CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 63 of 126 - CIA Live

May 30, 2020
GPSC.jpg
1min3270

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા ૩૧ મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ૨૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.

May 30, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5260

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક ૪,૭૦૬ પર પહોંચ્યો છે અને એ સાથે જ ભારતે આ મામલે ચીનને પાછળ પાડી દીધું છે. શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાને કારણે વધુ ૧૭૫ જણનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના નવા ૭,૪૬૬ કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના કેસને મામલે ભારતે તુર્કીને પણ પાછળ પાડી દીધું છે અને આ સાથે જ ભારતે કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિશ્ર્વના દેશોમાં નવમું સ્થાન મેળવી લીધું છે.

ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪,૬૩૮ જણનાં મૃત્યુ થયાં હોવા ઉપરાંત કોરોનાના કુલ ૮૪,૧૦૬ કેસ નોંધાયા છે. ભારતમાં પ્રથમ જ વાર એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૭,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. બીવીસ મેથી દેશમાં દરરોજ કોરોનાના ૬૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. ભારતમાં કોરોનાના ૮૯,૯૮૭ સક્રિય કેસ છે તો અત્યાર સુધીમાં ૭૧,૧૦૫ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી વિદેશ સ્થળાંતર કરી ગયો છે.

મતલબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨.૮૯ ટકા દરદી સાજા થઈ ગયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર ૨૯ મે સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં દેશમાં કુલ ૩૪,૮૩,૮૩૮ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૭૦૬ મૃત્યુ થયાં છે. અને ૧,૯૮૨ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે તો ગુજરાત ૯૮૦, મધ્ય પ્રદેશ ૩૨૧, દિલ્હી ૩૧૬, પ. બંગાળ ૨૯૫, ઉત્તર પ્રદેશ ૧૯૭, રાજસ્થાન ૧૮૦, તમિળનાડુ ૧૪૫, તેલંગણા ૬૭, આંધ્ર પ્રદેશ ૫૯, કર્ણાટક ૪૭, પંજાબ ૪૦, જમ્મુ-કાશ્મીર ૨૭, હરિયાણા ૧૯, બિહાર ૧૫, ઓડિશા અને કેરળ પ્રત્યેક ૦૭, હિમાચલ પ્રદેશ ૦૫, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઢ અને આસામ પ્રત્યેક ૦૪ તો મેઘાલય એક મૃત્યુ સાથે ત્યાર પછીના સ્થાને છે.

May 27, 2020
HCQ.jpg
1min3400

ભારતમાં કોવીડ-19ની સ્થિતિમાં નિદાન, સારવાર સમેતની સઘળી કામગીરીનું સંચાલન જેના શીરે છે એ આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હાનીકર્તા સાઇડ ઇફેક્ટ વર્તાતી નથી. આ દવાનો ઉપયોગ કોરોના પ્રીવેન્ટીવ મેડીસીન તરીકે ભારતમાં જારી રહેશે એવી સ્પષ્ટતા પણ આ સંસ્થાએ કરી હોવાનું સત્તાવાર મિડીયા માધ્યમ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું.

May 26, 2020
narmada_dam.jpg
1min2820

નર્મદા બંધ હાલમાં ૧૨૧.૨૮ મીટરે પહોંચ્યો છે. ઉનાળામાં આ સમયે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી નોંધાઈ છે. બંધમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી ગુજરાતના અન્ય જીલ્લાઓમાં ઉનાળુ સિઝનમાં પાણી પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના વીજ મથકના ટર્બાઇન ચાલુ થતાં તેમાંથી ડિસ્ચાર્જ પાણી સીધું જ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ૧૦૭૭૬ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવામાં બંધ સક્ષમ બન્યો છે.

ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પાણીની માગ વધતા સૌની યોજના થકી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની મુખ્ય કેનાલમાં ૫ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા લગાવ્યા બાદ ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. આ વર્ષે પણ સારા વરસાદના એંધાણ છે એટલે નર્મદા બંધના સરદાર સરોવરમાં ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરી શકાશે.

May 26, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min4390

આગામી સપ્તાહે એટલે કે તા. ત્રીજી જૂનની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની પણ આગાહી છે.

પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવો પણ વર્તારો હવામાન ખાતાએ કર્યો છે. ૩જી જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે.

ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ર્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેન્ટ નક્કી કરશે, આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે, જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.

May 24, 2020
Savarkundala.jpg
1min3140

બોરીવલીથી આશરે ૧૫૦૦ જેટલા હીરાના કારીગરો માટે શુક્રવારે મોડી રાતે રવાના થયેલી ટ્રેન Friday બપોરે ૧૨.૩૦ વાગ્યે સાવરકુંડલા પહોંચી હતી. સાવરકુંડલાના હીરાના કારીગર તેમ જ બોરીવલી અને દહિસરના હીરાના કારખાનેદારોએ આખા મુંબઈ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. એક તરફ જ્યાં મુંબઈ શહેરની બહાર જવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ સારી રીતે રજૂઆત કરીને પ્રશાસન અને સરકારની મદદથી આ તમામ લોકો મફતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. અમદાવાદમાં ટ્રેનને બે કલાક હોલ્ટ આપી, તમામ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બોરીવલી અને દહિસરમાં ૭૦૦થી ૮૦૦ જેટલી હીરાની ફૅક્ટરીઓ છે. અહીં મોટા ભાગે ફૅક્ટરીના માલિકો તેમ જ કર્મચારીઓ સૌરાષ્ટ્રના છે.

૧૬ મેના દિવસે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑફ પોલીસને અરજી કરી હતી કે બોરીવલી અને દહિસરમાં રહેતા હીરાના કારખાનેદારોને ત્યાં કામ કરતા કર્મચારીઓને સાવરકુંડલા-સૌરાષ્ટ્ર તરફ જવું છે. અમારી અરજી ઑથોરિટીને ફૉર્વર્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. જોકે પહેલાં અમને જે ટ્રેન આપવામાં આવી હતી એ રાત્રે ૧૨ વાગ્યે સાવરકુંડલા પહોંચી રહી હતી અને સાવરકુંડલાનું તંત્ર એ માટે તૈયાર નહોતું એથી ટ્રેનનો સમય બદલવામાં આવ્યો. એ ઉપરાંત સારી રીતે મુસાફરી કરવા માટે ૩૦ જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું, જ્યાં ગ્રુપ-લીડર નિયુક્તિ કરવામાં આવ્યો. તમામનાં મેડિકલ-ટેસ્ટ કરવામાં આવ્યાં, દરેક વ્યક્તિ કોરોના-મુક્ત છે.

May 22, 2020
flight-1.jpg
1min3150

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. આ વિશે માહિતિ આપતા તેમણે કહ્યું હતું કે, 25મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી 90-120 મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું 3500 અને વધુમાં વધુ ભાડું 10,000 રૂપિયા રહેશે. પ્રવાસીઓએ સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા જણાવવાનું રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણ નથી.

ફ્લાઇટના રૂટ વિશે હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ રૂટને 7 રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. જે નીચે મુજબ છે:

1. 40 મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ

2. 40થી 60 મિનિટ

3. 60થી 90 મિનિટ

4. 90થી 120 મિનિટ

5. 120થી 150 મિનિટ

6. 150થી 180 મિનિટ

7. 180થી 210 મિનિટ

દરેક રૂટ આ ટાઇમલાઇનમાં આવે છે.

પુરી સાથે હાજર એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહે કહ્યું હતું કે, 40% સીટ્સ પ્રાઇસ બેન્ડના મધ્યભાગના નીચલા ભાવે વેચવામાં આવશે. ઉદાહરણ તરીકે 3,500 રૂપિયાથી 10,000 રૂપિયાની પ્રાઈઝનો મધ્યભાગ 6,700 રૂપિયા થાય છે. એટલે આ પ્રાઈસ બેન્ડમાં 40% સીટો 6,700 રૂપિયાથી ઓછી કિંમતે બુક કરવી પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતિ આપતા હરદીપસિંઘ પુરીએ કહ્યું હતું કે, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં રહેતા આપણા 20,000થી વધુ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. જોકે અમુક દેશમાંથી નાગરિકોને પરત આવવાની મંજૂરી મળી નથી તેથી મુશ્કેલી પડી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના પ્રયત્નો હજી ચાલુ જ છે અને આગામી બે અઠવાડિયામાં ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આ પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવશે. 5મી મે બાદ હવાઈ માર્ગે 5 લાખ કિલોમિટર્સનું અંતર કાપવામાં આવ્યું છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસથી જોડાયેલી સમાગ્રીઓ પહોંચાડવામાં આવી હતી. વિદેશથી પણ મેડિકલ સામગ્રી દેશમાં લાવવામાં આવી છે.

May 22, 2020
csc-1280x720.jpg
1min3210

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશભરના અંદાજે ૧.૭ લાખ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતેથી શુક્રવારથી ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરવાની અને આગામી બે-ત્રણ દિવસમાં સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી બુકિંગ શરૂ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તાર જ્યાં કમ્પ્યુટર તેમ જ ઈન્ટરનેટની ઉપલબ્ધતા નજીવી કે બિલકુલ નથી ત્યાં ઈ-સેવા પૂરી પાડવામાં સીએસસી મહત્વની ભૂમિકા ભજવે છે. બે-ત્રણ દિવસમાં ચોક્કસ સ્ટેશનોના કાઉન્ટર પરથી પણ રેલવે ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ક્યા સ્ટેશનો પરથી આ સેવા શરૂ કરવામાં આવશે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જલદી જ વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

દેશમાં જનજીવન સામાન્ય બને તે માટેના પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રમિક ટ્રેન ચલાવવાને મામલે આપેલા સહકાર બદલ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને સહકાર ન આપવા બદલ પ. બંગાળના અને ઝારખંડની આકરી ટીકા કરી હતી. પહેલી જૂનથી શરૂ કરવામાં આવનારી ૨૦૦ પ્રવાસી ટ્રેન માટે પ્રથમ બે કલાકમાં દોઢ લાખ લોકોએ અને માત્ર અઢી જ કલાકમાં ચાર લાખ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

આ ટ્રેનોમાં એસી, નૉન-એસી તેમ જ સંપૂર્ણ રિઝર્વ કોચ હશે, એમ તેમણે કહ્યું હતું.

કામ પર પાછા ફરવા લોકોએ પાછાં આવવાની ટિકિટ કઢાવવાનું પણ શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. ૮-૯ મે સુધીમાં પ. બંગાળમાં અત્યાર સુધીમાં અમે માત્ર ૨૭ ટ્રેન જ દોડાવી શક્યા છીએ અને તેમાંથી માત્ર બે ટ્રેન જ ત્યાં પહોંચી શકી છે, એમ તેમણે કહ્યું હતું. ૨૦મી મેએ ૨૭૯ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં સ્થળાંતર કરનારા શ્રમિકો, વિદ્યાર્થીઓ તેમ જ ઘરમાં ફસાયેલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.

May 20, 2020
trains.jpg
1min3360

પોતાના વતન પરત ફરવા માંગતા પરપ્રાંતિયો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ૧ લી જૂનથી રેલવે દરરોજ ૨૦૦ જેટલી નોન-એસી ટ્રેન દોડાવાશે. એવું રેલવે મિનિસ્ટ્રી દ્વારા ગઈ કાલે જણાવાયું છે. જો કે આ ટ્રેનનું બુકીંગ માત્ર ઓનલાઇન જ કરી શકાશે. ક્યાંથી અને કેટલા વાગે આ ટ્રેન ઉપડશે એની માહીતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલ દેશમાં દોડી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તાત્કાલિક અથવા પ્રીમિયમ તત્કાલ વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ રેલવેની IRCTCની વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે તે અંગે તમને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

May 16, 2020
farmers.jpg
1min3340
  • ખેડૂતો તેમનો પાક આકર્ષક ભાવે વેચી શકે, કોઈ મુશ્કેલી વિના આંતરાજ્ય વેપાર અને ખેતીના ઉત્પાદનોના ઈ-ટ્રેડિંગ માટે ફ્રેમવર્ક તૈયાર કરવા એક કાયદો બનાવાશે: નિર્મલા સીતારમણ
  • સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારા, 1955 (એસેન્ટિયલ કોમોડિટિઝ એક્ટ, 1955)માં સુધારો કરશે. તેલીબિયાં, કઠોળ, બટેટાં જેવી પ્રોડક્ટ્સને તેમાં ડિ-રેગ્યુલેટ કરાશે: નિર્મલા સીતારમણ
  • ઓપરેશન ગ્રીનનો વિસ્તાર ટમેટાં, ડુંગળી અને બટેટાં ઉપરાંત અન્ય બધા ફળ અને શાકભાજી માટે પણ કરવામાં આવશે: નાણા મંત્રી
  • મધમાખી ઉછેર માટે 500 કરોડની સ્કીમ લાવવામાં આવશે. તેનાથી મધમાખી પાલન માટે આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • ગંગા કિનારે 800 હેક્ટર જમીન પર હર્બલ પ્રોડક્ટ્સ માટે કોરિડોર બનાવાશે: નિર્મલા સીતારમણ
  • હર્બલ ખેતીના પ્રમોશન માટે 4,000 કરોડ રૂપિયાની જોગવાઈ. લગભગ 10 લાખ હેક્ટરમાં હર્બલ પ્રોડક્ટ્સની ખેતી થશે. તેનાથી ખેડૂતોને 5,000 કરોડની આવક થશે: નાણા મંત્રી
  • એનિમલ હસબન્ડ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • 53 કરોડ પશુઓના રસીકરણની યોજના અમે લઈને આવ્યા છીએ. તેમાં લગભગ 13,343 કરોડ રૂપિાય ખર્ચ થશે: નાણા મંત્રી
  • પીએમ મત્સ્ય સંપદા યોજનામાં 20,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દરિયાઈ અને આંતરદેશીય મત્સ્ય પાલન માટે અને 9,000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લગાવાશે: નાણા મંત્રી
  • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10,000 કરોડની સ્કીમ લાવવામાં આવી છે. બિહારમાં મખાનાના ક્લસ્ટર, કેરળમાં રાગી, કાશ્મીરમાં કેસર, આંધ્ર પ્રદેશમાં મરચું, યુપીમાં કેરી સાથે સંલગ્ન ક્લસ્ટર બનાવાઈ શકે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • આ ફંડ એગ્રિકલ્ચરલ સ્ટાર્ટઅપ્સ માટે માળખાગત સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે: નાણા મંત્રી
  • ખેતી આધારિત આધારભૂત માળખું બનાવવા માટે 1 લાખ કરોડની યોજના લાવવામાં આવી છે: નિર્મલા સીતારમણ
  • લોકડાઉન દરમિયાન 5000 કરોડની વધારાની લિક્વિડિટીનો લાભ ખેડૂતોને થયો છે: નાણા મંત્રી
  • લોકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ