CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 90 of 126 - CIA Live

September 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7590

ગુજરાતમાં ટ્રાફિક ભંગના ગુનામાં કેન્દ્ર સરકારે નિયત કરેલી દંડની રકમમાં રાજ્ય સરકારે કેટલોક સુધારો કરીને આજે તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમો અને દંડની રકમ જાહેર કરી છે. જે નીચે મુજબ છે. આ નિયમોનો અમલ તા.16મી સપ્ટેમ્બર 2019થી કરાવવામાં આવશે.

September 10, 2019
rainingujarat.jpg
2min6430

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે. અહીં ગુજરાતના તાલુકવાર કુલ વરસાદના આંકડા પ્રસ્તુત છે, આ પણ આપને માટે જાણવું જરૂરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં –

Gujarat : ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ

  • ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા,
  • છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા,
  • કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,
  • જામનગરમાં ૧૩૭.૪૭ ટકા,
  • બોટાદમાં ૧૩૫.૩૩ ટકા,
  • મોરબીમાં ૧૩૨.૧૫ ટકા,
  • નર્મદામાં ૧૨૪.૫૭ ટકા,
  • વલસાડમાં ૧૨૦.૨૦ ટકા,
  • સુરતમાં ૧૧૯.૯૨ ટકા,
  • સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,
  • પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,
  • રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,
  • નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,
  • ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,
  • જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા,
  • આણંદમાં ૧૦૬.૪૯ ટકા,
  • તાપીમાં ૧૦૬.૪૫ ટકા,
  • વડોદરામાં ૧૦૩.૩૪ ટકા,
  • દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને
  • ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

જળાશયોનું લેટેસ્ટ વોટર લેવલ

રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

  • સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે.
  • ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.
  • વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.
  • કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.
  • દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.
  • આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે.
  • હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે
  • ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

September 9, 2019
saurashtra.png
1min4240

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.

જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.

કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.

સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.

કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.

હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.

માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.

પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.

રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.

September 9, 2019
narmada_dam.jpg
1min3740

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમે ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરી હતી. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નવમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને આઠ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. નર્મદા નિગમના ચીફ ઈજેનરે જણાવ્યું હતું કે હાલ ડેમની ૧૩૬.૧૭ મીટર સપાટી જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી છે અને ૧૩૮.૬૮ મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.

August 28, 2019
Gandhinagar-Gujarat.jpg
1min10420

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી 

વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે. 

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.

August 26, 2019
magic-1280x1771.jpg
1min9190

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min3450

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી છે. તા.25 રવિવારથી લઇને આવનારા પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરોક્ત સ્થળે તથા તા.26 અને 17 ઓગસ્ટે રાજ્યના અનેક પ્રાંતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 26મીએ’ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઓગસ્ટે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

August 24, 2019
nirmala.jpg
1min3260

અર્થતંત્રમાં વ્યાપી રહેલી મંદીને દૂર કરવા માટે મુખ્ય આર્થિક સલાહકારે ગઇકાલે પેકેજ આપવાની ના ભણ્યા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામને થોકબંધ રાહતલક્ષી જાહેરાત કરી હતી. સરકારે ઉદ્દીપક પેકેજ નથી આપ્યું પરંતુ ટેક્સમાં સુધારાની અનેક જાહેરાતો કરતા હવે રાહત મળવાની આશા બંધાઇ છે.

અસંખ્ય નિર્ણયો કે જે અંદાજપત્રમાં કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. સૌથી મોટાં નિર્ણયમાં નાણાપ્રધાને બેંકોને રૂ. 5 લાખ કરોડ આપીને મૂડીકરણ કરવાની જાહેરાત કરી છે. એમાંથી પ્રથમ તબક્કે રૂ. 70 હજાર કરોડ છૂટ્ટા કરાયા છે. સરકારના આ નિર્ણયથી અર્થતંત્રમાં રોકડની તરલતા વધશે. બેંકો, શેરબજાર અને ઓટો ક્ષેત્રને સૌથી વધારે લાભ મળી શકે તેમ છે.

દેશમાં મંદીની અસર નથી એવું નાણાપ્રધાન સતત કહી રહ્યા હતા પરંતુ આજની આ જાહેરાતો સાથે જ સરકારે પણ મંદી હોવાનું સ્વીકારી લીધું હોવાની છાપ સ્પષ્ટપણે ઉપસી છે.
અંદાજપત્ર પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઉપર 15 ટકા સરચાર્જ લાગતો હતો તે 25 ટકા કરાયો હતો. અંદાજપત્રના આ નિર્ણયને નાણાપ્રધાને પાછો ખેંચી લીધો છે.

ટૂંકમાં હવે 15 ટકા જ રહેશે. એ જ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર સરચાર્જ પણ પાછો ખેંચી લીધો છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અર્થાત સીએસઆરના ઉલ્લંઘનને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતુ તેને સ્થાને નાગરિક અપરાધ ગણવામાં આવશે. એના ઉપર કોઇ દંડની કાર્યવાહી નહીં થાય.

સ્ટાર્ટ અપ્સ ઉપર એન્જલ ટેક્સની અંદાજપત્રીય જાહેરાત પણ પરત ખેંચાઇ છે. અંદાજપત્રમાં ઉક્ત નિર્ણયોમાં બદલાવ કરાયા પછી શેરબજારમાંથી કરોડો રૂપિયાનું રોકાણ પરત ખેંચાય ગયું હતુ, હવે રોકાણકારો પાછા આવશે. સોમવારે ખૂલતામાં શેરબજારમાં મોટો ઉછાળો આવે એવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે.

નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને તત્કાળ રૂ. 70 હજાર કરોડનું પેકેજ આપવામાં આવશે. એનાથી સિસ્ટમમાં ફરીથી નાણાં ફરતા થઇ જશે. બેંકો નાણા લોન સ્વરુપે આપે જરુરીયાતમંદોને આપે તે માટે પણ તાકિદ કરવામાં આવી છે. જીએસટીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પણ સીતારામને કહયું છે. ટેક્સ તથા મજૂર કાયદામાં સરકાર સતત સુધારા કરી જ રહી છે. સંપતિનું સર્જન કરનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ અને કંપનીઓના વિલય તથા અધિગ્રહણની પ્રક્રિયા પણ ઝડપથી અમે કરીશું.

બેંકો દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામા ંઆવે છે પણ બેંકો તે ગ્રાહકો સુધી પહોંચાડતી નથી ત્યારે બેંકોએ આ લાભ પસાર કરવો પડશે એ મતલબની સૂચનાઓ તેમણે આપી હોવાનું કહ્યું હતુ. લોન ક્લોઝરના 15 દિવસમાં સિક્યુરીટી માટે જમા કરાવેલા દસ્તાવેજો ગ્રાહકોને પાછા આપી દેવાના રહેશે.

ઓટો ક્ષેત્રમાં સૌથી વધારે મંદી ચાલી રહી છે ત્યારે એ માટે સીતારામને કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવતાબીએસ 4 એંજીનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાની આવશે નહીં. નોંધણી ફીમાં વધારો કરવાનો નિર્ણય પણ જૂન 2020 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે તે રાહતકારી છે. ઇલેકટ્રીક વ્હીકલ પર સરકાર જોર આપી રહી છે પણ તેનાથી પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો બંધ થઇ જશે તેવી આશંકા દૂર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 3.2 ટકા રહેવાની ધારણા છે. વૈશ્વિક માગ ઓછી છે. ચીન અને અમેરિકા જેવા દેશો કરતા ભારતનો જીડીપી ઉંચો છે. અર્થતંત્રમાં મંદી વિસ્તરી ન જાય તે માટે સરકાર કામકાજ કરી રહી છે. ભારત ગ્રોથના ટ્રેક ઉપર જ છે. આર્થિક સુધારા ચાલુ રાખવામાં આવશે.

August 24, 2019
gst.jpg
1min3110

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

August 24, 2019
Narmada1.jpg
1min5180

ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ ૧૩૩ મીટર પાર કરી ગઇ હતી. ૧૩૮.૮૬ મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર ૧૩૩.૩૯ મીટર પર પહોંચી હતી.

સરદાર સરોવરમાં ૯૪૬૦ એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે ૭૭૯૦.૨૦ એમ.સી.એમ (૭.૭૯ લાખ કરોડ લિટર) એટલે કે ૮૨.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ ઐતિહાસિક લેવલ મેળવ્યું છે.

હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા માત્ર ૫૮૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક ૬૬૪૧૦ ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે વર્તમાન સમયે ૪૩૩૦ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ હતો.

ગત વર્ષ કરતાં આ વર્ષે ૩૪૫૯ એમ.સી.એમ. પાણી વધારે છે. ૩૧મી મેના રોજ પાણીનો જથ્થો ૪૯૩૦ એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ૨૮૫૯ એમ.સી.એમ.નો વધારો થયો છે. જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં ગત વર્ષે વર્તમાન સમયે ૬૫૩૧ એમ.સી.એમ. પાણી હતું એટલે કે ૪૬૪૦ એમ.સી.એમ. પાણી આ વખતે વધારે છે. ગત ૩૧ મેના રોજ ૨૦૪ ડેમમાં ૨૬૭૩ એમ.સી.એમ. પાણી હતું એટલે કે અત્યારે ૮૪૯૮ એમ.સી.એમ.પાણીનો જથ્થો વધારે છે.