CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 70 of 126 - CIA Live

March 12, 2020
Rwanda-map-boundaries-cities-locator-1280x1062.gif
3min8880

121 દેશોમાં કોરોનાનો કહેર, વિશ્વ આખું કોરોનાથી ભયભીત છે ત્યારે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં 111 દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસના કહેરથી 4100થી વધુ લોકોનો મોત નિપજ્યા છે અને કમસે કમ 200 કરોડ લોકોમાં જેનો ભારે ભય ફેલાયો છે એવા કોરોના વાઇરસથી વિશ્વમાં એક દેશ રવાન્ડા જે પૂર્વ આફ્રિકામાં આવેલો છે, રવાન્ડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

મહત્વની વાત એ છે કે કોરોના વાઇરસ રવાન્ડામાં નહીં ફેલાય એ માટે તકેદારી તો એટલી જ રાખવામાં આવી રહી છે જેટલી તકેદારી ચીન અને ઇટલી પણ નહીં રખાતી હોય.

રવાન્ડામાં સાર્વજનિક સ્થળો પર પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે. જેમકે પેસેન્જરો બસ કે ટ્રેનમાં ચઢતા પહેલા ફરજિયાત હાથ ધુએ છે અને પછી જ બસ, ટ્રેન કે પ્લેનમાં બેસી શકે છે.

પૂર્વ આફ્રિકામાં આવેલો છે રવાન્ડા દેશ

રવાન્ડામાં જાહેર સ્થળો પર હજારો પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે

https://twitter.com/NewTimesRwanda/status/1237048775526547456

Rwanda is guarding against the spread of coronavirus by flooding its capital with portable sinks for hand-washing at bus stops, restaurants, banks and shops across the capital Kigali.

Rwanda has not recorded any cases of the virus so far but neighboring Democratic Republic of Congo confirmed its first case on Tuesday, making it eight countries in sub-Saharan Africa hit by the epidemic.

At the biggest car park in Kigali, passengers must wash their hands before they board buses – adopting the hygiene mantra advocated by health authorities across the world to tackle the outbreak.

“Authorities advised us to buy these hands washing machines and ask customers to use them. We are doing this to fight the coronavirus outbreak,” said Jimmy Blaise Bugingo, an inspection officer at Alpha Express, a bus company that travels to Congo.

Banks, shops, restaurants as well as bars, have all been equipped with portable wash sinks and customers seem keen to use them.

“I just washed my hands at the bank and I now I just did again,” said Jean Pierre Habimana 48-year-old father of four as he was boarding a bus.

South Africa now has the most confirmed cases of coronavirus in sub-Saharan Africa, with 13. Ivory Coast confirmed its first case on Wednesday. Cases have also been recorded in Nigeria, Senegal, Cameroon, Togo, Burkina Faso and Congo.

March 12, 2020
visa.jpg
1min4390

કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

March 12, 2020
coronavirus.jpg
1min6460

દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ભયાનક રીતે ફેલાયો છે. અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 122289 કેસ નોંધાઈ ચુક્યા છે અને 4389 મૃત્યુઆંક થયો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સત્તાવાર રીતે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી ઘોષિત કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 62 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તેમજ’ કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી તેવા એક વ્યક્તિનું મૃત્યુ થતા હડકંપ મચ્યો છે. મૃતક વ્યક્તિના સેમ્પલ તપાસ માટે બેંગલુરૂની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઈને ડિપ્લોમેટિક, ઓફિશિયલ, યૂએન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને બાદ કરતા વિદેશથી આવતા તમામ લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા તમામ નાગરિકોને જરૂર વિના વિદેશ પ્રવાસ ન કરવાનું સુચન પણ આપવામાં આવ્યું છે.’ ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના ગ્રસ્ત દેશોમાંથી 948 લોકોને બચાવ્યા છે. જેમાંથી 900 ભારતીય હતા અને બાકીના 48 લોકો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોના હતા. વિદેશમંત્રીના કહેવા પ્રમાણે હવે ઈરાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈરાનમાં 6000 ભારતીય અલગ અલગ વિસ્તારમાં છે. જેમાં 1100 શ્રદ્ધાળુ, 200 છાત્ર અને 1000 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે.’ દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં મિલાનથી 80 મુસાફર સાથેનું એક વિમાન ક્રીનિંગ વિના દિલ્હી એરપોર્ટે પહોંચી ગયું હતું. જેથી દિલ્હી એરપોર્ટમાં પાર્કિંગમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ઈટાલીથી આંધ્રપ્રદેશ પહોંચેલા 75 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ઉપર પુરતી દેખરેખ પણ રાખવામાં આવશે.” 15 ફેબ્રુઆરી 2020 બાદ ચીન, ઈટાલી, કોરિયા, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મની ગયેલા ભારતીય સહિત તમામ લોકોને 14 દિવસ હેઠળ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 958નો વધારો થતા કુલ આંક 9000ને પાર પહેંચ્યો છે. જ્યારે સ્પેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ વગેરેમાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

March 11, 2020
indiangovernment.jpg
4min5510

Advisory: Travel and Visa restrictions related to COVID-19

In supersession of all earlier advisories issued on the subject the following advisory is issued for implementation with immediate effect

i.    All regular (sticker) Visas/e-Visas granted to nationals of France, Germany and Spain and issued on or before 11.3.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

ii.    All regular (sticker) Visas/e-Visas (including VoA for Japan and South Korea) granted to nationals of Italy, Iran, South Korea and Japan, and which have been issued on or before 3.3.2020 and who have not yet entered India remain suspended.

iii.    Regular (sticker) Visas/e-Visas granted to nationals of China issued on or before 5.2.2020 suspended earlier, continue to be suspended.

iv.    Regular (sticker) Visas/e-Visas granted to all foreign nationals who have traveled to China, Iran, Italy, South Korea, Japan, France, Germany and Spain on or after 1.2.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

v.    All aforementioned restricted categories of foreign nationals may not enter India from any air, land or seaport ICPs. Those requiring to travel to India due to compelling reasons may seek fresh visa from the nearest Indian embassy/consulate. Italian and South Korean nationals who are granted fresh visa issued after 05.03.2020 should carry ‘Tested Negative for COVID-19’  medical certificate from designated laboratories of Italy and South Korea. 

Similar certificate needs to be carried by Indian nationals coming from Italy and South Korea.

vi.    Visas of all foreigners already in India remain valid. They may contact the nearest FRRO/FRO through e-FRRO module for extension/conversion, etc. of their visa or for grant of any consular service if they choose to do so.

vii.    Holders of diplomatic passports, official passports, officials of UN and other international bodies, OCI cardholders and air-crew from the above eight countries are exempted from such restriction on entry. However, their medical screening on arrival is compulsory.

viii.    All foreign and Indian nationals entering into India from any port are required to furnish a pair of duly filled self-declaration forms (including personal particulars i.e. phone number and address in India) and travel history to health officials and immigration officials at all arrival ports.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min3250

ધૂળેટીની રજા દરમિયાન ભારતાં એક દિવસમાં કોરોનાના 18 નવા કન્ફર્મ કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ કોરોના દર્દી ધરાવતું રાજ્ય બન્યું હોઇ, કેરળમાં લૉકડાઉન સ્થિતિ સર્જી દેવામાં આવી છે. કેરળમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ડેકલેરેશન ફરજિયાત બનાવાયું છે. કેરળમાં યુદ્ધના ધોરણે કોરોનાગ્રસ્ત દર્દીઓ શોધવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ તા.11મી માર્ચે સવારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે.

મંગળવારે ધૂળેટીના દિવસે મહારાષ્ટ્રમાં 5 નવા કેસો, કેરળમાં 8 નવા કેસો, કર્ણાટકમાં 4 અને જમ્મુકાશ્મીરમાં 1 કેસ કોરોનાનો હોવાનું કન્ફર્મ થતાં ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે. કેરળમાં કુલ 1495 લોકોને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

કેરળમાં વધુ છ કેસ: સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ

કેરળમાં મંગળવારે કોરોના વાઇરસના વધુ છ કેસ કનફર્મ્ડ થયા બાદ સરકારે વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે શાળા, કૉલેજ અને સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ કરવા સહિત સખત નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે કેરળમાં કોરોના વાઇરસના કુલ ૧૨ કનફર્મ્ડ કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસ વિશે બોલાવવામાં આવેલી કેબિનેટની ખાસ બેઠક બાદ મુખ્ય પ્રધાન પિનારયી વિજયને પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧૧૬ વ્યક્તિ પર નજર રાખવામાં આવી છે, ૧૪૯ વ્યક્તિને વિવિધ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને ૯૬૭ વ્યક્તિને એમનાં ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલા ક્ધર્ફ્મ્ડ કેસમાં ઇટાલીથી પાછા ફરેલા અને પથનમથિટ્ટા જિલ્લાના રાનેના રહેવાસી પતિ-પત્ની, એમનો પુત્ર તથા એમની સાથે રહેતા સગા અને મિત્રોનો સમાવેશ થાય છે.

મંગળવારે નોંધાયેલા નવા છ ક્ધર્ફ્મ્ડ કેસમાં દંપતીનાં વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થાય છે.

આ સિવાય, કોચીમાં પોતાનાં માતાપિતા સાથે સોમવારે ઇટાલીથી પાછા ફરેલા ૧૧ અને ત્રણ વર્ષનાં બે બાળકનો સમાવેશ પણ થાય છે.

ગયા મહિને આ વાઇરસનો ભોગ બનેલા ત્રણ દર્દીને સફળતાપૂર્વક સાજા કરીને એમના ઘરે મોકલ્યા બાદ કેરળમાં કોરોના વાઇરસના આ બીજા નવા કેસ નોંધાયા હતા.

વિજયને જણાવ્યું હતું કે ૩૧મી માર્ચ સુધી બધી જ શાળા, કૉલેજ અને સિનેમાઘરો બંધ રહેશે.

રાજ્ય, સીબીએસઇ અને આઇસીએસઇ બૉર્ડના ધોરણ ૧થી ૭ બંધ રહેશે અને એમની શરૂ થયેલી પરીક્ષાઓ હાલ સ્થગિત રાખવામાં આવી છે.

જોકે, ૧૦મા ધોરણ, ૧૨મા ધોરણ અને વૉકેશનલ હાયર સેક્ધડરીની પરીક્ષાઓ ચાલુ રહેશે. આઠઠમાં અને નવમાં ધોરણની ફાઇનલ પરીક્ષાઓ સમયપત્રક પ્રમાણે યોજાશે.

આ સિવાય, મદરેસા, આંગણવાડીઓ, ટ્યુશન કલાસીસ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે.

નાટ્યગૃહો અને કલા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, મંદિરો અને ચર્ચના ઉત્સવોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

India’s count of coronavirus cases rose by 18 to 62 with eight testing positive from Kerala, five from Maharashtra, four from Karnataka and one from J&K on Tuesday.

ચીનમાં મરણાંક ૩૧૩૬ : વિશ્વમાં ૪૦૧૧નાં મોત

ચીનના કોરોના વાઈરસે ૧૦૦ દેશને ઝપટમાં લીધા છે. ચીનમાં મરણાંક ૩૧૦૦ ઉપર ગયો છે. વિશ્ર્વભરમાં મળીને ૪૦૦૦થી વધુના મોત થયા છે. ચીન બાદ સૌથી વધુ અસર ઈટાલીને થઈ છે, જ્યાં ૩૦૦થી વધુનાં મોત થયા છે, ત્યાર બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, અમેરિકામાં મોત વધારે થયા છે. ચીનમાં ગઈ કાલે ૩૭નાં મોત થયા છે, તેમાં ૨૦નાં મોત હૉટેલ ધરાશાયી થતા થયા છે. ક્વોરેન્ટાઈન સવલતના ઉપયોગમાં લેવાયેલી હૉટેલ તૂટી પડી હતી જેમાં ૮૧ વ્યક્તિ ટેસ્ટિંગ માટે રખાઈ હતી તે જ તૂટી પડતા ૨૦નાં મોત થયાં છે. ૬૧ વ્યક્તિને બચાવી લેવાઈ હતી જેમાં દસ વર્ષના બાળકનો સમાવેશ છે.

કુઆનઝોની શીનજીયા હૉટેલ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. વાઈરસથી અસરગ્રસ્તોનું ટેસ્ટિંગ થતું હતું. વાઈરસનો ચેપ લાગેલા દર્દીની સંખ્યા ૧,૧૦,૦૦૦ થઈ ગઈ છે, તે જોતાં મરણાંક વધી શકે છે. કોરોના વાઈરસ સહુ પ્રથમ ચીનના વુહાનમાં ડિસેમ્બરના અંતમાં ફેલાયો હતો, ત્યાર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ વાર આ શહેરની મુલાકાતે મંગળવારે ગયા હતા. ચીનમાં ૩૧૩૬નાં મોત થયા છે. સૌથી વધુ મરણ વુહાનમાં થયા છે.

March 10, 2020
rakeshasthana.png
1min3560

સીબીઆઇના વિવાદીત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાના ફરીથી ચર્ચામાં આવ્યા છે. રાકેશ અસ્થાના હવે ગુજરાતના નવા ડીજીપી બની શકે એવી અટકળોને વેગ મળ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડીજીપી સમેત અનેક ઉચ્ચ અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપા હાઇકમાન્ડની ગુડબુકમાં રહેનારા રાકેશ અસ્થાનાના શિરે ગુજરાતના પોલીસવડાની નવી ભૂમિકાનો તાજ પહેરાવવા માટેની હલચલ શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે જ રાકેશ અસ્થાનાની નિમણૂંક ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના અનુગામી તરીકે થઇ શકે તેમ છે.

ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું. પરંતુ, હવે ગુજરાત સરકાર આ બાબતના મતમાં નહીં હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાત ડીજીપી પદ માટે દાવેદાર તરીકે આશિષ ભાટિયાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ સીબીઆઇના કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાનાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. એવા શક્યતાઓ જોવાય રહી છે કે રાકેશ અસ્થાનાને કેન્દ્રના હાલના ડેપ્યુટશનથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય તો નવાઇ નહીં.

March 10, 2020
solar.jpeg
1min3910

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’
સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’

તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.

March 10, 2020
coronavirus.jpg
1min3790

કેરળ, જમ્મુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે પણ વાયુદળનું ખાસ વિમાન મોકલવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાય છે અને ટૂંકાગાળામાં 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને લઈને ચોથાભાગની વસતીને અળગી પાડી દેવામાં આવી હતી. તેમજ ઈટાલીના વડાપ્રધાને દેશવાસીઓને નિયમોની પુરતી અમલવારી કરવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના દુનિયાભરમાં’ 110293 કેસ નોંધાયા છે. જેમાં 3831 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતે ચીનમાં સૌથી ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા હતા. જો કે હવે દક્ષિણ કોરિયા, જર્મનીમાં ઝડપથી નવા મામલા સામે આવી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક મામલે ઈટાલી ચીન પછી બીજા’ ક્રમાંકે પહોંચી ગયું છે. ચીનમાં 3120 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ઈટાલીમાં 366 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઈરાનમાં 194 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ ઓછામા ઓછા 21 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 550 લોકોમાં કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશના આગરા, જમ્મુ કાશ્મીર અને કેરળના એર્ણાકુલમમાંથી એક એક મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં 25 હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસે અંદાજીત પુરી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. ઓછામાં ઓછા 95 દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની ગંભીરતા ઈટાલીના મૃત્યુઆંકથી જ સામે આવી રહી છે. જેમાં રવિવારે અચાનક કોરોના વાયરસથી મૃત્યુઆંક 133થી ત્રણ ગણો વધીને 366 થયો હતો. જેના કારણે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.’

ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓનો પ્રવેશ હંગામી ધોરણે સ્થગિત કરતું કતાર
નવી દિલ્હી તા. 9: કોરોના વાયરસ ફેલાતો રોકવા કતારે ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓના પ્રવેશને હંગામીપણે સ્થગિત કર્યો છે. આ નિર્ણય તળે વિઝા અપોન અરાઈવલ, રેસિડન્સ કે વર્ક પરમિટ ધરાવનારા અને હંગામી વિઝાવાળા પ્રવાસીઓના પ્રવેશને લાગુ પડે છે. દરમિયાન કતાર એરવેઝે 30 જુન સુધીની ફલાઈટ બુક કરાવાનારને નિ:શુલ્ક ટ્રાવેલપ્લાન બદલવા કે ટિકિટના બદલે વર્ષ સુધી વેલિડ ટ્રાવેલ વાઉચર દેવા ઓફર કરી છે.

કોરોનાથી બચવા ઉપાય કરી રહી છે સરકાર
ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ફરી એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સમીક્ષા બેઠક બોલાવી હતી. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાયરસની ચપેટમાં દુનિયાભરના દેશો છે તેમાં બહારથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ફોન મારફતે કોરોના વાયરસ અંગે જાગૃત્તતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 43 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની ચકાસણી માટે 46 જેટલી લેબ કાર્યરત છે. તેમજ રિંગટોન મારફતે લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના 30 એરપોર્ટ ઉપર ક્રીનિંગ થઈ રહ્યું છે. તેમજ હવે સરકાર તરફથી જિલ્લાસ્તરે વધુ તાલિમ પણ આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત લોકોની તાકિદે ઓળખ થઈ શકે.’

March 9, 2020
108.jpg
1min3510

૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.

૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.

March 9, 2020
crude-oil-price-forecast_28242.jpg
1min3130

ઓપેક અને સહયોગી દેશો વચ્ચે મતભેદ પડતા શરૂ થયેલી ક્રૂડ ઓઇલ પ્રાઇસ વોરથી ભારત જેવા મોટા ગ્રાહક ફાયદાકારક પરિસ્થિતિમાં મુકાયો છે. શુક્રવારની બેઠકમાં પ્રતિદિન ૧. ૫ મિલિયન બેરલ્સ પર ડે (એમબીપીડી)ના વધારાના ઉત્પાદન કરતી ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ની દરખાસ્ત સાથે રશિયા સંમત નહીં થતા ક્રૂડ ઓઇલ પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. સાઉદી અરેબિયાએ ઉત્પાદન વૃદ્ધિ જાહેર કર્યુ છે, યુએસ શેલ ઓઇલનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે પ્રોડ્કશન કટ નહીં થતા ક્રૂડના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

એક અગ્રણી બૅંકરે રવિવારે કહ્યું કે ૬૫ ડોલરથી ૪૫ ડોલર પ્રતિ બેરલનો ક્રૂડ ઓઇલનો ભાવ થવાથી ભારતને પ્રતિ વર્ષ ૩૦ અબજ ડોલરની બચત થશે. બીજી બાજુ વૈશ્ર્વિક વ્યાજદર પણ ઘટી રહ્યા છે ત્યારે વૃદ્ધિદરને વેગ મળી શકશે. એક અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો ઘટાડો વાર્ષિક ધોરણે ભારતના આયાતબિલમાં ૧૦,૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરે છે. એક બાજુ નાણાકીય ખાધ વધી રહી છે અને ચાલુ ખાતાની ખાધ પણ વધુ છે ત્યારે આયાત ખર્ચ ઘટવાથી ભારતની આર્થિક સ્થિતિ બહેતર થશે. તાજેતરમાં સબસિડી વગરના કૂકિંગ ગૅસના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.

દરમ્યાન સાઉદી અરેબિયાની કંપની સાઉદી આરામ્કોએ ક્રૂડની કિંમતમાં જંગી ડિસ્કાઉન્ટ ઓફર આપતા રવિવારે કંપનીના શેર્સ ૬.૦ ટકા જેટલા તૂટી ગયા હતા. કંપનીના શેર્સની આઇપીઓ કિંમત ૩૨ સાઉદી રિયાલ હતી જે ઘટીને ૩૧.૯૮ રિયાલ થયા હતા સાઉદી સ્ટોક માર્કેટ ઓપનિંગ બેલ પછીની મિનિટોમાં ૭.૭ ટકા તૂટ્યું હતું.