CIA ALERT

ઇન્ડીયા Archives - Page 61 of 183 - CIA Live

September 29, 2020
kisan.jpg
1min3420

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 29, 2020
coronaindia-1-1280x1044.jpg
1min2770

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33074393 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 997713 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22925150 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 9151530 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 28, 2020
balikavadhu_director.jpg
1min5940

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

September 28, 2020
corona_india.jpg
1min2530

દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.

 કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે.
‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.

September 27, 2020
akalidal.jpeg
1min2840

કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ તરફથી સતત કેન્દ્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહે શનિવાર તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં તે વાત સ્પષ્ટ કરી કે હવે તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનનો ભાગ નથી. સુખબીર સિંહ બાદલે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના ઘણાં સભ્યો તરફથી લેવામાં આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ તરફથી રેલ રોકો અભિયાન ચાલુ છે. કૃષિ બિલ વિરુદ્ધ આ પ્રદર્શન ચાલી રહ્યું છે.

તા.26મી સપ્ટેમ્બરે મોડી સાંજે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો. જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો ભાગ હોઈ શકું નહીં.

આ નિર્ણય પહેલા સુખબીરસિંહ બાદલે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે, ‘બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનને અણુ બોમ્બથી હલાવી દીધું હતું. અકાલી દળના એક બોમ્બે (હરસિમરત કૌર બાદલનું રાજીનામું) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હચમચાવી દીધા છે. બે મહિનાથી કોઈપણ ખેડૂતો પર એક પણ શબ્દ બોલતું નહોતું, પરંતુ હવે 5-5 મંત્રી તેના પર બોલી રહ્યા છે.

September 25, 2020
bihar.jpg
2min3520

કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીના જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ તકેદારી સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે તેમજ 3 અ 7 નવેમ્બરના બીજા તેમજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને 10 નવેમ્બરના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.   

મતદાનનો સમય એક કલાક લંબાવ્યો

મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ચૂંટણી યોજવાનો પડકાર છે અને બિહાર વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર છે. આ વખતે ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક લંબાવવામાં આવશે. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. કોવિડ 19 દર્દીઓ અંતિમ એક કલાકમાં મતદાન કરી શકશે. કોરોનાના દર્દીઓ માટે વિશેષ પ્રોટોકોલનો અમલ પણ કરવામાં આવશે તેમ સીઈસીએ જણાવ્યું હતું.

ચૂંટઈ પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણી માટે સાત લાખ હેન્ડ સેનિટાઈઝર્, 46 લાખ માસ્ક, 6 લાખ પીપીઈ કિટ્સ, 6.7 લાખ માસ્ક શિલ્ડ સહિત 23 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સોશ્યલ મીડિયા પર પંચની ચાંપતી નજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે જેને પગલે કોઈ પક્ષ દ્વારા ઉશ્કેરણીજનક અથવા સમુદાયને ટાર્ગેટ કરીને કોઈ ટિપ્પણી કરશે તો પંચ આકરા પગલાં લઈ શકે છે. આ ઉપરાંત ભડકાઉ ભાષણો ઉપર પણ ચૂંટણી પંચની નજર રહેશે.

બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરના 71 વિધાનસભા બેઠકો માટે તેમજ 3 નવેમ્બરના 94 વિધાનસભા બેઠકો અને 7 નવેમ્બરના 79 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 10 નવેમ્બરના મતોની ગણતરી થશે તેમજ પરિણામ જાહેર કરાશે. આમ દશેરાથી દિવાળી સુધીમાં બિહારમાં આગામી કોની સરકાર રચાશે તે સ્પષ્ટ થઈ જશે.

બિહાર ચૂંટણી કાર્યક્રમ

28 ઓક્ટોબરના પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચૂંટણી

1 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

8 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

9 ઓક્ટોબર- સ્ક્રુટિની

12 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

28 ઓક્ટોબર- મતદાન (71 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

3 નવેમ્બરના બીજા તબક્કામાં 94 બેઠકો પર ચૂંટણી

9 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

17 ઓક્ટોબર- સ્ક્રુટિની

19 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

3 નવેમ્બર – મતદાન (94 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

7 નવેમ્બરના ત્રીજા તબક્કામાં 78 બેઠકો પર ચૂંટણી

13 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

20 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

21 ઓક્ટોબર- સ્ક્રુટિની

23 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

7 નવેમ્બર- મતદાન (78 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

September 25, 2020
saudi.png
1min2490

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ વંદે ભારત મિશન હેઠળ ભારત માટેની ફ્લાઇટને મંજૂરી આપી છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા ઉછાળા વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયાએ ભારત જતી એન આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Saudi Arabia may lift ban on women travelling without man's permission |  India.com

બુધવારે રાતે એક ટ્વીટમાં ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતથી પ્રવાસીઓને સાઉદી અરેબિયા નહીં લઇ જાય. ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ વંદે ભારત મિશનની સાઉદી અરેબિયાથી ભારતની ફ્લાઇટ ચાલુ રાખશે.

મંગળવારે જારી કરેલા એક આવેદનમાં સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમા ંલઇને ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાની હવાઇ યાત્રા સ્થગિત કરવામાં આવે છે. જોકે, તેમાં એવા મુસાફરોને બાકાત રાખવામાં આવ્યા હતા જેમની પાસે સરકારી આમંત્રણો છે. સાઉદી અરેબિયા એન સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં નોંધપાત્ર ભારતીયોની વસતી છે. દુબઇ યુએઇનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. યુએઇ સરકારના નિયમાનુસાર ભારતથી મુસાફરી કરતા દરેક લોકોએ મુસાફરીના ૯૬ કલાકની અંદર કોવિડ-૧૯નું નકારાત્મક પ્રમાણપત્ર લાવવું જરૂરી છે. 

September 25, 2020
rofl_jets.jpg
1min3300

રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ અનેકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે કેગે ડિફેન્સ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે, પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ર્ચિત નથી થઈ શકી. ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી, પરંતુ હજી સુધી વેન્ડરે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.

કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે, જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.

ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યું નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે કેગે પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદના પટલ પર મૂક્યો છે જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેન્ડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. ૨૯મી જુલાઈએ ભારતને પાંચ રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાનો માટે ભારતે ૬૦ હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એન્ટિટીને કોન્ટ્રાક્ટનો ૩૦ ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ ૩૦૦ કરોડથી વધારેના દરેક ઇમ્પોર્ટ પર લાગુ થાય છે.

તેના માટે ફ્રીમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભારતની પ્રોડક્ટને ખરીદવામાં પણ આવી શકે છે. કેગના ઓડિટરે કહ્યું છે કે, વેન્ડર પોતાના ઓફસેટ કમિટમેંટને પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેગે કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલયને પોતાની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગે એમ પણ કહ્યું હતું કે ૨૦૦૫થી ૨૦૧૮ સુધી વિદેશી કંપનીઓ સાથે ૪૮ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા જે કુલ ૬૬,૪૨૭ કરોડ રૂપિયાના હતા. ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૯,૨૨૩ કરોડ રૂપિયાના ઓફસેટ ટ્રાન્સફર થવાનું હતું, પરંતુ માત્ર ૧૧,૨૨૩ કરોડ રૂપિયાનું જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે જે નિર્ધારીત વાયદા પ્રમાણે માત્ર ૫૯ ટકા જ છે.

September 24, 2020
corona_india.jpg
1min2930

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
suresh-angadi-1280x720.jpg
1min3150

કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના નિધનથી તેમના પરિવારની સાથે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. તેમનું AIIMS માં સારવાર ચાલી રહી હતી. લગભગ રાત્રે 8 વાગે તેમનું નિધન થયું. તે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે.

બેલ્ગાવી સીટ પરથી લોકસભા સભ્ય હતા. તેમણે 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાની સૂચના ટ્વિટર પર શેર કરી હતી.