CIA ALERT

ઇન્ડીયા Archives - Page 121 of 183 - CIA Live

November 9, 2019
tweeter.jpg
2min6940

રામજન્મભૂમિ પર ‘સુપ્રીમ’ ચુકાદો આવે એ પહેલાની અપ ટુ ડેટ ઇન્ફર્મેશન

તા.9-11ની સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ 70 વર્ષથી ચાલી આવતા અયોધ્યા કેસ પર ચુકાદો સંભળાવે એની પૂર્વ સંધ્યાથી દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધા છે.

દેશના તમામ રાજ્યોમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં તા.11મી સુધી સ્કુલ કોલેજ બંધ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં તા.9મી નવેમ્બર 2019ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો. 

વડાપ્રધાન શ્રી મોદીએ 3 ટ્વીટ કરીને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચુકાદો સંભળાવશે

અયોધ્યા જમીન વિવાદના મામલે સુનાવણી કરનાર બંધારણીય બેચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય ચાર અન્ય જજ છે. જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી. વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે. 

સોશ્યલ મિડીયા પર ચોમેર અયોધ્યા

Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat to address the media at 1 pm today, following Supreme Court judgment in #Ayodhya land case.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ શ્રી મોહન ભાગવત આજે તા.9મી નવેમ્બર 2019ના રોજ બપોરે 1 વાગ્યે પત્રકાર પરીષદ મારફતે દેશને સંદેશો આપશે. આજે તેઓ આર.એસ.એસ.ના મુખ્ય પદાધિકારીઓને પણ મળવાના છે.

History of the Case

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો – સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી.

૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી.

અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

November 9, 2019
Ayodhya-Verdict.jpg
1min3030

સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે તા.9મી નવેમ્બર 2019 સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ શ્રી ગોગોઈ સમેત 5 ન્યાયાધીશોની બનેલી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવે એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે તા.9મી નવેમ્બર 2019ની સવારે આપવાની હોવાથી તા.8મીને શુક્રવારની રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે એના માટે બંદોબસ્ત ગોઠવવા માંડી હતી.

બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.

અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ ઘટ્ટ બનતો ગયો હતો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો.

સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો.

શુક્રવાર તા.8મી નવેમ્બર 2019ની સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.

November 8, 2019
old_currency.jpg
1min6610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજથી બરાબર 3 વર્ષ અગાઉ તા.8મી નવેમ્બર 2016ના રોજ ભારતમાં રૂ.500 અને રૂ.1000ના દરની ચલણી નોટો રદ્ કરી દેવાના નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીયો પાસે રૂ.500 અને રૂ.1000ની જે ચલણી નોટો હતી તેને બદલવા માટે તા.8મી નવેમ્બર 2016થી તા.30મી ડિસેમ્બર 2016 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

3 વર્ષમાં ભારતીય ચલણી નોટોની સીકલ બદલાઇ ગઇ

2016ની 8મી નવેમ્બરથી શરૂ થયેલી જૂની નોટોની બંધી બાદ આજે તા.8મી નવેમ્બર 2019 સુધીમાં ભારતીય ચલણી નોટોની સિકલ જ બદલી દેવામાં આવી છે. 2000 રૂ.ની નવી નોટ સાથે રૂ.500ની પણ નવી નોટ બહાર પાડવામા આવી હતી. એ પછી તબક્કાવાર રીતે રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.10ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. ત્રણ વર્ષમાં દરેક રકમની ચલણી નોટોની ડિઝાઇન બદલાઇ ચૂકી છે.

ટ્વીટર પર BlackDay ટ્રોલ

નોટબંધીની આજે ત્રીજી વરસીએ સોશ્યલ મિડીયામાં પ્રત્યાઘાત જોવા મળ્યા. ટ્વીટર પર બ્લેકડે ના હેશટેગ સાથે પાંચ હજારથી વધુ ટ્વીટ જોવા મળી રહી છે. કેટલીક ટ્વીટ ફોટા સાથે કરવામાં આવી છે. જેમકે

મોદી સરકાર પર વ્યંગ નાણાંમાં બધા રંગ છે, બ્લેક કરન્સી જ ગૂમ છે

ટ્વીટર પર આ ઇમેજ ભારે ટ્રોલ થઇ રહી છે. જેમાં ઇન્ડિયન કરન્સી નોટ્સમાં બધા જ કલર આવી ગયા છે પણ બ્લેક કરન્સી ગૂમ હોવા અંગેનો કટાક્ષ મોદી સરકાર પર કરવામા આવી રહ્યો છે.

500 અને 100ની જૂની નોટોને શ્રદ્ધાંજલિ

ટ્વીટર પર એક તસ્વીર આ પણ ખૂબ શેર થઇ રહી છે જેમાં રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ ફોટોમાં જૂની નોટોને હાર પહેરાવવામાં આવ્યો છે.

2000ની નોટમાં ચીપ હોવા અંગેની અફવા પણ આ રીતે ફેલાવાઇ હતી

https://twitter.com/i/status/1192653963570466816

November 8, 2019
maha_bjp_shiv.jpg
1min2880

મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય પક્ષો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ૧૦૫ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી.

બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કૉંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ.

જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો. બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઓ ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન ગુરુવારે રાજ્યપાલે મહારાષ્ટ્રના એટર્ની જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઓ અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઓ છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઓ અક્ષમતા દર્શાવે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઓ છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વૉકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહોંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રક્રિયાઓ છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.

રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહ્યો છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.

November 8, 2019
ayodhya-2.jpg
1min3200

૧૭મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. ૭૮ મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૭૮ મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે. (પીટીઆઇ)

વીએચપીએ રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર વિશેનો ચુકાદો આવવાની તૈયારીમાં છે, ત્યારે વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ ૧૯૯૦ બાદ પહેલી વખત રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું છે.

વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે બધા જ મૂર્તિકારો પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. કોતરણીનું કામ થોભાવવાનો નિર્ણય વીએચપીના વરિષ્ઠ નેતાઓએ લીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠ ૧૭મી નવેમ્બરે ગોગોઇ નિવૃત્ત થાય એ અગાઉ અયોધ્યા મામલાનો નિર્ણય જાહેર કરવાની છે.

શર્માએ જણાવ્યું હતું કે અમે પથ્થરનું કોતરકામ બંધ કર્યું છે અને ફરીથી એ ક્યારે શરૂ કરવું એનો નિર્ણય રામ જન્મભૂમિ ન્યાસ લેશે.

અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વિવિધ પ્રવૃત્તિઓને લગતા બધા જ પ્રસ્તાવિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં વીએચપીએ ૧૯૯૦માં પથ્થરોની કોતરણીનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યારથી મૂર્તિકારો દ્વારા કોતરણીનું કામ સતત ચાલું રહ્યું હતું. આ પહેલી વખત કામ થોભાવવામાં આવ્યું છે.

વીએચપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થરની કોતરણી થઇ ગઇ છે, જે પ્રસ્તાવિત મંદિરનો પહેલો માળ બનાવવા માટે પર્યાપ્ત છે. બાકીનું મંદિર બાંધવા માટે ૧.૭૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થર કોતરવાના બાકી છે.

વીએચપીના કેન્દ્રીય ઉપ-પ્રમુખ ચંપત રાઇએ પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ ચુકાદો હિંદુ કે મુસ્લિમનો ન હોવો જોઇએ. આ સત્ય સ્વીકારવા વિશેનો છે. આ કારણસર વિજ્યોત્સવ ન મનાવતા કે અન્યોને ટોણાં ન મારતાં.

વકીલોની દલીલો અને જજોની ટિપ્પણી પરથી એવું લાગે છે કે ચુકાદો સત્યની તરફેણમાં આવશે અને એ સાંભળીને સમાજમાં ખુશીની લાગણી ફેલાશે. (પીટીઆઇ)

અયોધ્યાના ચુકાદા અગાઉ બેંગલુરુ પોલીસે સતર્કતાના પગલાં લીધા

બેંગલુરુ: અયોધ્યાનો ચુકાદો આવે એ વખતે કોઇ અઘટિત ઘટના ન બને એ માટે બેંગલુરુની પોલીસે અગાઉથી સતર્કતાના પગલાં લીધા હોવાની માહિતી પોલીસ કમિશનર ભાસ્કર રાવે આપી હતી.

રાવે જણાવ્યું હતું કે એમણે સતર્કતાની દૃષ્ટિએ બધા જ પગલાં લીધાં છે. એમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં તેઓ ડીસીપી રેન્કના અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.

ચુકાદો આવશે ત્યારે બધા જ અધિકારીઓ હાજર રહેશે. અર્ધલશ્કરી દળ અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવશે.

ભાઇચારો વધારવાના હેતુથી લઘુમતી અને બહુમતી કોમના વિવિધ જૂથો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. તેઓ બધા જ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા માટે સહમત થયા છે.

રાવે જણાવ્યું હતું કે ચુકાદો જાહેર થયા બાદ તેઓ નિરાશા વ્યક્ત નહીં કરે કે ફટાકડાં ફોડીને અથવા એકબીજા પર રંગ ઉડાડીને આનંદ વ્યક્ત નહીં કરે. પોતાના વિચારો જાહેર કરવા કોઇ જાતનો સૂત્રોચ્ચાર પણ નહીં કરવામાં આવે.

November 7, 2019
ayodhya-2.jpg
1min3230

અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 

૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.

November 7, 2019
indiavsbangla.jpg
1min3090

રાજકોટમાં આજરોજ તા.7મી નવેમ્બર 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ રમાશે. એક તરફ વરસાદનું વિધ્ન આવ્યું છે, અને બીજી તરફ ભારત આ મેચ માટે દબાવમાં છે.ૉ

રાજકોટમાં મહા વાવાઝોડાની ઇફેક્ટસને લીધે બુધવારે રાત્રે વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાય જવા પામ્યા છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.

બાંગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જો કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.’ તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બાટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો. બીજી બાજુ પીચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે, વિતેલાં વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળનાં કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. બોલ બાટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે.

November 7, 2019
housing.jpg
1min3460

સરકારે અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટને આર્થિક સહાય કરવા માટે બુધવારે રૂપિયા ૨૫,૦૦૦ કરોડ ફાળવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર આ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ આપશે, જ્યારે એસબીઆઇ (ભારતીય સ્ટેટ બૅન્ક) અને એલઆઇસી (ભારતીય જીવન વીમા નિગમ) રૂપિયા ૧૫,૦૦૦ કરોડ આપશે એટલે કુલ મળીને રૂપિયા ૨૫,૦૦૦ કરોડ થશે.તેમણે જણાવ્યું હતું કે દેશભરમાંના અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટના ૪.૫૮ લાખ હાઉસિંગ યુનિટને આ આર્થિક લાભ મળશે.સરકારે બાંધકામ ક્ષેત્રે રોજગારી ઊભી કરવા અને સિમેન્ટ, લોખંડ તેમ જ સ્ટીલની માગ વધારવા આ પગલું ભર્યું છે.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નૉન-પરફૉર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંના હાઉસિંગ પ્રૉજેક્ટ્સને રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ઑલ્ટરનેટ રિયલ એસ્ટેટ ફંડનો લાભ મળશે.

ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં સૉવરિન એન્ડ પેન્શન ફંડ પણ જોડાવાની આશા હોવાથી તેની રકમ વધી શકે છે.

November 5, 2019
homes.jpg
1min4870

દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.

હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.

પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.

નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.

November 5, 2019
lic_logo.jpg
1min6120

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.

ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.