખવાર ભારતે કોવીડ19ને અટકાવવા ભરેલા શ્રેણીબદ્ધ પગલાઓની તવારીખ

March 28, 2020
electricity-1280x720.jpg
1min3810

કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ પાંચ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો હતો તેમ જ માસિક ધોરણે પાવરનો વપરાશ ચાર મહિનાની નીચી સપાટીએ રહે તેમ સરકારી આંકડાકીય માહિતી પરથી જણાય છે.

પ્રાપ્ત સરકારી આંકડાકીય માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મંગળવાર મધરાતથી ૨૧ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી અને પચીસમી માર્ચના રોજ ઇલેક્ટ્રિસિટીનો દૈનિક વપરાશ સરેરાશ ૩.૪૫ અબજ યુનિટ સામે વીસ ટકા ઘટીને ૨.૭૮ અબજ યુનિટના સ્તરે રહ્યો હતો. જો આગામી દિવસોમાં આ જ સ્તરનું ઘટડા તરફી વલણ રહેશે તો વર્ષાનુ વર્ષ ધોરણે માર્ચ મહિનાની ઇલેક્ટ્રિસિટી માગમાં સૌથી વધુ ઝડપી ઘટાડો જોવા મળે એવી શક્યતા છે.

એકંદરે રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રિસિટીના વપરાશમાં ઘટાડો થયો હોવા છતાં અમુક રાજ્યના વપરાશમાં વધારો જોવા મળ્યો હોવાથી જે તે રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન અંગે શંકા સેવાઇ રહી છે. આમ છતાં, અધિકારીઓનું માનવું છે કે અમુક રાજ્યમાં તાપમાન વધુ હોવાથી ત્યાં વીજળીના વપરાશમાં વધારો થયો છે.

ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે છેલ્લાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થયો હોવાથી રહેણાક વિસ્તારમાં પાવરનો લોડ વધુ રહે છે. નોંધનીય બાબત એ છે કે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ ગીચ વસતિ ધરાવતું રાજ્ય છે અને ગત પચીસ માર્ચના રોજ રાજ્યનો ઇલેક્ટ્રિસિટી વપરાશ ૩.૪ ટકા વધ્યો હતો, જ્યારે તેના પાડોશી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૪૦ ટકાનો ઘટાડો થયો હતો.

March 28, 2020
rbi.jpeg
2min3450

કોરોના કારમુ સ્વરૂપ ધરવા આગળ વધી રહ્યો છે, તેને હંફાવવા સરકાર વિવિધ અન્ય પગલાં સાથે દેશવાસીઓને નાણાકીય રાહત પણ આપી રહી છે જેથી કોરોના સામેની લડાઇમાં કોઈ કચાશ ન રહી જાય.

દેશની બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના વાઈરસના પગલે આપવામાં આવેલા લોકડાઉનથી લોકોને મુશ્કેલી ન થાય તેના માટે લોનની ચૂકવણીમાં રાહત આપવા અને લોન સસ્તી કરવાનો નિર્ણય કર્યો છે.

એ જ સાથે, ટર્મ લોનના હપ્તાની ચુકવણીમાં ત્રણ મહિનાની રાહત આપવાની જાહેરાત પણ કરી છે.

એક મહત્વના પગલામાં રેપો રેટમાં પણ ૦.૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને પરિણામે તમામ પ્રકારની લોન સસ્તી થશે.

રેપો રેટ એ દર છે જેની પર બેન્કોને આરબીઆઈ પાસેથી લોન મળે છે. બેન્કોને સસ્તી લોન મળશે તો તેઓ ગ્રાહરો માટે રેટ ઘટાડશે.

રેપો રેટ પહેલા ૫.૧૫ ટકા હતો, હવે તે ઘટીને ૪.૪૦ ટકા થઈ ગયો છે. આ ફેરફારને પગલે વિવિધ પ્રકારની લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે.

*રિઝર્વ બેન્કે પાંચ મહત્વની જાહેરાત કરી છે, જે આ પ્રમાણે છે:*

૧. રેપો રેટમાં ૦.૭૫ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, જેને પરિણામે લોન સસ્તી થશે

૨. ટર્મ લોનનો હપ્તો ભરવામાં ત્રણ મહિનાની છુટ આપવામાં આવી છે, જેને પરિણામે ગ્રાહકો અને બેન્કોને રાહત મળશે.

૩.વર્કિંગ કેપિટલ પર વ્યાજની ચુકવણી ત્રણ મહિના ટળી હોવાથી કોર્પોરેટ સેક્ટરમાં રાહત મળશે.

૪.કેશ રિઝર્વ રેશ્યો ૧ ટકા ઘટાડવામાં આવ્યો હોવાથી બેન્કોની પાસે વધુ રોકડ રહેશે.

૫. રિઝર્વ બેન્કના આં નિર્ણયની અસરથી બેન્કિંગ સિસ્ટમમાં ૩.૭૪ લાખ કરોડ રૂપિયાની રોકડ વધશે.

આરબીઆઈએ બેન્કોની સાથે લોન લેવા વાળા ગ્રાહકોને પણ રાહત આપી છે. બેન્ક ૩ મહીના સુધી ઈએમઆઈ ટાળી શકશે. ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન એનપીએમાં નહીં ઉમેરાશે. નેટ ફંડિંગ રેશ્યો નિયમને પણ ૬ મહીના માટે ટાળવામાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યુ છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા એમપીસીએ નિર્ધારિત સમયથી પહેલા બેઠક કરી છે. ૨૪-૨૭ માર્ચ સુધી એમપીસીની બેઠક થઈ જેમાં એમપીસીએ ૪:૨ ના રેશિયોમાં રેટ કપાતનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ વ્યાજ દરો એટલે કે રેપો રેટમાં ૦.૭૫ ટકાની કપાત કરતા ૪.૪૦ ટકા કરી દીધા છે. તેની સાથે જ એલએએફમાં પણ ૦.૯ ટકાની કપાત કરતા તેને ૪ ટકા કરી દેવામાં આવી છે.

રિવર્સ રેપો રેટ દર પણ ૦.૯ ટકાથી ઘટાડીને ૪ ટકા કરી દેવમાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે અમારો ફોક્સ ફાઈનાન્શિયલ સ્થિરતા પર છે. એચ૨માં ૪.૪ ટકા ગ્રોથ હાસિલ કરવો ચૂનોતિપૂર્ણ રહેશે.

કોરોનાના લીધેથી માંગમાં ઘણી પીછેહઠ આવી છે. કોરોનાથી ગ્રોથ અને મોંઘવારી અનુમાનોમાં ઘણા બદલાવ સંભવ છે.

વર્તમાન સમય જેવી અસ્થિરતા અત્યાર સુધીમાં નથી જોવા મળી. સ્થાનિક અર્થતંત્રની સુરક્ષા સમયની માંગ છે અને એ જ કારણે આ પગલાં લેવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખતા લોન-રી-પેમેંટના ઢીલ દેવામાં આવી રહી છે.

બધી બેન્કોના સીઆરઆરમાં ૧ ટકા સુધી કપાત કરવામાં આવી છે. બધી બેન્કોના સીઆરઆર ૧ ટકા ઘટાડીને ૩ ટકા કરવામાં આવી

રહ્યા છે.

હવે આપણે એકસમાન માસિક હપ્તા (ઈએમઆઈ) ત્રણ મહિનાની છુટ શું છે, એ પણ જાણી લઈએ.

બેન્કિંગ ક્ષેત્રના સાધનો અનુસાર ઊખઈં પેમેન્ટમાં છુટનો અર્થ એ નથી કે તમારે બાકી નીકળતા ઈએમઆઈને ચૂકવવા પડશે નહિ. માત્ર ત્રણ મહિના ટાળી શકો છો. પછીથી ચુકવણી કરવી પડશે.

આ પગલું એ હેતુથી ઉઠાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે જેની પાસે ખરેખર કેશની અછત છે તેને લોનની ચુકવણીમાં થોડો સમય મળી જાય.

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે જેમની પાસે પૂરતા પ્રમાણમાં રોકડ છે તેમણે ઊખઈં સમય પર જ ચુકવવો જોઈએ નહિતર તેમની પર પણ બોજો વધશે.

એ નોંધવું રહ્યું કે સરકારે ગુરુવારે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ગરીબ, ખેડૂત , મજૂર, મહિલા, વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વાઈરસના કારણે દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

March 27, 2020
sitaraman.jpg
1min5030

૩ કોરોના સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે ૫૦ લાખના વીમાની જાહેરાત

૩ પીએફમાં ૧૨ ટકા રકમ કંપની અને ૧૨ ટકા રકમ કર્મચારી દ્વારા એડ થાય છે. આ રીતે ૨૪ ટકા રકમ સરકાર ભરશે. તેમાં ૪ લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓનેલ લાભ મળશે.

૩ સરકારે આ ઉપરાંત પણ અનેક જાહેરાતો કરી છે, જેમ કે ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે.

૩ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં ૮૦ કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

૩ કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને ૫ કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.

૩ એ જ સાથે ૧ કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.

૩ મનરેગામાં દૈનિક મજૂરી ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૦ રૂપિયા કરવામાં આવી છે. ૫ કરોડ પરિવારોને ફાયદો થશે.

૩ દેશના ૮.૬૯ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે

૩ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.

૩ વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના ૧૦૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે.

૩ ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.

૩ ૨૫ હજાર કરોડ ડોલરનું ફન્ડ એવા લોકો માટે છે જેમની નોકરી કોરોનાવાયરસના લીધે જતી રહી છે અથવા તો રોજગારી પ્રભાવિત થઇ છે. આવા લોકોને સરકાર સીધા ચેક મોકલશે.

૩ ૩૫ હજાર કરોડ ડોલર ઇમરજન્સી લોન ફન્ડ અમેરિકાની નાની કંપનીઓ માટે છે જેથી તેમનો વેપાર બંધ ન થાય

૩ ૨૫ હજાર કરોડ ડોલરનું ફન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્શ્યોરન્સ બેનિફિટ તરીકે જાહેર કરાશે

૩ ૫૦ હજાર કરોડ ડોલરનું ફન્ડ સંકટમાં આવેલી કંપનીઓને લોન તરીકે જાહેર કરવામાં આવશે

March 26, 2020
neet.jpg
3min10230

NEET UGની હાલની 3જી મે ની તારીખ બદલાય તેવી શક્યતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ આગામી તા.3જી મે 2020ના રોજ લેવામાં આવનારી મેડીકલ અને ડેન્ટલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની એક માત્ર સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2020ના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે જાહેર કરવાનું સમયપત્રક છે. પરંતુ, દેશમાં પ્રવર્તમાન કોરોના આઉટબ્રેક તેમજ લૉકડાઉનની સ્થિતિને જોતા નીટ યુજી 2020 પરીક્ષાના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે ઓનલાઇન રિલિઝ નહીં થાય.

નીટ યુજી 2020 અંગે મહત્વની મિટીંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તા.14મી એપ્રિલે યોજાનારી છે. નીટ યુજી જે હાલમાં 3જી મે 2020ના રોજ લેવાની છે, એને મુલતવી રાખીને નવી તારીખ લૉકડાઉન પિરિયડમાં એટલે કે નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. નીટ અંગેની મહત્વની ઘોષણા તા.26 થી 28 દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.

NTA Clarification

As a Precaution against COVID – 19, our helpdesk is operating with limited resources. For exam related queries text us on the given numbers. For all other queries, please check the website regularly.

HELPLINE (OPERATIONAL DURING 09:30 AM TO 05:30 PM)

All helpline numbers are of Delhi.

Jee Mains 2 મુલતવી રાખી દેવામાં આવી છે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન્સ 2 પરીક્ષા જે એપ્રિલ 2020માં લેવાનું આયોજન હતું એ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત પહેલા જ મુલતવી રાખી દેવામાં આવી છે.

News in English

The examination date for the National Eligibility cum Entrance Test-Under Graduate (NEET UG) 2020 is likely to be postponed. The National Testing Agency (NTA) will not be issuing the admit cards from Friday as scheduled.

According to a senior NTA official, “We will not be issuing the admit cards on March 27, 2020 as scheduled. The new date for downloading of admit cards will be issued later following a review on April 14, 2020”

The ministry of human resource development and the ministry of health and family welfare are reviewing the matter on postponement of the exams scheduled for May 3, 2020. With all the remaining CBSE, NIOS and CISCE Board exams postponed after March 20, the competitive exams to be conducted thereafter are also going to be affected. After announcement of the 21-day lockdown across the country on March 24 the JEE (main) exam too stands postponed.

According to a senior HRD official, “The new dates will be announced only after the lock down period is over. The ministry is in talks with the health ministry over the matter and new dates will be announce by NTA post the lockdown period.”