CIA ALERT

ઇન્ડીયા Archives - Page 54 of 183 - CIA Live

November 25, 2020
Cyclone-Nivar.jpg
1min311
Heavy rains, gale force winds: Nivar to cross Tamil Nadu coast tomorrow -  india news - Hindustan Times

તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનો ભય છે, જે બુધવારે મોડી સાંજે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મલ્યુંજય મહાપાત્રાએ મંગળવારે કહ્યું હતું કે બંગાળની ખાડી ઉપર ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાત ‘પ્રિવેન્શન’ માં ફેરવાઈ ગયો છે અને બુધવારે ભારે વાવાઝોડાની જેમ તમિળનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકવાની સંભાવના છે. છે. વાવાઝોડાને પગલે તમિળનાડુ અને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીનો વહીવટ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા સહિતના સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ‘નિર્વાણ’ બુધવારે ચેન્નઈથી 50 કિલોમીટર દૂર, રાજ્યના મમ્મલાપુરમ અને પુડુચેરીના કરૈકલ કાંઠેથી ભારે વાવાઝોડાની સાથે વાવાઝોડું વાળી શકે છે અને 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સ્પીડ, જે પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી જઈ શકે છે. વિભાગે કહ્યું કે બુધવારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min390

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min765

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
MindRead.jpg
1min325

મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ થયેલા દિલ્હીના રહેવાસી અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.

આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.

એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

November 22, 2020
bharti.jpg
1min382

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

November 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min473
MCI: Ayurveda Doctors Can't Do Surgeries!

હાલમાં જ્યારે દેશભરમાં મેડીકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ચાલી રહી છે ત્યારે આવેલા એક મહત્વના સમાચાર એ છે કે આયુર્વેદના ડોકટરોને પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરી સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર રચિત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આયુર્વેદિક તબીબો જનરલ સર્જિકલ, ઇ.એન.ટી., ઓપ્થેલમોલોજી, ઓર્થો અને ડેન્ટલ પ્રોસિજર અન્વયે આવતી સર્જરી આયુર્વેદિક હોસ્પિટલ્સના ઓપરેશન થિયેટરોમાં હાથ ધરી શકશે. એમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડીસીન દ્વારા જણાવવામાં આવ્યું છે.

The notification dated November 19 listed the procedures that will be included in the PG training of Ayurveda doctors by amending the Indian Medicine Central Council (Post Graduate Ayurveda Education) Regulations, 2016. It stated that the amendments were being made with the sanction of the central government.

During the period of study, post-graduate scholars of Shalya tantra (general surgery) and Shalakya tantra (surgeries of the ear, nose, throat, head and eye) will be practically trained to perform various surgical procedures independently. General surgical procedures include amputation of gangrene, skin grafting, laparotomy (opening up of the abdomen), many advanced gastro-intestinal surgeries. Under Shalakya tantra they will be trained to do fairly advanced ophthalmic surgeries such as iris prolapse surgery, squint surgery, cataract surgeries of all kinds.

November 21, 2020
cbse1.jpg
1min664

સીબીએસઇના બૉર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા ચોક્કસ યોજાશે અને એની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કોવિડ-૧૯ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક લોકો ૧૦મા અને ૧૨મા ધોરણની બૉર્ડની પરીક્ષા રદ કરવાની અથવા એની તારીખ લંબાવવાની માગણી કરી રહ્યા છે અને એના જવાબમાં ત્રિપાઠીએ આ વાત કહી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ ક્યારે અને કઇ રીતે યોજાશે એ વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પરીક્ષાપત્રક જાહેર કરવામાં આવશે તથા પરીક્ષા કઇ રીતે લેવાશે એ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

જોકે, દર વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાશે કે નહીં એ વિશે એમણે મગનું નામ મરી નહોતું પાડયું, પણ એમ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં કોરોનાને કારણે પ્રતિબંધ લદાયા બાદ આગળ કઇ રીતે વધવું એ વિશે અવઢવ હતી ત્યારે અમારા શિક્ષકોએ પોતાની જાતને નવી ટૅકનોલોજીમાં ઢાળીને ભણાવવાનું ચાલું રાખ્યું હતું તથા થોડા જ મહિનામાં વિવિધ ઍપ્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ભણાવવાની વાત સામાન્ય બની ગઇ હતી.

કેટલાંક રાજ્યોમાં ૧૫મી ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે, પણ કોરોનાને લીધે અમુક રાજ્યોમાં શાળાઓ સદંતર બંધ જ રહી છે.

જે બૉર્ડની પરીક્ષાઓની તારીખ લંબાવાઇ હતી, એ છેવટે રદ કરાઇ અને પર્યાયી અસેસમેન્ટને આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

November 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min382

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે.

કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે.

કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે.

કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે.

જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ

November 19, 2020
Twitter_bird_logo_2012.svg_.png
1min362
Circle Twitter Logo Photo PNG Transparent Background, Free Download #47460  - FreeIconsPNG

ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે અને આ મહિનાના અંત સુધીમાં પોતાની ભૂલ સુધારવાનું વચન આપ્યું છે.

આ માફીપત્ર પર અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના ચીફ પ્રાઇવસી ઑફિસર ડેમીયન કેરીયને સહી કરી છે. લેખીએ જણાવ્યું હતું કે એમણે પોતાના માફીપત્રમાં જણાવ્યું છે કે ભારતના લોકોની ભાવના દુભવવા બદલ તેઓ દિલગીર છે અને ૩૦મી નવેમ્બર સુધીમાં પોતાની ભૂલ સુધારી લેશે.

લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના સીઇઓ જેક ડોરસીને મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં ટ્વિટરને ઠપકારતા જણાવાયું હતું કે આવા કૃત્યને દેશદ્રોહનો ગુનો ગણવામાં આવે છે અને એમની પાસેથી માફી માગતો જવાબ શપથપત્રના રૂપમાં જવાબ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

લદાખ મામલે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતાવાળી ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિએ માફી માગી હતી, પણ એમને સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય પર સવાલ કરતો આ ક્રિમિનલ ગુનો છે અને આ મામલે એની માર્કેટિંગ કંપની ટ્વિટર ઇન્ડિયા પાસેથી નહીં, પણ ટ્વિટર ઇન્ક.એ પોતાની ભૂલ શપથપત્ર પર લખીને આપવી પડશે. ભારતનો નકશો અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવો એ રાજદ્રોહ છે અને એ માટે સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે.

તાજેતરમાં ૯ નવેમ્બરના રોજ લેહને લદાખને બદલે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાડવા બદલ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને નૉટિસ ફટકારી હતી.

November 14, 2020
modi-jaisalmer-1200x720-1.jpg
1min3830
બોર્ડર પર પીએમ મોદીનો ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ, કહ્યું- 'ઉશ્કેરશો તો  છોડીશું નહી' | India News in Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષએ પણ દિવાળી પર્વ દેશના વીર જવાનો સાથે મનાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો છે. પીએમ શનિવારે રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, લશ્કરના વડા એમ એમ નરવાણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા તેમજ બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.

જેલસમેરમાં લોંગેવાલા પોસ્ટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સુરક્ષા માટે તૈનાત હોય છે. જગવિખ્યાત તનૌટ માતાનું મંદિર પણ અહીં આવેલું છે. પીએમ નરેન્દ્ર મોદી લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોબરના તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને આ દિવાળી પર એક દિવડો દેશના જવાનોના નામે પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષામાં નિસ્વાર્થપણે તૈનાત જવાનોના સન્માનમાં એક દિવડો પ્રજ્વિલત કરવા પીએમએ નાગરિકોને જણાવ્યું હતું.