
- નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
- 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
- સસ્તા મકાનની માગમાં થયેલો વધારા
દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.
નવ શહેરોમાં થયો હતો સરવે
- મુંબઈ
- પુણે
- નોઈડા
- ગુરૂગ્રામ
- બેંગલુરૂ
- ચેન્નઈ
- હૈદરાબાદ
- કોલકાત
- અમદાવાદ
પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.
રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.


















