કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી પણ વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આખરે પોતાના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે લેખિતમાં ખેડૂતોની તમામ માગણી માની લેતા તેમજ સંસદમાં કાર્યવાહી કરીને કાયદા પણ પરત ખેંચી લેતા આ આંદોલનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં આ આંદોલનનો પ્રારંભ થયો હતો. બંને પક્ષો વચ્ચે અનેકવાર વાતચીત થઈ હતી, જે નિષ્ફળ રહી હતી. આ આંદોલન 378 દિવસ ચાલ્યા બાદ આજે Dt.9/12/21 પૂરું થયું છે.
દિલ્હીની સરહદો પર ધરણા કરી રહેલા ખેડૂતો 11 ડિસેમ્બરે વિજય યાત્રા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી જશે. આંદોલનકારી ખેડૂતો સુવર્ણમંદિર જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓના જણાવ્યા અનુસાર, આંદોલનની સમાપ્તી બાદ પણ 15 જાન્યુઆરીના રોજ તેઓ એક રિવ્યૂ મિટિંગ કરીને સરકારે આપેલા વાયદા પર કેટલું કામ થયું તેની સમીક્ષા કરશે. આંદોલન ખતમ કરવાનો નિર્ણય આજે મળેલી ખેડૂતોના યુનિયનની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારે ટેકાના ભાવ અંગે એક સમિતિ બનાવવા તેમજ ખેડૂતો વિરુદ્ધ થયેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવાનું આશ્વાસન આપતા આંદોલનની પૂર્ણાહૂતિ જાહેર કરાઈ હતી.
કેન્દ્ર સરકારના કૃષિ સચિવે પોતાના લેટરપેડ પર ખેડૂતોને આ અંગે ખાતરી આપી હતી. આ ઉપરાંત, યુપી અને હરિયાણાની સરકાર આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખેડૂતોને વળતર ચૂકવશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા અપાઈ છે. ખેડૂત નેતાએ આંદોલનની પૂર્ણાહૂતિની જાહેરાત કરતા તેને કારણે લોકોને પડેલી તકલીફો બદલ ક્ષમા પણ માગી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેની સામે ખેડૂતોને સખ્ત વાંધો હતો. આ જ મામલે એનડીએના સાથી પક્ષ રહેલા અકાલી દળે સરકાર સાથે છેડો પણ ફાડી નાખ્યો હતો.
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધી 4 મૃતદેહ મળી આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની સહિત 9 લોકો સવાર હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું અનુમાન છે.
હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત (પત્ની) 3. Brig LS લિડ્ડેર, SM, VSM 4. LT/COl હરજિન્દર સિંહ 5. NK ગુરસેવક સિંહ 6. NK જિતેન્દ્ર કુમાર 7. L/NK વિવેક કુમાર 8. L/NK બી સાઈ તેજા 9. સતપાલ
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ નીલગીરી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર IAFનું Mi-17V5 હતું. અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાસિંહને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ વડાપ્રધાન મોદીને આ અંગે માહિતી આપી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.
શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.
દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.
દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે.
આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં. એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.
મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.
એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.
ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના સંક્રમણમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રવિવાર મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 9 અને દિલ્હીમાં 1 વ્યક્તિને ઓમિક્રૉન વૅરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરાઈ છે. આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વૅરિયન્ટને સતત ચિંતાનો વિષય ગણાવી રહ્યું છે. 3/12/21 ગત શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે સંક્રમણની સંખ્યાના હિસાબે આ વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટને પાછળ છોડી દેશે.
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવ કેસ નોંધાયા છે. નવા સાત કેસ પૈકી છ કેસ પીંપરી-ચિંચવાડમાં નોંધાયા છે અને એક કેસ પુણેનો હોવાનું જાણવા મળ્યું છે.
5/21/21 રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.
કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.
ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.
લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.
ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.
NIFT Admission 2022: Important dates
Event
Dates
Last date to apply online
January 17, 2022
Registration with late fee of Rs. 5000
January 18 to 22, 2022
NIFT Admit Card release date
January 29, 2022
NIFT Entrance Exam 2022 date
February 6, 2022
Result of Written Entrance Examination
March 2022
Situation Test/ Group Discussion/ Interview
April 2022
Last date for online registration for foreign nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)
May 2022
Counselling
May-June2022 onwards
NIFT Admission 2022: How to apply online
1) Register yourself for the online application process at http://niftadmissions.in/. 2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.
3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form
4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.
5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).
6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.
7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.
NIFT Admission 2022: Scheme of examination
Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.
૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.
ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.