CIA ALERT

Alert Archives - Page 30 of 443 - CIA Live

August 9, 2022
birmingham_common_wealth.jpg
2min313

– બેડમિંટનમાં ત્રણ ગોલ્ડ મેડલની સિદ્ધિ 

– ટેબલ ટેનિસમાં 40 વર્ષીય શરથ કમલે ગોલ્ડ જીત્યો : 2006થી 13 મેડલ જીતવાની સિદ્ધી : પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઝળક્યા

બર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.

ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી.  ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.

India At Commonwealth Games 2022 Medal Tally Live Updated: Indian Team Bag  Silver in Men's Hockey, India Finish Fourth on Medal Table | 🏆 LatestLY

મેડલ ટેબલ

દેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
ઓસ્ટ્રેલિયા૬૭૫૭૫૪૧૭૮
ઈંગ્લેન્ડ૫૭૬૬૫૩૧૭૬
કેનેડા૨૬૩૨૩૪૯૨
ભારત૨૨૧૬૨૩૬૧
ન્યુઝીલેન્ડ૨૦૧૨૧૭૪૯
સ્કોટલેન્ડ૧૩૧૧૨૭૫૧
નાઈજીરિયા૧૨૦૯૧૪૩૫
વેલ્સ૦૮૦૬૧૪૨૮
સા.આફ્રિકા૦૭૦૯૧૧૨૭
મલેશિયા૦૭૦૮૦૮૨૩
August 8, 2022
sandhu.jpg
1min351

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

August 8, 2022
cia_edu-1280x925.jpg
4min432

Jayesh Brahmbhatt 98253 44944

આજથી જ JEE એડવાન્સ્ડનું રજિસ્ટ્રેશન શરૂ

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગઇ તા.24 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાયેલી જેઇઇ મેઇન્સ પેપર-1 ફેઝ-2 પરીક્ષાનું પરીણામ આજે રવિવાર, તા.8મી ઓગસ્ટે જાહેર કરી દીધું છે. જેઇઇ મેઇન્સ પરીક્ષામાં ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત પાત્ર બન્યા છે. જોકે, જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાનો સ્કોર ભલે જાહેર થઇ ગયો હોય પરંતુ, જે વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મેળવવો છે તેમણે હજુ એક મહિનો તો પ્રતિક્ષા કરવી જ પડશે. તા.11મી સપ્ટેમ્બરે સંભવતઃ જેઇઇ એડવાન્સ્ડનું પરીણામ જાહેર થશે. એ પછી પાંચ દિવસ જોસા સંસ્થા દ્વારા પ્રવેશ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ પછી મેરીટ લિસ્ટ અને ત્યારબાદ પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે હજુ એક મહિનાથી વધુ સમય નીકળી જશે.

જેઇઇ મેઇન્સની બન્ને ટ્રાયલના પરીણામની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપી દીધા છે. આ વખતના કટઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીને બાદ કરતા બાકીની તમામ કેટેગરીમાં છેલ્લા 4 વર્ષના કટઓફ કરતા આ વખતના કટઓફ સાવ નીચે આવ્યા છે. જાણકારો કહે છે કે આ વખતના વિદ્યાર્થીઓ ધો.11-12માં કોરોના પેન્ડેમિકને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અસરકારક રીતે લઇ શક્યા ન હતા, તેની સીધી અસર પરીણામ પર જોવા મળી છે.

JEE Mainsના સ્કોરથી નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે, આઇઆઇટી માટે જેઇઇ એડવાન્સ્ડનું મેરીટ જરૂરી

આગામી તા.28મી ઓગસ્ટે લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

JEE (Advanced) 2022 Schedule

S. Num.ActivityDay, Date and Time (IST)
1JEE Main 2022 (Computer based test by NTA)Please refer to JEE (Main) 2022 website
2Results JEE Main 2022 from NTAPlease refer to JEE (Main) 2022 website
3Registration for JEE (Advanced) 2022Sunday, August 07, 2022 (10:00 IST) to
Thursday, August 11, 2022 (17:00 IST)
4Last date for fee payment of registered candidatesFriday, August 12, 2022 (17:00 IST)
5Admit Card available for downloadingTuesday, August 23, 2022 (10:00 IST) to
Sunday, August 28, 2022 (14:30 IST)
6Choosing of scribe by PwD candidatesSaturday, August 27, 2022
7JEE (Advanced) 2022Sunday, August 28, 2022
Paper 1: 09:00-12:00 IST
Paper 2: 14:30-17:30 IST
8Copy of candidate responses to be available on the JEE (Advanced) 2022 websiteThursday, September 01, 2022 (10:00 IST)
9Online display of provisional answer keysSaturday, September 03, 2022 (10:00 IST)
10Feedback and comments on provisional answer keys from the candidatesSaturday, September 03, 2022 (10:00 IST) to
Sunday, September 04, 2022 (17:00 IST)
11Online declaration of final answer keysSunday, September 11, 2022 (10:00 IST)
12Result of JEE (Advanced) 2022Sunday, September 11, 2022 (10:00 IST)
13Online registration for Architecture Aptitude Test (AAT) 2022Sunday, September 11, 2022 (10:00 IST) to
Monday, September 12, 2022 (17:00 IST)
14Tentative Start of Joint Seat Allocation (JoSAA) 2022 ProcessMonday, September 12, 2022
15Architecture Aptitude Test (AAT) 2022Wednesday, September 14, 2022 (09:00-12:00 IST)
16Declaration of results of AAT 2022Saturday, September 17, 2022 (17:00 IST)

કારકિર્દી માર્ગદર્શન માટે એપોઇન્ટન્ટ લઇને મળી શકાય

August 8, 2022
khatushyam.jpg
1min259

રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે અને આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને જણાવ્યા પ્રમાણે લગભગ સવારે 5:00 મંદિરના પ્રવેશ દ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ગેટ ખુલવાની રાહ જોતા મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે જ એક મહિલા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. સીકર પોલીસના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.

આજે ચંદ્ર કેલેન્ડરનો 11મો દિવસ ખાટુ શ્યામજીના દર્શન માટે શુભ ગણાય છે. જેને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.

આ દુર્ઘટના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નાસભાગમાં ઘણા શ્રદ્ધાળુઓનું મૃત્યુ આઘાતજનક છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તમામ ભક્તોને સંયમ જાળવવા નમ્ર વિનંતી છે. તંત્રએ રાહત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવી જોઈએ. ભક્તો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે છે.

ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ત્યાં પૂજા કરવા માટે એક મોટો હોલ છે જેને જગમોહનના નામથી ઓળખવામાં આવે છે.

August 6, 2022
cia_edu-1280x925.jpg
1min892

યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ, આજે 7/8/22 ચકાસણી થશે

દાતાઓની પ્રતિષ્ઠાભરી બેઠક પર ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ બન્ને સામે કોઇએ ઉમેદવારીપત્ર ભર્યું નહીં

આગામી તા.14મી ઓગસ્ટે યોજાનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટ અધિકારમંડળની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે શનિવારે સાંજે પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ નિવડ્યા છે. હવે આ ઉમેદવારોને સત્તાવારી રીતે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે. અધ્યાપકોના મતદાર વિભાગની કુલ 14 સેનેટ બેઠકો પૈકી 8 બેઠકો પર ઉમેદવારો સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. એવી જ રીતે પ્રતિષ્ઠાભરી બેઠક ગણાતી દાતાઓના મતદાર વિભાગની બે સેનેટ બેઠકો પર પણ ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલી નગરપાલિકાઓના વિસ્તારના પ્રમુખોની એક બેઠક પર બિલિમોરા નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ સામે પણ કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા સેનેટની કુલ 11 બેઠકો પર બાકી રહેલા ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે.

હવે આવતીકાલ રવિવારે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે મંગળવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.

યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રિપાંખીયા જંગનું ચિત્ર ઉપસ્યું છે. સુરતના રાજકીય તખ્તે સક્રીય ત્રણેય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉમેદવારોએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની જુદી જુદી ફેકલ્ટીના મતદાર વિભાગોમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે.

11 સેનેટ બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાશે

  • મતદાર વિભાગ બિનહરીફ ઉમેદવાર
  1. કોમર્સ ફેકલ્ટી – મનોજ દેસાઇ, બારડોલી
  2. કમ્પ્યુટર ફેકલ્ટી – સ્નેહલ જોષી, વલસાડ
  3. શિક્ષણ ફેકલ્ટી – નિમેષ નિઝામા, ખોલવડ
  4. કાનૂન ફેકલ્ટી – વિમલ પંડ્યા, ભરૂચ
  5. મેનેજમેન્ટ ફેકલ્ટી – જયદીપ ચૌધરી (પૂર્વ રજિસ્ટ્રાર)
  6. રૂરલ સ્ટડીઝ – દિપક ભોયે (યુનિ. ડિપાર્ટમેન્ટ)
  7. મેડીસીન (1) – ડો. વિપુલ ચૌધરી (નવી સિવિલ)
  8. મેડીસીન (2) – ડો.વિલાસરાવ (સ્મીમેર)
  9. દાતા સીટ (1) – ડો.કશ્યપસિંહ ખરચીયા
  10. દાતા સીટ (2) – ડો.ભરત પટેલ
  11. ન.પા. પ્રમુખ વિભાગ – પ્રાણલાલ પટેલ, બિલિમોરા
    (નોંધ- ઉપરોક્ત 1થી 8 ક્રમના ઉમેદવારો અધ્યાપક મતદાર વિભાગના)
August 5, 2022
rakhi1.jpg
1min292

-આ વખતે સાંજે ૫ઃ૧૭થી રાત્રે ૮ઃ૫૧ ભદ્રા : રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન પણ રાખડી બાંધી શકાશે

શ્રાવણ સુદ પૂનમ આગામી ૧૧ ઓગસ્ટ-ગુરુવારે છે ત્યારે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ વખતે સવારે ૧૧ઃ૦૭થી બપોરે ૨ઃ૨૨ અને રાત્રે ૮ઃ૫૨થી ૧૦ દરમિયાન જ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.

રક્ષાબંધનમાં દર વખતે કંઈ ને કંઈ વિઘ્નો તેમજ ભદ્રા વિષ્ટિ  યોગને કારણે મુહૂર્તમાં ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાય છે કે ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે  તેને અશુભ ફળ મળશે. આમ  રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી.

જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘આ વર્ષે  શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધને સાંજે 5.17 પહેલા જ  રાખડી બાંધવી જોઇએ અને તે સમય માં ના થઈ શકે તો રાત્રે  ૮ઃ૫૧ એ ભદ્રા સમાપ્ત  થઈ જાય પછી પણ કરી શકાય. 

જો શુભ સમયની વાત કરીએ તો  ૧૧ ઓગસ્ટે સવારે  ૯ઃ૩૫  થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે ૭ઃ૧૭ એ પૂર્ણ થશે. તેથી ૧૨ ઓગસ્ટ દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દિવસે રક્ષાબંધન ઉજવાશે. ‘

August 5, 2022
rbi.jpeg
1min202

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબુમાં લેવા માટે દેશની મુદ્રા નીતિનું અકોમોડેશન મોડ પરત ખેંચ્યું છે.

ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આજે તા.5મી ઓગસ્ટ 2022ના રોજ પૂરી થયેલી આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે માર્ચ થી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે.

આરબીઆઈએ 5 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9થી વધારી 5.4 કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.

બજાર એક્સપર્ટના અંદાજ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં 0.35%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરીને અગ્રેવિસ પોલિસી બતાવી છે.

રેપોરેટમાં વધારાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા SDF પણ વધારીને 5.15% કરવામાં આવે છે.  આ સિવાય MSF દર પણ 0.50 ટકા વધાર્યા છે.

મોનીટરી પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતમાં હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા છે પરંતુ આરબીઆઈના નિર્ધારીત અંદાજ કરતા વધુ રહેશે. આ સાથે આરબીઆઇએ જુલાઈ સપ્ટેમ્બર માટેના ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન 7.1% નક્કી કર્યું છે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર ડિસેમ્બર માટે CPI ઇન્ફલેશન 6.4 ટકા અને અંતિમ ક્વોટર જાન્યુઆરી માર્ચ માટે ઇન્ફ્લેશન 5.8% રહેવાનો અંદાજ મુક્યો છે સમગ્ર નાણાકીય વર્ષ 2023 માટે ગ્રાહક સ્થરનો મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ આજની મોનિટરી પોલિસીમાં મૂકવામાં આવ્યો છે

August 5, 2022
sudhir.jpg
2min327

– ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

બર્મિંગહામ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભારતનો છઠ્ઠો ગોલ્ડ

આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે. 

જાણો કોને મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ

27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપમાં પુરૂષોની 88 કિગ્રા વેઈટ કેટેગરીમાં 214 કિગ્રાના સર્વશ્રેષ્ઠ લિફ્ટિ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે 2022ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. 

પાવરલિફ્ટિંગમાં એથલીટ્સને 3 અટેમ્પ્ટ્સ આપવામાં આવે છે. વજન ઉઠાવવા પર શરીરના વજન તથા ટેક્નિકના આધારે પોઈન્ટ્સ મળે છે. સમાન વજન ઉઠાવવા પર શારીરિકરૂપે ઓછું વજન ધરાવતા ખેલાડીને અન્યની સરખામણીએ વધુ પોઈન્ટ્સ મળે છે. સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેમણે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી. 

August 4, 2022
gold.jpg
1min275

ગિફ્ટ સિટીમાં IIBX (ઇન્ડીયા ઇન્ટરનેશનલ બુલિયન એક્ષચેન્જ) માં ગુજરાતના 14 સહિત દેશના 64 ક્વોલિફાઇડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ ગોલ્ડ એક્ષચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇઆઇબીએક્સ) અને એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટને વડાપ્રધાન શ્રી મોદીએ કાર્યાન્વિત કરી દીધું છે.

indias first international bullion exchange iibx what it is how it works  explained | कल प्रधानमंत्री नरेंद्र मोदी लांच करेंगे भारत का पहला इंटरनेशनल  बुलियन एक्सचेंज, जानिए ...
  • ગીફ્ટ સિટીમાં કસ્ટમ ક્લીયરન્સ થયાના ચાર જ કલાકમાં અમદાવાદમાં સોનાની ડિલીવરી કરી દેવાશે
  • સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એક જ દિવસમાં સોનાનો જથ્થો પહોંચતો કરી દેવાશે
  • ગુજરાતમાં ત્રણ સ્થળોએ ગોલ્ડ સાચવવા માટે વોલ્ટ બનાવાયા
  • પ્રીમીયમના વધારાના નાણાં ચૂકવવામાંથી મુક્તિ
  • તહેવારોમાં સોનાની ડિમાન્ડ વધી હશે તો તાત્કાલિક નવું સોનું મળી શકશે
  • આઇઆઇબીએક્સમાં જ્વેલરર્સ તરીકે રજિસ્ટ્રેશન માટે રૂ.25 કરોડનું ટર્નઓવર જરૂરી

ગોલ્ડ એક્ષચેન્જ ગાંધીનગર ગીફ્ટ સિટીમાં શરૂ થતા સોનાના વૈશ્વિક ટ્રેડિંગમાં વધુ સવલતો જ્વેલર્સને મળશે. જેમાં કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં નિર્ધારીત સ્થળે સોના જથ્થાની ડિલિવરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તે સિવાય રાજકોટ, સુરત, વડોદરા જેવા રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ કસ્ટમ ક્લિયરન્સના એક દિવસની અંદર સોનાની ડિલિવરી પહોંચી જશે.

આઇઆઇબીએક્સના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્યું હતું કે, એક્સચેન્જના કારણે હવે રાજ્યમાં જ ત્રણ વોલ્ટ બનાવાયા છે. તેનાથી સોનાની ડિલિવરી લેવા માંગતા ક્વોલિફાઇ્ડ જ્વેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્ડ મળી જશે.

કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્ડ ડિલિવરી મળી જશે તેવી વ્યવસ્થા છે. તે સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલિવરી મળી જતા સમયની બચત થશે. વધારે પ્રીમિયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જ્વેલર્સને રાહત મળશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇબીએક્સ પર હાલ ભારતના 64 ક્વોલિફાઇ્ડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 14 ગુજરાતના છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 25 કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્સચેન્જથી હવે ગુજરાતના જ્વેલર્સને તહેવારોની સિઝનમાં જ્યારે માંગ વધારે હોય ત્યારે તાત્કાલિક ડિલિવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો મળતા નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહીં રહે. જ્વેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે.

ગિફ્ટ સિટીમાં એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટ શરૂ થયું છે. તેથી સિંગાપોરમાં જે નિફ્ટી ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ થતા હતા તે ગિફ્ટ સિટી ખાતે પણ કરી શકાશે. જેના કારણે રોકાણકારોને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ રાહતના ફાયદા મળશે અને રિયલ ટાઇમ ટ્રેડિંગ થઇ શકશે તેમ પણ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ કક્ષાનું હોવાથી તેમાં રોકાણકારોનું આગમન થતા અમદાવાદ મહત્વનું સેન્ટર બનશે.

August 2, 2022
aap.jpg
1min249

ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 

  • કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?
  • હેમા ચૌધરી દિયોદર બેઠક 
  • સોમનાથ જગમાલા વાળા
  • અજુર્ન રાઠવા છોડા ઉદેપુર
  • સાગર રબારી બેચરાજી
  • રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા
  • સુરત કામરેજ રામ ધડૂક
  • રાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયા
  • સુધીર વાઘાણી ગારીયાદાર
  • રાજેન્દ્ર સોલંકી બારડોલી 
  • અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી