CIA ALERT

ઇન્ડીયા Archives - Page 25 of 183 - CIA Live

June 9, 2021
sunil_chhetri.jpg
1min258
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 6, 2021
indiavaccine.jpeg
1min279

દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી કોરોનારસી’ લોન્ચ થનારી છે. ભારતની કંપની બાયોલોજિકલ-ઈએ ‘કોરબેવેક્સ’ નામની આ રસીને તૈયાર કરી છે. હાલમાં જોકે આ રસીના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ રસીના બંને ડોઝની કિંમત 500 રૂા.ની આસપાસ રહેશે. ટ્રાયલના અંતિમ પરિણામ આવી જાય એ પછી ઈમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરવામાં આવશે. હૈદરાબાદના આ કંપનીની સાથે કેન્દ્ર સરકારે 30 કરોડ રસીના ડોઝનો સોદો કર્યો છે.

રસીની કિંમતને લઈને હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી જોકે એક અંગ્રેજી અખબાર અનુસાર બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. હજુ સુધી આ રસીની ટ્રાયલના બે ચરણ પૂરાં થયાં છે અને બંનેના સારાં પરિણામ આવ્યાં છે. હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની આ કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે અનુમતિ આપી’ હતી. આ રસીને અમેરિકાની બાયલર કોલેજ ઓફ મેડિસીનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાયોલોજિકલ-ઈએ ભારતમાં એક એમઆરએનએ (મેસેંજર રાઈબોન્યૂક્લિક એસિડ) રસી પીટીએક્સ-કોવિડ-19-બીના નિર્માણ માટે કેનેડા સ્થિત પ્રોવિડેન્સ થૈરેપ્યૂટિક્સ હોલ્ડિંગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

દેશમાં હાલમાં ત્રણ રસી લગાવાઈ રહી છે જેની અલગ-અલગ કિંમતો છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 2400 રૂપિયામાં જ્યારે રશિયાની સ્પૂતનિક રસીના પ્રત્યેક ડોઝની કિંમત 995 રૂપિયા છે.

June 6, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min242

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.

આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.

June 6, 2021
delhi-unlock.jpg
1min290
Delhi LOCKDOWN News: Arvind Kejriwal says PARTIAL UNLOCK to begin from THIS  date; Check what's being relaxed | Zee Business

મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે,

જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. 
સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. 
દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે. 

June 5, 2021
vaccine-1.jpg
1min283

ઑલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)એ તાજેતરમાં કરેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના એપ્રિલ-મે મહિનામાં વૅક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું. એટલે કે, વૅક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેવા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થાય છે પણ મૃત્યુ નથી પામતા.

આ અભ્યાસ અનુસાર, દિલ્હીના કોરોના સંક્રમિત દર્દીઓમાં જીનોમ સિક્વન્સીંગ, ઓવરલેપિંગ અને મિરરિંગ પદ્ધતિની મદદથી વેક્સિનના બ્રેકથ્રૂ ઈન્ફેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં B.1.617.2, B.1.1.7 વેરિયન્ટ મોટાભાગના કેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રસીના બન્ને ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.

બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના ઘણાં કેસ નોંધાયા હતા, પરંતુ આ દર્દીઓના લક્ષણો સાધારણ હતા. બીમારીની સારવાર દરમિયાન પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી થતી અને પાછલા તારણોની સરખામણી વર્તમાન અભ્યાસ સાથે કરવામાં આવે તો રસી લીધેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર પણ શૂન્ય જોવા મળ્યો હતો. એઈમ્સ દ્વારા કુલ 63 બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના કેસનો જીનો સિક્વન્સિંગની મદદથી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી 36 દર્દીઓ રસીનો ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27થી ઓછા દર્દીઓએ એક જ ડોઝ લીધો હતો. 10 દર્દીઓએ કોવી-શીલ્ડ લીધી હતી જ્યારે 53 દર્દીઓએ કોવેક્સિન લીધી હતી. આમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.

AIIMSએ કરેલ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થાય તો તેને સફળ સંક્રમણ માનવામાં આવે છે. ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, AIIMSના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક સંક્રમણના ફેલાવા છતાં વૅક્સિન લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. ૬૩ ટકા સફળ સંક્રમણમમાંથી ૩૬ દર્દીઓને બંન્ને ડૉઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૭ લોકોને વૅક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૦ દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો જ્યારે ૫૩ લોકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.

June 5, 2021
petrol-diesel-1.jpg
1min513

દેશના 13પ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લિટરના રૂ.100ને કૂદાવી ગયો છે. ડીઝલના ભાવ પણ સદી નોંધાવવાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇંધણના ભાવોમાં 42 વખત વધારો થયો અને 4 વખત ઘટાડો થયો

સાભાર બિઝનેસ ટુડે

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોને દઝાડી રહ્યા છે. પ રાજ્યની ચૂંટણી વખતે ડામ દેવાનું મોકૂફ રખાયું હતું અને હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દૌર શરૂ થયો છે. વધુ એક વધારા સાથે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.’

બે દિવસના વિરામ બાદ 4 જૂને પેટ્રોલમાં લિટરે ર6-ર7 પૈસા અને ડિઝલમાં ર6 થી 30 પૈસાનો વધારો કરાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ રૂ.94.76 પ્રતિ લિટર, મુંબઈમાં 100.98, કોલકત્તામાં 94.76, ચેન્નાઈમાં 96.ર3ના ભાવે વેંચાયું હતું. કોલકત્તામાં ડિઝલનો ભાવ રૂ.88.પ1 અને ચેન્નાઈમાં રૂ.90.38ને આંબી ગયો હતો.

કટકે કટકે અપાઈ રહેલો ભાવ વધારાનો ડામ અસહ્ય બની ગયો છે. વર્ષ ર0ર1માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ.11.0પ વધી ચૂકયા છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 હતો જે આજે 94.76 થયો છે. તે જ રીતે ચાલુ વર્ષ ડિઝલ લિટરે રૂ.11.79 મોંઘુ થઈ ચૂકયુ છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ 73.87 હતો જે આજે 8પ.66 છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી મોંઘુ રૂ.10પ.80 ના ભાવે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા ડિઝલ પણ ટૂંક સમયમાં 100ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવના છે. મુંબઈમાં પેટ્રોલ 101 ની નજીક અને ડિઝલ 93ની નજીકના ભાવે વેંચાઈ રહ્યું છે.’

June 5, 2021
bankholiday.jpg
1min268

RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે

બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.

એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.

June 4, 2021
juhi.jpg
1min338

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.

જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.

June 3, 2021
rain_forecast.png
1min449

કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થવાના સંયોગો સર્જાયા હોવાની આગાહી હવામાન વિભાગે બુધવારે કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપગ્રહે મોકલાવેલી તસવીરો પ્રમાણે કેરળ પર વરસાદના વાદળો વધ્યા છે અને અરબી સમુદ્ર પર પશ્ર્ચિમી હવાનું દબાણ વધ્યુ છે. ગુરુવારે કેરળમાં વરસાદની ઋતુ શરૂ થવા માટે જોઇતા હવામાનમાં સુધારો થશે. આ કારણસર કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થશે.કેરળમાં સામાન્ય રીતે ૧લી જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. અગાઉ હવામાન વિભાગે ૩૧મી મેના દિવસે કેરળમાં ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. જોકે, એમાં ચાર દિવસ આગળપાછળ થવાની શક્યતા હોય છે, પણ ૩૦મી મેના દિવસે એમણે ફરી આગાહી કરી હતી કે હજુ સમય નથી આવ્યો અને એકાદ દિવસ પછી મોસમની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કરાયો છે.

June 2, 2021
next-step-copy-1280x851.jpg
1min787

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં સેન્ટ્રલ બોર્ડ અને સીઆઇએસસીઇ બોર્ડની ધો.12ની તમામ પરીક્ષાઓ રદ કરી આજરોજ તા.2 જુને કહેવાય છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની વાટે ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેશે.

પરીક્ષાઓ રદ કર્યા પછી શું તેની કોઇ ચર્ચા ક્યાંયે થઇ રહી નથી. એટલે www.cialive.in અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) અહીં આપના ગાઇડન્સ માટે આ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ.

મોટા ભાગના એવા લોકો ખુશ થયા છે કે જેમને ધો.12ના અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી. શાળાના આચાર્યો, શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓ પર શું વિતી રહ્યું હશે તેની કોઇને કલ્પના નથી. પરંતુ, કોવિડ-19માં બહુમતિ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. એટલે તેને શિરોમાન્ય રાખવો પડે.

હવે શું ?

  • ધો.12નું પરીણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર થશે એટલે કે ધો.12નું પરીણામ શું આપવું તેનો બધો દારોમદાર સ્કુલો પર, સ્કુલના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પ્રભાવ ધો.12ના પરીણામ પર પડી શકે એમાં બે મત નથી. (www.cialive.in)
  • ધો.12ના પરીણામ પર ધો.11 અને ધો.10ના પરીણામનો પણ પ્રભાવ હશે.
  • ધો.12નું પરીણામ 99 ટકા જેટલું આવી શકે. કેમકે ધો.11માં બહુ ઓછા વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોય છે. (www.cialive.in)
  • કોલેજોમાં દરેક કોર્સમાં બેઠકો વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે. સોલિડ કોર્સ કન્ટેન્ટ ધરાવતા કોર્સની ડીમાંડ વધશે. કોલેજોમાં એડમિશન્સ માટે ભારે ધસારો થશે
  • કોલેજ એડમિશન્સ હવે મોટા ભાગે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષાઓ) પર આધારિત હશે. પ્રવેશ પરીક્ષાઓ મોટા ભાગે (www.cialive.in) મેડીકલ, પેરામેડિકલ કોર્સ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં યોજાય છે, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધસારો જોવા મળશે. (cialive.in)
  • ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ જેમાં ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇજનેરી વગેરેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા આપવામાં આવ્યો છે, આ કોલેજોમાં ક્યાં તો પ્રવેશના નિયમો બદલાશે અગર તો સંચાલકોને બખ્ખાં થઇ જશે. (www.cialive.in)

એન્ટ્રસ્ટ ટેસ્ટથી પ્રવેશ લેનારાઓની સંખ્યા વધશે

જુદી જુદી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ એન્જિનિયરિંગ અને મેડીકલ-પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે હાલ પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે. અહીં ધો.12ના માર્કસ ફક્ત લાયકાત (એલિજિબિલીટી) તરીકે જ ગણવામાં આવે છે. મેરીટ માટે પ્રવેશ પરીક્ષાનો સ્કોર ગણતરીમાં લેવામાં આવે છે. આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.

તેજસ્વી અને સમજદાર વિદ્યાર્થીઓ કોરોનાકાળ હળવો થયા પછી પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવશે

જે વિદ્યાર્થીઓ તેજસ્વી છે અને જેમણે વિદેશ અભ્યાસ માટે જવું છે તેવા વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનના આધારે ભલે કોલેજમાં પ્રવેશ મેળવી લેશે, પરંતુ, આવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોનાકાળ હળવો થયા પછી લેવાનારી વૈકલ્પિક પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવીને પોતાની મહેનતના આધારે માર્કશીટ મેળવવાનો પ્રયત્ન કરશે. (www.cialive.in)