CIA ALERT

બિઝનેસ Archives - Page 37 of 76 - CIA Live

March 17, 2020
sensex-l-express-photo.jpg
1min11600

વર્ષ ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીની સર્કિટ બાદ બાર વર્ષે પાછલા શુક્રવારે સર્કિટ લાગી હતી. સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત નીચલી સર્કિટ લાગી છે.

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે પણ ધારણાં મુજબ જ કડાકો નોંધાયો છે. જોકે, આ વખતે કડાકો દસ ટકા જેવો ન થયો હોવાથી સર્કિટ લાગુ પડી નહોતી. પાછલા સપ્તાહે શેરબજારમાં બાર વર્ષના વહાણા બાદ સર્કિટ લાગુ થઇ હતી, આ અગાઉ વર્ષ ૨૦૦૮ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે ૧૨ વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગી હતી. વૈશ્ર્વિક બજારોની જે દશા છે તે જોતાં આગાળના દિવસોમાં ફરી સર્કિટ જોવા મળે તો નવાઇ નહીં.

પાછલા સપ્તાહના અંતિમ સત્રમાં બેન્ચમાર્ક નીચલી સર્કિટને અથડાયા બાદ ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી. ભયંકર અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ આ દિવસે ૧૩૨૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં સવારે જ ૩૦૦૦ પોઇન્ટથી મોટા કડાકા સાથે નીચલી સર્કિટ લાગ્યા બાદ ૪૫ મિનિટ પછી ટ્રેડિંગ ફરી શરૂ થતાં જ ઝડપી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સે સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

અમેરિકાથી ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા પ્રવાહિતા વધારની તૈયારી અને અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજની આશા વચ્ચે વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક બેન્ચમાર્કે પણ ઘટાડો પચાવીને સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

જોકે, સોમવારે આપણે જોયું કે અમેરિકાની ફેડરલથી માંડીને જાપાન, કેનેડા, ન્યુઝિલેન્ડ, સ્વીસ, ઇંગ્લેન્ડ અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ ઘટાડવાથી માંડીને સ્ટિમ્યુલસની જાહેરાત કરી હોવા છતાં વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટોની ધ્રુજારી ઓછી થઇ નથી અને મોટાભાગના માર્કેટ

ગબડ્યાં છે.

પાછલા શુક્રવારની સર્કિટ અને રિકવરીની વાત તરફ પાછા વળીએ તો એ દિવસે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં આવેલો ઉછાળો પણ સેન્ટિમેન્ટ સુધારવામાં સહાયક બન્યો હતો. કોરોના વાઈરસના હાહાકારથી ભયભીત બજાર શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાની ૧૫ મિનિટમાં જ આ સ્થળે વ્યકત કરવામાં આવેલી ધારણાં મુજબ જ સેન્સેક્સમાં ૩,૩૦૦ પોઈન્ટ્સ અથવા ૧૦ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ૪૫ મિનિટ બાદ બજારમાં ફરી ટ્રેડિંગ શરૂ થયું ત્યારે રિવર્સ ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ૫,૦૦૦ પોઈન્ટ્સની ઉથલપાથલ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખૂલ્યૂ કે તરત જ શરૂ થયેલા પેનિક સેલિંગમાં બજાર ગગડી ગયું હતું અને નિફ્ટીમાં લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. પરિણામે બજારમાં સર્કિટના વિરામ બાદ ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. આજે સોમવારે પણ બજારમાં સવારના સત્રમાં ભારે કડાકો જોવા મળ્યો પરંતુ તે દસ ટકાથી ઓછો હોવાથી સર્કિટ પણ ન લાગી અને રિકવરી પણ જોવા મળી નહોતી.

હવે આપણે એ જોઇએ કે સર્કિટ શું છે અને ક્યારે લાગે છે. ભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે. સેબીએ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે.

આ માટે પણ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,૨૦૦૧માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.

સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત લોઅર સર્કિટ લાગી છે. સૌથી પહેલા ૨૧ ડિસેમ્બર, ૧૯૯૦માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૬.૧૯ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર ૧૦૩૪.૯૬ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો ૨૮ એપ્રિલ, ૧૯૯૨માં થયો હતો. ત્યારે સેન્સેક્સ ૧૨.૭૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર ૩૮૯૬.૯૦ પર બંધ રહ્યો હતો.

ત્રીજી સ્થિતિ ૧૭ મે,૨૦૦૪માં આવી હતી. જ્યારે શેરબજારમાં ૧૧.૧૪ ટકાનો ઘટાડો થયો હતો, તે સમયે શેરબજારમાં ૪૫૦૫.૧૬ સ્તર પર બંધ રહ્યો હતો. ૨૪મી ઓક્ટોબર,૨૦૦૮માં સેન્સેક્સમાં ૧૦.૯૬ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર ૮૭૦૧.૦૭ પર બંધ રહ્યો હતો.

દરમિયાન શેબજારના પીઢ નિરિક્ષકોએ આ રિકવરી છતાં સાવધ રહેવાની સલાહ આપી છે.

સર્કિટ બાદ ઉછાળો આવ્યો હોવા છતાં બજારના સાધનોએ રોકાણકારોને હાલ તુરત બજારથી સાવધ રહેવાની સૂચના આપી છે, કારણ કે કોરોના મહામારીની નકારાત્મક અસરની તલવાર હજુ પણ લટકી રહી છે.

March 16, 2020
sbii-1.jpg
1min4580

Shares of SBI Cards & Payment Services (SBI Cards) listed at Rs 661, 12.45 per cent below its issue price of Rs 755 on the National Stock Exchange (NSE) on Monday. On the BSE, it opened at Rs 658, 13 per cent lower against issue price

ભારતના રોકાણકારોમાં બહુ જ ગાજેલા અને ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં બેંકને અંદાજે 10 હજાર કરોડનું ભંડોળ મળી ગયા બાદ આજે તા.16મી માર્ચે જ્યારે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ શેરનું લિસ્ટીંગ થયું ત્યારે કોરોના એસબીઆઇ કાર્ડના લિસ્ટીંગની હવા કાઢી નાંખી હતી. અપેક્ષા એવી હતી કે 750ના શેરનું લિસ્ટીંગ 950 સુધી તો થશે જ પરંતુ, એસબીઆઇ કાર્ડના શેરનું લિસ્ટીંગ 115 રૂપિયા down થયું અને પછી સાવ સામાન્ય ભાવે શેર બપોરે 12 વાગ્યા સુધી ટ્રેડ કરી રહ્યો હતો.

એક તબક્કે 12.45 ટકા ડિસ્કાઉન્ટમાં શેર મળતો થઇ ગયો

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કના ક્રેડિટ કાર્ડ એકમ SBI કાર્ડના શેર લિસ્ટીંગનો ફિયાસ્કો થયો હતો. કંપનીના શેરનું આજે સવારે ₹661ના ભાવે લિસ્ટિંગ થયું હતું જે ₹755ના ઓફર ભાવની સરખામણીમાં 12.45 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. જોકે, થોડા સમય બાદ કંપનીના શેરનું 7.2 ટકાના ઘટાડા સાથે ₹700ની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા SBI કાર્ડનો ઈશ્યૂ ભારે ચર્ચામાં રહ્યો હતો પણ કોરોના વાઈરસના ઓથાર હેઠળ આવી ગયેલા શેરબજારમાં મંદીના ભણકારા વચ્ચે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું.

SBI કાર્ડે ₹755ની અપર પ્રાઈસ સાથે ઈશ્યૂ જારી કરીને બજારમાંથી દસેક હજાર કરોડ રૂપિયાનું મૂડી ભંડોળ એકત્રિત કરી લીધું છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હતો. એસબીઆઇ કાર્ડનો આ આઇ.પી.ઓ. 22.45 ગણો છલકાયો હતો.

Yes Bank શેર 50 ટકા અપ

બીજી તરફ યસ બેંક પરથી નિયંત્રણો ઉઠાવી લેવાની ઘોષણાના બાદ આજે સોમવારે પ્રારંભિક ટ્રેડીંગમાં જ શેરબજારમાં યસ બેંકનો શેર છવાય ગયો હતો અને સીધો 50 ટકા અપ થઇને ટ્રેડ થઇ રહ્યો હતો.

March 13, 2020
Coronavirus-Getty-photovs-1280x822.jpg
1min3040

વિદેશીઓના આગમન પર એક મહિના સુધી પ્રતિબંધ મૂકવાના પગલે પ્રવાસન ક્ષેત્રને ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, તેવું ક્ષેત્રના અગ્રણીઓ જણાવે છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઈએટીઓ) અને એસોચેમ જેવી ઉદ્યોગ જગતની સંસ્થાઓ કહે છે કે પ્રવાસન ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે.

MERS-CoV chinese infection Novel Corona virus Jet engine against a middle size plane at the airport on loading aircraft at the International Airport

આઈએટીઓના મહામંત્રી રાજેશ મુડગિલે કહ્યું કે, ‘વિઝા રદ થવાથી સમગ્ર હૉટેલ, એવિયેશન અને ટ્રાવેલ ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે. ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો અમારો અંદાજ છે. એસોચેમ ટૂરિઝમ એન્ડ હૉસ્પિટલિટી કાઉન્સિલના ચેરમેન સુભાષ ગોયલે કહ્યું કે, ‘બુધવારે રાતે વિઝા રદ થવાનું જાહેર થયું હતું. સમગ્ર પ્રવાસન, એવિયેશન અને હોટેલ ક્ષેત્રને પ્રતિકૂળ અસર પહોંચશે. દસ દિવસમાં ટ્રાવેલ, ટૂરિઝમ ઉદ્યોગમાં હિલચાલ બંધ થઈ જશે. દરેક પેઢી ખર્ચમાં કાપ મૂકશે, બિનજરૂરી સ્ટાફને છુટો કરશે અને વધારાના સ્ટાફની ભરતી બંધ કરશે.’

મુડગિલે કહ્યું કે ‘દસ દિવસ પછી પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ તેવી વિનંતી અમે સરકારને કરીએ છે. આ ક્ષેત્રને કરવેરામાં પણ રાહત આપવી જોઈએ.’ફેડરેશન ઑફ હૉટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ગુરુબક્ષસિંહ કોહલીએ કહ્યું કે, ‘કોરોના વાઈરસના સમાચાર પ્રસિદ્ધ થયા તે પછી નવેમ્બરથી હૉટલ રૂમ કેન્સલેશન ૮૦ ટકાથી વધી ગયું છે. એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં એનઆરઆઈ સેગમેન્ટનો ધંધો વધુ થયો હોય છે, પણ આ વખતે નવા બુકિંગ થઈ રહ્યા નથી. એક અન્ય જાણકારે કહ્યું કે ‘વિદેશ જનારા પ્રવાસીઓ પાસેથી કેન્સલ માટે પૂછનારાઓની સંખ્યા ૩૫% જેટલી નોંધાઈ છે. પ્રભાવિત દેશોના વિમાની ભાડાઓમાં લગભગ ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. યાત્રા.કોમના સબિના ચોપરાએ કહ્યું કે ‘હૉટેલના દરોમાં લગભગ ૧૮ ટકા ઘટાડો થયો છે. ભારતની અંદર પ્રવાસ કરનારાઓની પણ અમને કેન્સલ કરવા અંગેની માહિતી પૂછી રહ્યા છે.’

દેશમાં આવનારા, દેશમાંથી બહાર જનારાઓ, દેશની અંદર એમ તમામ ટૂરિઝમ સેગમેન્ટમાં અને તમામ પ્રકારના ટૂરિઝમ વર્ટિકલ્સમાં મંદી નોંધાઈ છે. ટૂરિઝમ સેક્ટરમાં કાર્યરત ઉદ્યોગ ગૃહની વર્કિંગ કેપિટલમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે, જયારે એમએસએમઈ ક્ષેત્રમાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

March 12, 2020
bitcoin.jpg
1min3050

અઠવાડીયા પહેલા જ ક્રિપ્ટો ના કારોબારમાં ઘૂસેલા સટ્ટોડીયાઓની છાતીના પાટીયા બેસી ગયા

ભારતીય શેરબજારો માટે જે રીતે તા.12મી માર્ચ 2020નો દિવસ કાળમુખો રહ્યો અને ઇન્ટ્રા ડે સૌથી તોતિંગ ઘટાડો સેન્સેક્સમાં 2919 અને નિફ્ટીમાં 868 પોઇન્ટ ડાઉન ફોલ જોવા મળ્યો, આ સમાચારમાંથી કળ મળે એ પહેલા તો ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારના લીલીઝંડી આપ્યા બાદ બીટકોઇનના ધંધામાં પડેલા લોકોએ એક જ સપ્તાહમાં ધોળે દિવસે તારા જોવા મળ્યા હતા. આજે બીટકોઇનનો ભાવ કાલના બંધ ભાવ કરતા 1500 યુએસ ડોલર જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Bitcoin (BTC) made further dramatic losses on March 12, falling below $6,000 for the first time since May 2019

આજે આવેલ ક્રિપ્ટોકરન્સીના કડાકાએ પણ સૌને આઘાત પહોંચાડ્યો છે. 7500 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવ્યા બાદ બિટકોઈન આજના ટ્રેડિંગમાં એકાએક ઘટીને 5700 ડોલર સુધી ગગડી ગયો હતો. એકાએક બિટકોઈન 27% તૂટ્યો અને 5700 ડોલર સુધી ઘટીને એકાએક 6500 ડોલર સુધી રિકવર પણ થયો હતો.

સાંજે 5 વાગે બિટકોઈનનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 23%ના ઘટાડા સાથે 6080 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લીલીઝંડી આપ્યા પછી અનેક સટ્ટોડીયાઓ બીટકોઇન સમેત અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોક્યા હતા

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારને લીલીઝંડી આપી હતી. ભારતીય બેંકો ક્રિપ્ટો કરન્સીના કારોબારીઓને બેંકીંગ ફેસેલિટી આપી શકે એ મતલબના સુપ્રીમ કોર્ટના રૂલિંગ બાદ ભારતમાં અનેક લોકો સત્તાવાર રીતે બીટકોઇન તેમજ અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોકવા માંડ્યા હતા. પરંતુ, આજે કોરોના વાઇરસને પગલે બીટકોઇનના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાએ ભારે કરી હતી. હજુ અઠવાડીયા પહેલા જ બીટકોઇમાં લાખો કરોડો રૂપિયા રોકનારા કેટલાક સટ્ટોડીયાઓના આજે છાતીના પાટીયા બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.

March 12, 2020
sensex_down.jpg
2min3600

કોરોના વાયરસના કારણે આજે ભારતીય શેરબજારોમાં ન ભૂતો ન ભવિષ્યતિ ખુંવારી જોવા મળી હતી. એક જ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અભૂતપૂર્વ અગાઉ ક્યારેય નહીં થયો હોય એટલા પોઇન્ટનો ઘટાડો આજે તા.12મી માર્ચે સેન્સેક્સમાં જોવા મળ્યો હતો.

ગુરુવારે બપોરે સાડાત્રણે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 2919 પોઇન્ટસ અને નિફ્ટીમાં 868 પોઇન્ટનું જંગી ગાબડું પડ્યું હતું.

Sensex tanked 2,919 points or 8.18 per cent to close 32,778; while the broader NSE Nifty plummeted 868 points or 8.30 per cent to settle at 9,590

એ પૂર્વે બપોરે અઢી વાગ્યાની સ્થિતિ અનુસાર, સેન્સેક્સના તમામ 30 શેર્સ અને નિફ્ટીના તમામ 50 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીના શેર્સમાંથી મોટાભાગના આજે પોતાની 52 સપ્તાહની સૌથી નીચી સપાટીને પણ સ્પર્શી ગયા છે.

Major laggards -12%

  • Tata Steel,
  • Axis Bank,
  • ONGC,
  • SBI,
  • Mahindra & Mahindra and
  • Reliance Industries with their stocks sliding as much as 12.11 per cent

બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આઈટીસી 13 ટકાના જંગી કડાકા સાથે 151 રુપિયા પર આવી ગયો છે. આજે સૌથી વધુ ઘટનારા શેર્સમાં ITC ટોચ પર છે. જ્યારે સેન્સેક્સમાં સૌથી વઘુ ઘટનારા બીજા શેરમાં એસબીઆઈ રહ્યો છે. બપોરે અઢી વાગ્યે આ શેર 13 ટકાના કડાકા સાથે 213ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ એક્સિસ બેંક 11 ટકા, ઓએનજીસી 63.80 રુપિયાનો નંબર આવે છે.

દિવસના આરંભે

કોરોનાએ સૌથી વધુ ઉદ્યોગધંધાઓને અસર કરી છે. ભારતીય શેરબજારો કોરોનાના ગભરાટને પગલે ખુંવારીનો ભોગ બની રહ્યા છે. આજરોજ તા.12મી માર્ચને ગુરુવારે ભારતીય શેરબજારોમાં ગભરાટભરી વેચવાલી પ્રારંભિક કલાકમાં જ જોવા મળી હતી, તેને પગલે BSE સેન્સેક્સ માર્કેટ ઓફનિંગ બાદ 1700 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. નીફ્ટીમાં પણ 500 પ્લસ પોઇન્ટનો ડાઉન ટ્રેડ જોવા મળતા અનેક રોકાણકારો નાહી ઉઠ્યા હતા.

ગુરુવારે પ્રારંભથી જ જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 1701.18 પોઈન્ટ્સ અથવા 4.77 ટકા ગગડીને 33,996.22 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 502.90 પોઈન્ટ્સ અથવા 4.81 ટકા ઘટીને 9,955.50 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.76 ટકા અને 6.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ 8.52 ટકા, ONGC 8.16 ટકા, SBI 7.06 ટકા, એક્સિસ બેન્ક 7.05 ટકા, ટેક મહિન્દ્રા 5.88 ટકા, ઈન્ફોસીસ 5.84 ટકા, M&M 5.77 ટકા, બજાજા ફાઈનાન્સ 5.71 ટકા અને રિલાયન્સ 5.59 ટકાનો સમાવેશ થાય છે.

March 12, 2020
SBI.jpg
1min5050

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.

March 9, 2020
sensex_down.jpg
1min2650

કોરોના ઈફેક્ટથી શેરબજાર બોટમઆઉટ થવાની આશંકા સાચી પડતી હોય તેમ સોમવારે સવારે પણ ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ 1300 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

કોરોનાની વિશ્વભરના અર્થતંત્ર પર અસર પડવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.

સોમવારે સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1352.07 પોઈન્ટ્સ અથવા 3.60 ટકાના જંગી કડાકા સાથે 36,224.55 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 426.35 પોઈન્ટ્સ અથવા 3.88 ટકા ઘટીને 10,563.10 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.22 ટકા અને 3.29 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે મેટલ, પાવર, ટેકનો, રિયલ્ટી, એનર્જી, FMCG, IT, ફાઈનાન્સ અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે BSEમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC 12 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 8.19 ટકા, LT 7.62 ટકા, રિલાયન્સ 7.49 ટકા, ટાટા સ્ટીલ 6.92 ટકા, પાવરગ્રીડ 5.93 ટકા અને SBI 5.51 ટકાનો સમાવેશ થાય છે.

March 6, 2020
phone-pay-image-1.jpg
1min3210

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર લાદેલા કડક નિયંત્રણો બાદ ફાઇનાન્સિયલ ટેક્નલોજી કંપની PhonePe ની સેવાઓ પણ ભારત તેમજ વિદેશોમાં ખોરવાઇ જવાના અહેવાલો અને ફરીયાદો ઉપસ્થિત થઇ છે. પેમેન્ટ રીસીવ અને પેમેન્ટ કરવા માટે PhonePe ની સેવાઓ નિયમિત લેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોટા ભાગના ગ્રાહકોને એ વાતની ખબર ન હતી કે યસ બેંક એ PhonePe ની પાર્ટનર કંપની છે અને તેના પર લદાયેલા નિયંત્રણોને કારણે PhonePe ની સેવાઓને ભારે અસર પહોંચી છે.

યસ બેન્ક પર લાગેલ રોક બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારિત લેવડદેવડ અટકી ગઈ છે અને તેનાથી બેન્કનાં સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર PhonePe ખરાબ રીતે સંકટમાં ફસાઈ છે. 

PhonePeના CEO સમીર નિગમે ટ્વિટર પર ગ્રાહકોને જણાવ્યું છે કે લાંબી અડચણ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમારી પાર્ટનર બેન્ક પર RBIએ પ્રતિબંધ લગાડી દીધા છે. તેઓએ કહ્યું હતું કે અમારી સમગ્ર ટીમે રાત દરમિયાન સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.

એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે કંઈપણ હોય, આ એક લેવડદેવડ કરે છે જેને કારણે બેંકે કામ બંધ કરવું પડ્યું છે. 

https://twitter.com/_sameernigam/status/1235735713166942208

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાંકીય કટોકટીને પગલે ખાનગી બેન્ક, યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

March 6, 2020
Sensex-down_.jpg
1min3190

કોરોનાના હાઉ વચ્ચે આજે તા.6 માર્ચ 2020ને શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે સવારે મોર્નિંગ બેલ વાગતાની સાથે જ ઉઘડતા બજારે ભારતીય શેરબજારો જમીનદોસ્ત જોવા મળ્યા હતા. સેન્સેક્સ 1400 પ્લસ ડાઉન રેન્જમાં જોઇને કેટલાક તો બોલી ઉઠ્યા હતા કે સેન્સેક્સ હવે લોકોને નવડાવવાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ છેલ્લા સપ્તાહમાં લાખો કરોડ રૂપિયા સેન્સેક્સે ભારતીયોના ધોઇ નાંખ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે સપ્તાહના આખરી કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે.

સવારે 9 વાગીને 15 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 1441.82 અંકોના ઘટાડા બાદ 37,028.79 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 403.15 અંક કમજોર થઈને 10,865.85 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી સેન્સેક્સ 1162.30 અંક (3.02%) ઘટીને 37,308.11 અને નિફ્ટી 351.10 (3.12%) અંક તૂટીને 10,917.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 1 શૅર લીલા નિશાન પર અને 49 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

શૅર બજારના સેન્સેક્સે ગુરૂવારે પોતાનો શરૂઆતનો વધારે લાભ ગુમાવી દીધો અને આ 61 અંકના નુકસાન સાથે બંધ થયું. બૉમ્બે શૅર બજરાના 30 શૅરોવાળા સેન્સેક્સ દિવસમાં કારોબાર દરમિયાન 478 અંક સુધી ચઢ્યા બાદ અંતમાં 61.13 અંક એટલે 0.16%ના લાભ સાથે 38,470.61 અંક પર બંધ થયું. આવી જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 અંક એટલે 0.16%ના મામૂલી વધારા સાથે 11,269 અંક પર બંધ થયું.

બજારમાં ઘટાડાના કારણે શૅર બજારને લઈને રોકાણકારોની કમજોરી ધારણા, યસ બૅન્કથી પૈસા નીકાળવાને લઈને આરબીઆઈની અધિસૂચના પ્રમુખ રહી. એ સિવાય દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમ પણ ઘટાડાનું કારણ બન્યા.

બજાર ખુલતાની સાથે મોટા ઘટાડાથી 5 લાખ રોકાણકારોના ઘણા પૈસા સ્વાહા થઈ ગયા. શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો પણ ઘટીને 74ના સ્તર પર પહોંચી ગયા.

March 6, 2020
yes-bank.jpg
1min3240

ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.

બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં

નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.

આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.

કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.

નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.

એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.

૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.