CIA ALERT

ઇન્ડીયા Archives - Page 73 of 183 - CIA Live

July 14, 2020
corona_india.jpg
1min2800

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 906752 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 28498 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.02 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17989 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 571460 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 23727 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 311565 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 260924 કેસ નોંધાયા છે જ્યારે 10482 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 142798 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2032 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 113740 કેસ નોંધાયા છે જ્યારે 3371 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 42810 લોકો સંક્રમણમાં આવ્યા છે 2057 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13099088 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 572981 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7246649 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5279458 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 13, 2020
ICAI.jpg
1min2820

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજે તા.13મી જુલાઇ 2020ના રોજ સુપ્રીમ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગથી થયેલા હિયરિંગમાં એવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે સી.એ.ની જુલાઇ ઓગસ્ટ 2020માં લેવાનારી તમામ પરીક્ષા કોરોના પેન્ડેમિકને કારણે શકય નથી હવે મે-2020 સાઇકલની તમામ પેન્ડિંગ પરીક્ષાઓને હાલ રદ કરીને તેને નવેમ્બર 2020 એક્ઝામ સાઇકલમાં મર્જ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એ.એમ. ખાનવીલકર ની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આઇસીએઆઇના પ્રતિનિધિઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

The Institute of Chartered Accountants of India (ICAI) Monday informed the Supreme Court that the May cycle of CA examination, scheduled between July 29 and August 16, has been cancelled due to the COVID-19 pandemic. The counsel appearing for ICAI told a bench headed by Justice A M Khanwilkar that now the May cycle examination will be merged with the November 2020 cycle of the CA exam.

The apex court was hearing through video-conferencing a plea which had challenged the ‘opt out’ option provided by ICAI alleging that it “arbitrarily” discriminate between the aspirants in May cycle of CA examination.
The plea had also sought more exam centres across the country.

The bench, after hearing the submissions advanced by ICAI’s counsel, disposed of the matter.

July 13, 2020
breaking_CIA-1280x831.jpg
3min8610

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ માય સુરત પર રજૂ કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ માટે જીવનરક્ષક સમા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન તેમજ રેમડેસીવીરની સીપ્લા પ્રોડક્ટ જેનરક દવાઓ હવે સીપ્લા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સીધી જ જે તે હોસ્પિટલમાં દાખલ દર્દીને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાત ખુદ સીપ્લા કંપનીએ એક પોસ્ટર બનાવીને કરી છે. સીપ્લા કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તેમજ ફેસબુક પર પણ આ જ સંદર્ભની જાહેરાતો મોટા ઉપાડે કરી છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને રેમડીસીવીરની જેનરીક વર્ઝનની દવાઓનું ડિસ્ટ્રીબ્યુશન હોસ્પિટલ ચેનલ્સ મારફતે કરવામાં આવી રહ્યું છે. સીપ્લાએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સમેત આખા દેશની હોસ્પિટલ્સનું લિસ્ટ જારી કર્યું છે જ્યાં આ દવાઓ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ખુદ સુરત મહાનગરપાલિકા કહી શકતી નથી કે દવાઓ સુરતમાં મળી રહી છે કે નહીં

પરંતુ, સી.આઇ.એ. લાઇવ દ્વારા આ અંગેની ખરાઇ કરવામાં આવતા સીપ્લાની જાહેરાત અને રિયાલિટી બન્ને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાના ફેસબુક પેજ પર સીપ્લા કંપનીનું પોસ્ટર પોસ્ટ કરી દીધું છે. પરંતુ, ખુદ સુરત મહાનગરપાલિકાના અધિકારીને પણ એ વાતની જાણ નથી કે ખરેખર સીપ્લાની જેનરીક દવાઓ સુરતમાં સીધી હોસ્પિટલને મળે છે કે નહીં.

સીપ્લાની વેબસાઇટ પર સુરતમાં ઉપલબ્ધિ સ્થાન કિરણ હોસ્પટલ દર્શાવાયું છે, કિરણ હોસ્પિટલ કહે છે અમને ખબર જ નથી

હકીકતમાં કિરણ હોસ્પટલના મેનેજમેન્ટને પણ એ વાતની ખબર નથી કે સીપ્લાની દવાઓ માટે તેમની હોસ્પિટલનું નામ સીપ્લા કંપનીએ વેબસાઇટ પર ચઢાવી દીધું છે.

સુરતની કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન મથુરભાઇ સવાણીએ સીઆઇએ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખબર જ નથી કે સીપ્લા કંપનીએ અમારુ નામ વેબસાઇટ પર મૂક્યું છે. અમારા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે અમે સીપ્લા કંપનીમાંથી દવા મગાવી લઇએ છીએ. પણ વિતરણ સ્થાન તરીકે કિરણ હોસ્પિટલ છે એવું અમને પણ ખબર નથી એમ મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું.

સીપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ટોસીલીઝુમેબ ઇન્જેકશન તેમજ રેમડીસીવીર દવાની જરૂરીયાત માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ ઇમેલ મારફતે પણ હોસ્પિટલ કે દર્દીઓના સગા દવાઓ માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે.

સીપ્લા કંપનીનો હેલ્પલાઇન નંબર 86573 11088

સીપ્લા ફાર્માસ્યુટીકલ્સ કંપની એ એક દવા બનાવતી કંપની છે. જેમણે કોવીડ-19 માટે હાલમાં અસરકારક દવાઓનું જેનેરીક વર્ઝન તૈયાર કર્યું છે. રેમડેસીવીરનું જનરીક નામ સ્પીલાએ સીપ્રેમી રાખ્યું છે જ્યારે ટોસીલીઝુમેબ ઇન્જેકશનનું નામ એક્ટેમ્રા રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ હોસ્પિટલ્સમાંથી મળશે એવી માહિતી સીપ્લા કંપનીની વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે

Apollo Hospital, AhmedabadGujarat
CIMS Hospital, AhmedabadGujarat
HCG Hospital AhmedabadGujarat
Kiran Hospital, SuratGujarat
Narayana Health AhmedabadGujarat
Sterling Hospital AhmedabadGujarat
Sterling Hospital Baroda, VadodaraGujarat
GMSCL (Gujarat Medical Service Corporation Ltd)Gujarat

સુરત મહાનગરપાલિકાએ તેના ફેસબુક પેજ પર આ સ્ટેટસ અપડેટ કરીને માહિતી આપી છે

Looking at the increasing demands of Remdesivir & Tocilizumab two essential drugs to fight against the COVID, from now…

My Surat यांनी वर पोस्ट केले सोमवार, १३ जुलै, २०२०
July 11, 2020
corona-gujarat.jpg
2min2550

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં જ નહીં ભારતમાં પણ કોરોના આઉટબ્રેકના આરંભથી જ કેસોની સંખ્યાની જાહેરાતમાં તમામ કેસોનો સરવાળો જાહેર કરવામાં આવે છે. જેમાં રિકવર્ડ થઇ ગયેલા વ્યક્તિઓ, મૃત્યુ પામેલા વ્યક્તિઓ તેમજ એક્ટીવ કેસ એમ ત્રણેયનો સરવાળો કરીને કુલ કેસો જ જાહેર કરવામાં આવે છે.

કેસોની સંખ્યા વધુ દેખાવા માંડતા, હવે એક્ટીવ કેસોનો નિર્દેશ શરૂ કરાયો

પરંતુ, હવે ભારતમાં દૈનિક 25000 પ્લસ કેસો આવવાનું શરૂ થતાં કેસોનો આંકડો મોટો દેખાવા માંડ્યો અને સામાન્ય લોકોમાં કોરોના વકરી રહ્યાનો ભય ફેલાવાનો શરૂ થતાં હવે સરકારે એક્ટીવ કેસોની સંખ્યા પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે.

આજરોજ તા.11મી જુલાઇ 2020ના રોજ કેન્દ્રના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સવારે જે આંકડા જાહેર કર્યા તેમાં એક્ટીવ કેસોની સંખ્યાની પણ એક પ્લેટ ટ્વીટર હેન્ડલ પર મૂકવામાં આવી છે.

ભારતમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા કુલ કેસોના 34.52 ટકા થઇ

ભારતમાં રાજ્યવાર કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા

કુલ કેસોમાં ગુજરાત 4થા ક્રમે અને એક્ટીવ કેસોની સંખ્યામાં ગુજરાત દેશમાં 8 ક્રમે

જે રીતે સમગ્ર વિશ્વમાં ગાઇડલાઇન કહો કે પરંપરા કોરોનાના કેસોની જાહેરાતમાં ત્રણેય સંખ્યા (1) એક્ટીવ કેસ (2) મૃત્યુ સંખ્યા અને (3) રિકવર્ડ દર્દીઓની સંખ્યા સામેલ કરવામાં આવે છે. એ જોતા ગુજરાત હાલમાં ભારતમાં કુલ કેસોની સરખામણીમાં ચોથા ક્રમે આવે છે.

કુલ કેસો = એક્ટીવ, મૃત અને રિકવર્ડ દર્દીઓની સંખ્યા સાથે રાજ્યવાર સ્થિતિ

પરંતુ, જો એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો ગુજરાતનો ક્રમ દેશમાં 8માં ક્રમે આવે છે. એક્ટીવ કેસોમાં સૌથી વધુ એક્ટીવ કેસ

એક્ટીવ કેસોની રાજ્યવાર સ્થિતિ

ગુજરાતમાં હાલ કુલ કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યા 9900

ગુજરાતમાં હાલ કુલ કેસોની સંખ્યા 40,069 કેસો તા.11મી જુલાઇને સવારે 8 વાગ્યા સુધી નોંધાયા છે. આ જ સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 9900 છે.

July 11, 2020
corona_india.jpg
1min2640

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 22,752 નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,20,916 કેસ નોંધાયા છે. જેમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,123 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. ફક્ત ચાર જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઈ ગઈ છે. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઈ રહ્યા છે. જોકે, આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી પાંચ લાખથી વધુ દર્દી સાજા થયા છે. એટલે કે, 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થયા છે અને આ ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઈ ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો બે લાખને પાર થઈ ગયો હતો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા બેથી વધીને ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રણ લાખથીચાર લાખ થવામાં આઠ દિવસ અને ચારથી પાંચ લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. પાંચથી છ લાખ અને છ લાખથી સાત લાખ કેસ થવામા માત્ર પાંચ-પાંચ દિવસ લાગ્યા હતા. પરંતુ આ વખતે સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, દર બે દિવસમાં સરેરાશ 50,000 કેસ નોંધાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,862 નવા કેસ નોંધાયા છે અને 226 લોકોના મોત થયા છે. જ્યારે 5,366 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,38,461 થઈ ગયો છે. તેમાંથી 95,943 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 9,893 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 875 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. જ્યારે 429 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,069 થઈ ગયો છે. જેમાંથી 9,900 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,022 લોકોના મોત થયા છે અને 28,147 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાઓ પ્રમાણે , દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,13,07,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 2,82,511 ટેસ્ટ કરાયા હતા.

July 10, 2020
corona_india.jpg
1min3880

દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.

આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.

કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.

આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

July 10, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min3420

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.

ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.

ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.

ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે. 

July 10, 2020
up_lockdown.jpg
1min3100

ઉત્તરપ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેરને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન જાહેર કરી દીધું છે. ૧૦ જુલાઈના રોજ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન રહેશે. સરકારે યુપીમાં વધતા કોરોનાના કહેરના કારણે આ કડકાઈ પૂર્વક નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસની અંદર કડકરીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન દરેક સંસ્થાઓ, બજાર, ઓફીસ, સરકારી ઓફીસ અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે. જયારે આવશ્યક સેવાઓ માટે પરવાનગી છે. આ દરમિયાન સાર્વજનિક સાધનોની સાથે રોડવેઝ બસોની આવનજાવન પણ બંધ રહેશે.

યુપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે. કોવિડ-૧૯ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા અન્ય રોગોને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાજ્યમાં ૧૦ જુલાઈ રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈ સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.

July 10, 2020
corona_india.jpg
1min4080

અમેરિકામાં અને બ્રાઝીલ બાદ દેશમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. આજે દેશમાં 24 કલાકમાં 26 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા આઠ લાખને નજીક પહોંચી ગઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 7,93,802 કેસ નોંધાયા છે. જેમાંથી 21,604 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 4,95,000 લોકો સાજા પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 લોકોના મોત થયા છે. 

આંકડા મુજબ, દેશમાં હાલ 2,76,000 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 93 હજારથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારબાદ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. 

July 10, 2020
vikas_Dubeyancounter.jpg
1min3090

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્ય કરનારા વિકાસ દુબને શુક્રવારે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. વિકાસ દુબેન ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહેલી યુપી એસટીએફના કાફલાની ગાડી આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. 

દુર્ઘટના પછી વિકાસ પોલીસકર્મીઓની પિસ્તોલ છીવનીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી ફાયરિંગમાં વિકાસ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવાનો આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ગુરુવારે સવારે જ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસ વિકાસની ધરપકડ કરી હતી. વિકાસ સાત દિવસથી ફરાર હતો. ત્યાબાદ મધ્ય પ્રદેશની પોલીસે વિકાસ દુબેને ઉજ્જૈનની કોર્ટમાં રજૂ કરીને સાંજે યુપી એસટીએફને સોંપી દીધો હતો.