ભારતીય શેરબજાર (Share Market)માં Dt. 20/1/22 સળંગ ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે અને બજાર ત્રણ દિવસની અંદર 1600 પોઇન્ટથી વધારે નીચે ગયું છે. આ લખાય છે ત્યારે BSE Sensex 554 પોઇન્ટ અથવા 0.93 ટકા ઘટીને 59544 પર હતો. જ્યારે નિફ્ટી (Nifty 50) ઇન્ડેક્સ 148 પોઇન્ટ ઘટીને 17790 પર હતો. થોડા સમય અગાઉ સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી નીચે ઉતર્યો હતો.
BSE પર બ્લૂ ચિપ શેરોમાં HDFC માં 2.17 ટકા, ઇન્ફોસિસ (Infosys)માં 2.10 ટકા અને બજાજ ફિનસર્વ (Bajaj Finserv) માં 2.09 ટકાનો ઘટાડો થયો હતો.
BSE સેન્સેક્સના 30માંથી 20 શેરો ઘટ્યા હતા. વધેલા 10 શેરોમાં પાવરગ્રીડ (3.57 ટકા), અલ્ટ્રાટેક (Ultratech) (0.94 ટકા) સામેલ હતા. આ ઉપરાંત ભારતી (Airtel) એરટેલ, (0.89 ટકા) મારુતિ (Maruti), NTPC, નેસ્લે (Nestle), ટાટા સ્ટીલ (Tata Steel) અને ટાઈટન (Titan)ના શેર ઊંચકાયા હતા.
BSE સેન્સેક્સે 60,000ની મનોસંવેદી સપાટી તોડી હતી જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 17900થી નીચે ગયો હતો.
આ ઘટાડો વધારે મોટો અને વ્યાપક હોત, પરંતુ ઓઇલના ભાવ વધ્યા પછી થોડા ઘટ્યા હોવાથી થોડો ટેકો મળ્યો હતો. આ ઉપરાંત US બોન્ડ યીલ્ડ વધી છે અને ડોલર સ્થિર છે. જાપાનનો નિકાસનો ડેટા પોઝિટિવ છે તથા ચાઈનીઝ સેન્ટ્રલ બેન્કે બે મહિનાની અંદર બીજી વખત લેન્ડિંગ રેટ ઘટાડ્યા છે જેના કારણે એશિયન માર્કેટમાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વી કે વિજયકુમારે એક નોટમાં જણાવ્યું કે યુએસમાં નાસ્ડેક તેની નવેમ્બર 2021ની ટોચ પરથી 10 ટકા નીચે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવા મળશે. પરંતુ ભારતીય રોકાણકારોએ વધતા વૈશ્વિક ફુગાવા અને મોનેટરી ટાઇટનિંગના કારણે સાવધ રહેવાની જરૂર છે. કમસે કમ 2022ના પ્રથમ છ મહિના સુધી આવી સ્થિતિ રહેશે.
સેન્સેક્સના ઘટેલા શેરોમાં આઇટી કંપનીઓમાંથી ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રા (Tech Mahindra) જેવા હેવીવેઈટ સામેલ છે.
ICIC લોમ્બાર્ડ (ICICI Lombard) ડિસેમ્બર ક્વાર્ટરનના નબળા પરિણામ પછી લગભગ છ ટકા ઘટીને રૂ. 1340 થયો હતો. બજાજ ઓટો (Bajaj Auto)નો શેર 0.7 ટકા ઘટીને 3419.70 થયો હતો. આ ટુ વ્હીલર કંપનીએ સંગઠીત કરબાદ નફામાં 17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ ઉપરાંત ટાયર ઉત્પાદક સિયેટ (Ceat) નો શેર ચાર ટકા ઘટીને 1086 થયો હતો. સિયેટે નબળી માંગના કારણે રૂ. 20 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે.
રાજ્યમાં સત્તાવાર કોરોના મૃત્યઆંક હજુ પણ 10 હજાર છે જ્યારે વળતર માટેની અરજીઓ 90000 જેટલી થઈ ગઈ છે. જે પૈકી 68000ને તો સરકારે રુ. 50000 વળતર ચૂકવી પણ દીધું છે.
કોવિડ-19 માટે રૂ. 50,000 ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા 10,094 (જાન્યુઆરી 16 સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.
પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ-19 પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી છે. તેમાંથી, સરકારે પહેલેથી જ 68,370 દાવાઓને મંજૂરી આપી છે. જ્યારે ચકાસણી બાદ 4,234 અરજીઓ ફગાવી દીધી છે. જો કે, 17,000 થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.
અન્ય ઘણી રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે SCને માહિતગાર કરે છે. અગાઉ, રાજ્ય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજ્ય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરુ વલણ અપનાવ્યું હતું. જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.
પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-19 મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ. 17 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 10,164 કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી 53% મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે ICMR માર્ગદર્શિકાનું પાલન કરે છે.
“ICMR માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન 2020 અને 2021 બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.
તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર ‘કોવિડ મોર્ટાલિટી ઈન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયું છે અને તે કેનેડા, ભારત અને યુએસના 11 સંશોધકો દ્વારા લખવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે 2021 માં એકંદરે તમામ કારણે મૃત્યુ 2018-19ની સરખામણીએ ગુજરાતમાં 230% વધુ હતા – જે સર્વેમાં આવરી લેવામાં આવેલા અન્ય ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. અનુમાન મુજબ, ગુજરાતમાં મૃત્યુઆંક એપ્રિલ-મે 2021 દરમિયાન સરેરાશ 17,000 પ્રતિ માસથી વધીને 39,000 પ્રતિ મહિને નોંધાયો હતો. સર્વે હેઠળ આવરી લેવાયેલા 16 ભારતીય રાજ્યોમાં આ સૌથી વધુ હતું.
યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન
2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.
આજે તા.8મી જાન્યુઆરી 2022ના રોજ રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલે બેઠક યોજીને ખોડલધામ પાટોત્સવની મહાસભા મૌકૂફ રાખીને સમગ્ર કાર્યક્રમ ભાવિકો માટે ઓનલાઇન લાઇવ દર્શાવવાની યોજના અંગે માહિતગાર કર્યા હતા.
બાદમાં નરેશ પટેલે આ બાબતોની જાણકારી આપવા માટે યોજાયેલા પ્રેસ-કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે સરકારી ગાઇડલાઇન અનુસાર ફક્ત 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો જુદા જુદા સોશ્યલ મિડીયા માધ્યમ દ્વારા ઓનલાઈન આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કપડા ઉત્પાદન ક્ષેત્રમાં સુરતીઓ ભારે ક્રિએટીવ છે, જો તમારે સુરતમાં બિઝનેસ કરવો હોય તો દરેક વખતે તમારે કંઇક નવું જ પ્રદાન કરવું પડે એવું વિધાન અન્ય કોઇએ નહીં પણ આધુનિક ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રની વૈશ્વિક કંપની ઇટેમીના એશિયન મલ્ટી નેશન હેડ સમીર કુલકર્ણીએ આજે સિટેક્ષ એક્ષ્પો 2022ના ઉદઘાટન સમારોહમાં કર્યું હતું. ટેક્ષટાઇલ ક્ષેત્રમાં ઉપલબ્ધ અત્યંત આધુનિક મશીનરીઓના લાઇવ ડેમો દર્શાવતા સિટેક્ષ એક્ઝિબિશનને આજે કેન્દ્રના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષે સુરતી વીવીંગ, નીટીંગ અને એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે ખુલ્લો મૂક્યો હતો.
વિશ્વમાં કપડા ઉત્પાદન ક્ષેત્રમાં હાલ યુરોપ અને ચાઇનાની દિગ્ગજ કંપનીઓ દ્વારા બનાવાતી લેટેસ્ટમાં લેટેસ્ટ મશીનરીઓની શ્રેણીબદ્ધ નિદર્શન જો માણવું હોય તો સરસાણા સ્થિત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સિટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેવી પડે. આજે ઉદઘાટન સમારોહ દરમિયાન જાણે કન્વેન્શન સેન્ટર આખું જ એક ફેક્ટરીમાં તબદીલ થઇ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આજે ઉદઘાટનની સાથે જ સુરતમાં ગ્રે કાપડ તૈયાર કરતા વીવીંગ કારખાનેદારો, નીટીંગ કારખાનેદારો, વીવીંગ કારખાનેદારો, મિલ માલિકો સરસાણા કન્વેન્શન સેન્ટરમાં એ જોવા માટે ઉમટી પડ્યા હતા કે તેમની ફેક્ટરીમાં હાલ ચાલી રહેલી મશીનરી કરતા કઇ મશીનરી અદ્યતન અને ઝડપી છે. હાઇસ્પીડ ટેક્ષટાઇલ મશીનરીની લોકલથી લઇને ગ્લોબલ બ્રાન્ડ લઇને સિટેક્ષ એક્ષ્પોમાં 80થી વધુ બ્રાન્ડસની મશીનરીના લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળી રહ્યા છે. સિટેક્ષ એક્ષ્પોમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે. તમામ સેકટર્સના એકઝીબીટર્સને આજે પહેલા જ દિવસે સુરતના કારખાનેદારો તરફથી જંગી ઇન્કવાયરીઓ સાથે ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
સુરતમાં સૌપ્રથમ આજે સિટેક્ષ એકઝીબીશનમાં યુરોપિયન મશીન મેન્યુફેકચરર્સ જેવી કે સ્ટૉબલી અને ઇટેમા કંપનીઓ દ્વારા પોતાના ટેકસટાઇલ મશીનરીનો લાઇવ ડેમો દર્શાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા મુલાકાતીઓ આ મશીન જોવા માટે જ ધસારો કરી રહ્યા છે. આ ઉપરાંત 5376 હૂક ધરાવતું હાઇ સ્પીડ રેપીયર વીથ જેકાર્ડ, ઓટોમેટીક નોટીંગ મશીન, ઓટોમેટીક ડ્રોઇંગ મશીન અને હાઇ સ્પીડ એરજેટ મશીન જોઇને ગ્રે કાપડ ઉત્પાદન કરતા કારખાનેદારો પણ બે ઘડી અચંબિત થઇ રહ્યા હતા. આ કંપની ર૮ હજાર હુક સુધીનું જેકાર્ડ મશીન મેન્યુફેકચરીંગ કરે છે.
– કાર્ટુન પર ઇલાસ્ટીક ટેપ પેક કરવા માટે ફેસ્ટુનીંગ મશીન
– ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મટિરિયલ્સ હેન્ડલ કરવા માટે અદ્યતન ટ્રોલી
– હાઇસ્પીડ રેપીયર મશીન
આસામ બોડો લેન્ડમાં ટેક્ષટાઇલ વિકાસ માટે ચેમ્બર એમ.ઓ.યુ. કરશે
આજે સિટેક્ષ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં પૂર્વોત્તર આસામના કોકરાઝારથી ખાસ બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટીવ પ્રમોદ બોરો અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ક્ષેત્રમાં હેન્ડલૂમથી કાપડ વણાટનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે અને અહીં આ ફિલ્ડમાં સૌથી વધુ રોજગારી મહિલાઓ મેળવી રહી છે. હવે સુરતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગનો જે રીતે વિકાસ થયો છે તે રીતે બોડોલેન્ડમાં વિકસેલા હેન્ડલૂમ ઉદ્યોગમાં કઇ રીતે ટેક્ષટાઇલ ટેક્નોલોજીનો વિકાસ કરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બોડોલેન્ડ ટેરેટોરીયલ કાઉન્સિલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી સિક્કા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ ત્યાંના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરી આપશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.
આ મશીન જોવા છેક વાપી, સેલવાસ, અમદાવાદથી કારખાનેદારો આવી રહ્યા છે
Reoprted on 7/01/2022
SGCCI SITEX : કપડા ઉત્પાદનના સૌથી આધુનિક મશીન્સ વર્કીંગ કન્ડીશનમાં જોવા મળશે
સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ટેક્ષટાઇલ મશીનરીઓના એક્ષ્પો, સિટેક્ષને આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવશે. કપડા ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વની સૌથી આધુનિક મશીનરીનું લાઇવ નિદર્શન સિટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવ્યું છે. સિટેક્ષ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, હિમાંશુ બોડાવાળા, સુરેશ પટેલ, મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં સિટેક્ષ એક્ષ્પો યોજાશે. 80 વધુ એક્ઝિબિટર્સ તેમની અદ્યતન ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સનો લાઇવ ડેમો સુરતના કપડા ઉત્પાદક કારખાનેદારો સમક્ષ કરશે. સિટેક્ષ એક્ષ્પોમાં વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ ખૂબજ લાંબા સમય પછી પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત કરવામાં આવશે.
Reported on 6/01/2022
સુરતમાં કાલથી સિટેક્ષ એક્ષ્પો ચાલુ રહેશે, જાહેર જનતાને નો એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ગુજરાત સરકારે આગામી સપ્તાહે યોજાઇ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમીટ સમેતના કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરી છે જ્યારે સુરતમાં આવતીકાલ તા.8મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા સિટેક્ષ (ટેક્ષટાઇલ મશીનરી) એક્ષ્પોને ખાસ કેસમાં યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે. સિટેક્ષ એક્ષ્પોમાં સામાન્ય લોકો માટે નો-એન્ટ્રી કરી દેવામાં આવી છે. ફક્ત બીટુબી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સ્તરે આ એક્ષ્પો યોજાશે અને તેમાં પણ કોવીડ-19 નિયંત્રણ માટેની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે.
સુરતમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી અપગ્રેડેશન અને મોર્ડનાઇઝેશન માટે અત્યંત જરૂરી એવા સિટેક્ષ એક્ષ્પોની 6ઠ્ઠી આવૃતિનું આયોજન આગામી તા.8થી 10 જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આજે જ્યારે ગુજરાત સરકારે પોતાના જ તમામ જાહેર કાર્યક્રમો રદ કરી દીધા હતા ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના સિટેક્ષ એક્ષ્પોના આયોજન સામે પણ પ્રશ્ન ચિન્હો લાગી ગયા હતા. પરંતુ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ કલેક્ટરનો સંપર્ક કરીને સિટેક્ષ એક્ષ્પો એ સામાન્ય લોકો માટે ન હોવા ઉપરાંત સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ફક્ત એક તૃતયાંશ ક્ષમતાથી જ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો અને પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સને સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કેટલીક શરતોને આધિન જારી રાખવા માટે જિલ્લા વહીવટીતંત્રે લીલીઝંડી આપી છે. જેમાં (1) સામાન્ય લોકો માટે આ એક્ષ્પોમાં નો એન્ટ્રી (2) ફક્ત બીટુબી એટલે કે જે લોકો કારખાનેદારો છે, મશીન ખરીદવાની ઇચ્છા ધરાવે છે તેવા ધંધાર્થીઓને જ સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે. (3) દરેક મુલાકાતીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને ફુલ્લી વેક્સીનેટેડ હોય તેવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે. મુલાકાતી સાથે અન્ય કોઇપણ ફેમિલી મેમ્બર કે બાળક હોય તો કોઇપણ સંજોગોમાં સિટેક્ષમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં (4) સિટેક્ષમાં જુદાજુદા સ્ટોલ્સ પર મશીનરી જોવા ફરનારા લોકોએ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે. (5) એક્ઝિબિટર્સ તથા તેમના સ્ટાફે પણ ફરજિયાત માસ્ક પહેરી રાખવું પડશે.
સુરત શહેરને દેશના સૌથી મોટા ટેક્ષટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેનો દરજ્જો મળી ચૂક્યો છે પરંતુ, હવે વિશ્વભરની નજરે સુરત વિશ્વનું સૌથી મહત્વનું અને મોટું કપડા ઉત્પાદન કરતું કેન્દ્ર બની ચૂક્યું છે અને તેના કારણે જ કપડા ઉત્પાદન માટે ટેક્ષટાઇલ મશીનરીઓ બનાવતી યુરોપની સવાસો વર્ષ જૂની કંપનીઓ સુરતમાં પોતાની ટેક્ષટાઇલ મશીનરીઓ વેચવા માટે આવી રહી છે.
આગામી તા.8, 9 અને 10 જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કપડા ઉત્પાદન કરતા સુરતી કારખાનેદારો માટે સિટેક્ષ એક્ષ્પોનું આયોજન કરવા જઇ રહી છે. હાલમાં સમગ્ર ભારતમાં કપડા ઉત્પાદન અને મશીનરી ક્ષેત્રમાં સૌથી વધુ મોર્ડનાઇઝેશન સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં થયું છે અને થઇ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ મશીનરી ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં જેનું નામ વિખ્યાત છે એવી યુરોપની સો સવાસો વર્ષ જૂની કંપનીઓ પહેલી વખત સુરત આવી રહી છે અને તેઓ સુરતના કપડા ઉત્પાદકો સમક્ષ પોતાની આધુનિક મશીનરીઓનું ડિસ્પ્લે કરશે.આશિષભાઇએ કહ્યું કે યુરોપની સ્ટૉબલી, ઇટીમા, ઇરો જેવી યુરોપની આવી કંપનીઓની મશીનરી કે જેને વિશ્વના ક્વોલિટી ફેબ્રિક ઉત્પાદકો ઉપયોગ કરે છે અને એક મશીનનું આયુષ્ય પચાસ વર્ષ જેટલું લાંબુ હોય છે એ કંપનીઓ પણ હવે સુરતમાં પોતાના મશીનનું ડિસ્પ્લે કરવા માટે આવશે.
એક કરોડથી નીચેની કિંમતમાં જેનું મશીન હોતું નથી
ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કપડા ઉત્પાદન કરતા હાઇસ્પીડ અને આધુનિક મશીનોની ખોજ રોજેરોજ થઇ રહી છે, સુરતના સિટેક્ષ એક્ષ્પોમાં આવી રહેલી સ્ટૉબલી, ઇટીમા, ઇરો વગેરે જેવી કંપનીઓનું એક મશીન અંદાજે એક કરોડ જેટલી મોટી રકમનું હોય છે અને સુરતના ઉદ્યોગપતિઓ આ પ્રકારના મશીનો હાલમાં ધૂમ ખરીદી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ સુરતમાં જંગી મૂડીરોકાણ અને આધુનિકરણ થવાનું છે એમ જણાવતા આશિષ ગુજરાતીએ કહ્યું કે આ મશીનોનું આયુષ્ય કમસે કમ પચાસ વર્ષ જેટલું લાંબું હોય છે અને તેના પણ વિશ્વભરમાં ડિમાન્ડ ધરાવતા ફેબ્રિક તૈયાર થતા હોય છે.
દેશમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દેશમાં આગમન પછી સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે. તે બાદ આઠમા દિવસે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ નવો આદેશ 11 જાન્યુઆરી, 2022થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.
બંને શ્રેણીના મુસાફરોએ ‘એર સુવિધા’ પર RT-PCR રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. તેમણે મુસાફરી શરૂ કરવાના 72 કલાકની અંદર COVID-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. જે મુસાફરોને એરાઇવલ પર ટેસ્ટની જરૂર હોય તેમણે એર સુવિધા પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ કરવું જોઈએ.
આ સિવાય એટ રિસ્કની કેટેગરીમાં આવતાં દેશોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. આ શ્રેણીમાં 9 વધુ નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી વિદેશથી ભારત આવવા અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. અગાઉના યુરોપિયન દેશો મળી 11 સાથે હવે નવ દેશમાં આફ્રિકાના તાન્ઝાનિયા, ગાના, ઈથિયોપીયા, કેન્યા, નાઇજીરીયા, તુનેશિયા, ઝામ્બિયાથી આવનાર તમામ મુસાફરોનો ભારતના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ અને ક્વોરન્ટાઈન થવું ફરજિયાત બનશે.
અમદાવાદ સમેત ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં અતિશય ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને પગલે આગામી તા.9મી જાન્યુઆરી 2022ને સોમવારથી સોલા રોડ, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટમાં દરેકે દરેક કેસોની ફિઝિકલ સુનવણી બંધ કરનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી સોમવારથી દરેક કેસોની વર્ચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. હાઇકોર્ટ પરિસરમાં આવેલી વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.
અગાઉ કોરોનાના કારણે જ 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.
ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનાની ફેલોશીપ પરીક્ષાને કોરોનાના વધી રહેલા કેસોને કારણે મૌકૂફ રાખી દેવામાં આવી છે. આ પરીક્ષા રાષ્ટ્રવ્યાપી સ્તરે આગામી તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી. અનેક રાજ્યોમાં વીકએન્ડ કરર્ફ્યુ તેમજ લોકડાઉન જેવા નિયંત્રણો હોવાના કારણે છેલ્લી ઘડીએ કેવીપીવાય પરીક્ષાને મૌકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.
IN English
The Kishore Vaigyanik Protsahan Yojana Exam (KVPY Exam) 2022 has been postponed due to rising cases of Covid-19 in several state. As per the latest updates available, the KVPY Exam 2022 has been deferred until further notice owing to rapid rise in Omicron cases throughout the country.
KVPY 2022 exam was scheduled to be conducted on January 9, 2022. A notification available on the official website – kvpy.iisc.ac.in – reads, “Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.”
Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.
The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.
The advertisement for the KVPY Fellowship appears in all the national dailies normally on the Technology Day (May 11) and the Second Sunday of July every year.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.