CIA ALERT

બોલીવુડ Archives - Page 5 of 12 - CIA Live

October 8, 2020
riya-chakravarthi.jpg
1min3230

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.

September 29, 2020
aiims.jpeg
1min9830

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 22, 2020
deepika_padukone.jpg
1min3810

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

August 12, 2020
sanjaydutt.jpg
1min3520

સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટને કારણે કામમાંથી બ્રેક લેવાની ઘોષણા કર્યા બાદ, કેન્સર હોવાના રિપોર્ટ્સથી ફેન્સમાં ખળભળાટ, એક્ટરે કહ્યું – જલ્દી પાછો આવીશ

બૉલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવાર 11 ઑગસ્ટના રોજ અચાનક કામમાંથી બ્રેક લેવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા. સંજયે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણય અંગે ફેન્સને જાણકારી આપી. આના પછી ફેન્સ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. સંજયે એમ પણ કહ્યું કે, તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે શોર્ટ બ્રેક લઈ રહ્યા છે. જોકે, તેણે ફેન્સને ચિંતા ન કરવા અને અનુમાન ન બાંધવા માટે કહ્યું છે. જો કે, હવે કહેવાઈ રહ્યું છે કે સંજયને ફેફસાનું કેન્સર ડિટેક્ટ થયું છે અને તે ટ્રીટમેન્ટ માટે સિંગાપોર જવાના છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સંજયનું કેન્સર સ્ટેજ-3માં પહોંંચી ચૂક્યું છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું કે – હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે નાનકડો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને દોસ્તો મારી સાથે છે અને મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે, ચિંતા ન કરે અને બિનજરૂરી અનુમાન પણ ન લગાવે. તમારો પ્રેમ અને દુઆઓના સહારે ટૂંક સમયમાં કમબેક કરીશ.

કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે અને તે ટૂંક સમયમાં ટ્રીટમેન્ટ માટે વિદેશ જઈ શકે છે. પબ્લિશર અને ફિલ્મ રિવ્યૂઅર કોમલ નાહટાએ પણ ટ્વીટ દ્વારા એવી જાણકારી આપી છે કે, સંજયને કેન્સર થયું છે.

સંજયે પોતાની પોસ્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેને શું થયું છે. તે ગત સપ્તાહે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે 8 ઑગસ્ટના એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે પૂર્ણ રીતે સ્વસ્થ છે અને મેડિકલ દેખરેખ હેઠળ છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. સંજય દત્તે જણાવ્યું હતું કે, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે.

સંજયની ફિલ્મ ‘સડક 2’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ખૂબ જ ખાસ રોલમાં છે. આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર ફિલ્મના લીડ રોલ્સમાં છે. સોમવારે જ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરાયું હતું. આ ઉપરાંત સંજય ‘KGF 2’માં મહત્વની ભૂમિકામાં દેખાશે. 29 જુલાઈએ સંજયના જન્મદિવસ પર આ ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક રજૂ કરાયો હતો, જેની ઘણી ચર્ચા થઈ રહી હતી. આ ઉપરાંત તે અજય દેવગણની ‘ભુજ- ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ ‘પૃથ્વીરાજ’ અને ‘ટોરબાઝ’માં પણ જોવા મળશે.

July 26, 2020
ar-rahman.jpg
1min3110

Oscar વિજેતા બોલીવૂડ મ્યુઝીક કમ્પોઝર એઆર રહેમાને બોલીવૂડના કાળા ચહેરાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે, પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટરનુ કહેવુ છે કે બોલીવૂડની એક ગેંગ તેમની વિરુદ્ધ અફવાઓ ઉડાવી રહી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવામા નથી આવતુ. તેઓ હાલમાં રિલીજ થયેલી દિલ બેચારાના મ્યુઝિક ડાયરેક્ટર છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે જેના રિલીજ થયા પહેલા જ એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. 

ઓછી હિન્દી ફિલ્મોમાં કામે કરવા બદલ એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે હું સારી ફિલ્મોને ના નથી કહેતો, પરંતુ કોઇ ગેંગ છે જે મારા વિરુદ્ધ અફવા ઉડાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના લીધે સમગ્ર દેશ ચોંકી ગયો હતો. પોતાના પ્રિય અને પ્રતિભાશાળી એક્ટરના આ પગલાથી બોલીવૂડ સહિત પ્રસશંકો ડઘાઇ ગયા હતા. જોકે સુશાંતની આત્મહત્યા પછી બોલીવૂડમાં નેપોટીઝમનો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઘણા દિગ્ગજ કલાકારો સુશાંત સિંહની આત્મહત્યા પાછળ મોટા ડાયરેક્ટર્સ દ્વારા સુશાંતની અવગણના અને તેની વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. સુશાંત સિંહે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવુ પગલુ ભરી લીધુ હતું. 

July 24, 2020
amitabh-bachchan-denies-covid-19-negative-1280x718.jpeg
1min3150

બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!

June 11, 2020
jageshmukati.jpg
1min4030

2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.

અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.

જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.

June 4, 2020
basu_chatterji.jpeg
1min3280

ગુરુવારે સવારે રૉમેન્ટિક ફિલ્મોના ભગવાન કહેવાતા ફિલ્મમેકર-ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઉંમરને લગતી બિમારીઓને લીધે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

ફિલ્મમેકર અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ અસોસિએશનના પ્રમુખ અશોક પંડિતે ટ્વીટર પર તેમના નિધનના સમાચાર આપ્યા હતા. ટ્વીટમાં અશોક પંડિતે લખ્યું હતું કે, લેજન્ડરી ફિલ્મનિર્માતા બાસુ ચેટર્જીના નિધનના સમાચાર આપતા મને અત્યંત દુ:ખ થાય છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે બે વાગે સાંતાક્રુઝની સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.

બાસુ ચેટર્જી ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘બાતો બાતો મેં’, ‘એક રૂકા હુઆ ફૈસલા’, ‘ચમેલી’ અને ‘ચિતચોર’ જેવી હીટ ફિલ્મો માટે જાણીતા છે. તેમણે માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ અનેક બંગાળી ફિલ્મો પણ ડિરેક્ટ કરી હતી. આ સિવાય તેમણે દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ‘બ્યોમકેશ બક્ષી’ અને ‘રજની’ પણ ડિરેક્ટ કરી હતી.

મધુર ભંડારકર, ડાયરેક્ટર અશ્ચિનિ ચૌધરી, સુપર્ણા એસ વર્મા વગેરે સલેબ્ઝે ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો હતો.

June 1, 2020
sajid-wajid.jpg
1min3370

બોલીવૂડ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે. બોલીવૂડના જાણીતા સિંગર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. સાજિદ અને વાજિદની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબજ પ્રખ્યાત હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ઘણા લાંબ સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કિડનીની સારવાર દરમિયાન જ્યારે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાજિદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. વાજિદ ભાઈના વિશે એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે તેમનું સ્મિત.  તેઓ હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનારા લોકોની પ્રતિ મારી સંવેદના. ભગવાના તમારી આત્માને શાંતિ આપે. 

સાજિદ-વાજિદે સૌથી પહેલા 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’ ફિલ્મ માટે મ્યુઝિક આપ્યુ હતું. ત્યારબાદ 199માં સોનૂ નિગમની આલ્બમ દીવાના માટે મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સલમાન ખાનની ફિલ્મ દંબગ, વોન્ટેડ, જય હો જેવી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યુ છે. સાજિદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહરાનપુરના જાણીતા તબલાવાદક શરફત અલી ખાનના પુત્ર છે.  

May 13, 2020
sunnyleone.jpg
1min3570

ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.

સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.

વાંચો અહીં સન્ની લિયોનીએ શું પોસ્ટ કર્યું છે

સન્ની લિયોનીના પતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું

View this post on Instagram

Getting better with the new vibes !!!

A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on