CIA ALERT

Alert Archives - Page 26 of 443 - CIA Live

September 10, 2022
cia_edu-1280x925.jpg
1min323

ભુવનેશ્વર

કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર સંગઠન તરીકે KISSને ભારતમાંથી આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરના પાંચમી સંસ્થા છે. જ્યારે આ અંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશાની પહેલી અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે.

કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પહેલી સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. KISS માટે યૂનેસ્કો પુરસ્કારની જાહેરાત KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે KISS પરિસરમાં આયોજીત અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરની ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર KISS વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી. KISS સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડૉ.અચ્યુત સામંતે કરી હતી.

KISSમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ અને 40 હજાર પૂર્વ વિદ્યાર્થીઓ મળી કુલ 70 હજાર વિદ્યાર્થીઓ માટે KISS વ્યાપક વિકાસ, વ્યાવસાયિક અને રમત ક્ષેત્રે કુશળ બનવાનું માધ્યમ પ્રદાન કરે છે.. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. KISSનો સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન શાખાઓ અને અંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ છે. આ 2015થી ECOSOC સાથે વિશેષ પરામર્શની સ્થિતિમાં રહ્યું છે. જે જનજાતીય સશક્તિકરણ અને શિક્ષણમાં પોતાની પહેલ માટે સંયુક્ત રાષ્ટ્રના જન સૂચના વિભાગ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત અગણ્ય પ્રશંસા અને પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે. KISS કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)ની એક ઘટક સંસ્થા છે. જે ડૉ.અચ્યુત સામંત દ્વારા સ્થાપિત ટેકનોલોજી યુનિવર્સિટી છે.

September 9, 2022
ganesh_home.jpg
6min1108

સુરતના ભાગળ ખાતેથી મેઇન શોભાયાત્રાનો આરંભ કરાયો

સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને મંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રા શરૂ કરાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેનમાં સવાર થઇને વિસર્જનમાં ભાગ લીધો

નાનપુરા, અઠવાલાઇન્સના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ પોતાના મહોલ્લામાં જ કર્યું ગણેશજીની મૂર્તિનું વિસર્જન

SGCCI સરસાણા કચેરી ખાતે પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા અને સભ્યોએ ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું

ગણેશ વિસર્જનમાં આ વખતે ડ્રેસ કોડનો જબરદસ્ત ટ્રેન્ડ

સુરતમાં વર્ષો પછી ગણેશ વિસર્જનની અસલ સુરતી સ્ટાઇલ ઉજવણી જોવા મળી રહી છે. ગણપતિ બાપ્પાને વળાવવા માટે સુરતીઓ સપરિવાર વિસર્જન શોભાયાત્રામાં જોડાય રહ્યા છે. સવારે દસ વાગ્યાથી શહેરના દરેક વિસ્તારના મુખ્ય માર્ગો પર ગણેશજીની નાની મૂર્તિઓને વિસર્જન કરવા નીકળેલા ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. નાની મૂર્તિઓ અને મોટી શોભાયાત્રા શહેરના રાંદેર અડાજણ, અઠવાલાઇન્સ, વેસુ, વોલ્ડ સિટી એરીયા, કતારગામ, વરાછા, ઉધના, લિંબાયત, સિટીલાઇટ કોઇ વિસ્તાર બાકી નથી કે લોકો ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે રસ્તા પર જોવા મળ્યા ન હોય. કોરોના પહેલા એકાદ બે વર્ષ એવા હતા કે જ્યારે સુરતમાં નદીમાં વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેના કારણે લોકોએ પોતાના સોસાયટી, કેમ્પસ, સંકુલ, ઘરોમાં જ પાણીની કૂંડીઓમાં નાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ, આજે માહોલ અલગ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પાની પાંચ ફૂટ કરતા નાની મૂર્તિઓ લઇને લોકો મોટી સંખ્યામાં વિસર્જન યાત્રામાં નીકળેલા જોવા મળે છે.

હજારો સુરતીઓ બાપ્પાની મૂર્તિ લઇને નીકળ્યા શોભાયાત્રામાં

ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ

તાપી કિનારે ઓવારા પરના દ્રશ્યો

વાહનોમાં બાપ્પાની શાનદાર સવારી નીકળી

સુરત શહેરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. પહેલા ત્રણ કલાકમાં સુરત મહાનગરપાલિકા ઉભા કરવામાં આવેલા જુદા જુદા કુત્રિમ તળાવોમાં 475 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

ગણપતિ બાપ્પાને વળાવતી વખતે આટલું ધ્યાન રાખજો

ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી ૧૦ દિવસ ગણેશ પર્વમાં ભક્તો દ્વારા પોતાની આસ્થા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પુરા ૧૦ દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરાય છે જેમાં આજે આ મહા પર્વ માં ગણેશજી નું વિસર્જન કરી સમાપન કરાય છે જે લોકો પોતાનાં ગોર મહારાજ ને બોલાવી ને વિસર્જન વિધિ કરાવે છે તે તો શ્રેષ્ઠ છે જ પરંતુ જે જાતે વિસર્જન કરવાના હોય તેમને આ વિધી વિધાન મુજબ ગણેશ વિસર્જન કરવું જોઈએ 

ગણેશ વિસર્જન વિધિ અંગે વધુ માહિતી આપતા  જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શાસ્ત્ર અનુસાર ગણેશ વિસર્જન માં ખાસ ધ્યાન તે રાખવાનું છે તે એ છે કે વિસર્જન ના દિવસે પણ નિત્ય જેમ પૂજન અર્ચન કરતા હોઈએ તે મુજબ સંપુર્ણ પુજન અર્ચન પ્રસાદ વગેરે કરી આનંદ પૂર્વક પૂજન કરી શાંત ચિત્તે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરવી કે આ ગણેશ પર્વ દરમિયાન અમે અમારી યથાશક્તિથી જે કંઈ પણ સેવા કરી તે સ્વીકારી કૃપા કરીને  આપની  કૃપા દ્રષ્ટિ સદા અમારા પરિવાર પર રાખજો 

આ મુજબ ક્ષમા પ્રાર્થના કરવી

હે ગણેશજી જો આપની નિત્ય સેવા પૂજામાં જાણે અજાણે  કોઈ ભૂલચૂક થઈગઈ હોય  કે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમાં કરી કૃપા કરશો અને ફરી આવા શુભ પર્વે આમારે ત્યાં અવશ્ય પધારશો 

ગણેશ વિસર્જન વિધિ વિધાન 

પ્રાથના કરી શુભ મુહર્ત માં જ ગણપતિ બાપા મોરિયા કે ગણપતિ દાદાની જય કરી ગણેશજી નું સ્થાપન સહેજ આગળની તરફ ખસેડવું આમ કરી ગણેશ સ્થાપન નું  વિસર્જન કરવું  ત્યારબાદ તેમની મૂર્તિ ઉપર કે પાસે જે કોઈ પણ ચીજ કે શણગાર રિદ્ધિ સિદ્ધિ સોપારી મૂષક સ્થાપનાનું શ્રીફળ હોય જે મૂર્તિ ઉપાડતા પડી જાય તેવું જે કંઇપણ  હોય જેમકે ભગવાન ને ચડાવેલ ફૂલ કે માળા કે પ્રસાદ તે પહેલા લઈ લેવો આમાંથી કઈ પણ પડી જાય અને પગમાં આવે તો આપણું સેવા નું પૂણ્ય નષ્ટ થાય 

જેથી  શાંતિ થી બધું સમજી ચોકસાઈ કરી ગણેશજી ની મૂર્તિ જળ માં વિસર્જન કરવા ઉપાડવી અને જળમાં વિસર્જન કરીએ ત્યાં સુધી  સહેજ પણ ખંડિત થાય નહિ તેનું પુરે પૂરું ધ્યાન રાખવું  ગણેશ સ્થાપન પાસે રાખવામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોપારી  શ્રીફળ પૂજા સામગ્રી ફૂલ હાર કે જે કંઈ પણ સામગ્રી  હોય તે પણ સાથે લઈ લેવું જેથી જળમાં ગણેશ વિસર્જન કરીએ ત્યારે આ પણ ત્યાજ પધરાવી દેવું  અને ખાસ આ નિમિત્તે યથા શક્તિ દાન પુણ્ય પણ કરવું 

આવી રીતે ગણેશ સ્થાપન કરી વિધિ વિધાન થી વિસર્જન કરાય છે ત્યાં સદા ગણેશજીના  આશીર્વાદ રહેછે  વિઘ્નો હણાઈ જાય છે અને જીવનમાં શુભ અને મંગળ થાય છે

  • અનંત ચૌદશના ગણેશ વિસર્જન માટે શ્રેષ્ઠ મુહર્ત
  •  સવારે ૬-૨૫ થી ૭-૫૮ ચલ
  •  સવારે ૭-૫૮ થી  ૯-૩૧ લાભ
  •  સાવારે ૯-૩૧ થી ૧૧-૦૪અમૃત
  • બપોરે ૧૨-૩૮ થી ૨-૧૦ શુભ 
  • સાંજે  ૫-૧૫ થી ૬-૪૮ ચલ 
  •  રાત્રે   ૯-૪૨ થી ૧૧-૧૦ લાભ 
  • મોડીરાત્રે  ૧૨-૩૭ થી ૨-૦૪ શુભ
September 8, 2022
cia_edu-1280x925.jpg
5min505

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.7મી સપ્ટેમ્બરે રાત્રે બાર વાગ્યે નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનો સ્કોર જાહેર કર્યો હતો. નીટના પરીણામના પ્રથમદર્શી એનાલિસીસમાં એવું માલૂમ પડે છે કે 500 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા દોઢથી બે હજાર સુધી વિદ્યાર્થી સંખ્યા વધી છે તેવી જ રીતે 350થી ઓછો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ એ જ પ્રમાણે વધારો થયો છે. આ એનાલિસીસ પરથી એવું કહી શકાય કે સરકારી અને સેમી સરકારી કોલેજોમાં 2021ની તુલનામાં આ વર્ષે 2022માં કટઓફમાં 5થી 10 માર્ક પ્રવેશ ઉંચે અટકશે. જોકે, આ બાબત પ્રવેશ માટે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશ કરાવે છે તેના પરથી નક્કી થશે.

નીટના ક્વોલિફાઇંગ માર્કમાં પણ ઘટાડો

CategoryQualifying criteriaMarks rangeNumber of candidates
UR/EWS50th Percentile715-117881402
OBC40th Percentile116-9374458
SC40th Percentile116-9326087
ST40th Percentile116-9310565
UR / EWS & PH45th Percentile116-105328
OBC & PH40th Percentile104-93160
SC & PH40th Percentile104-9356
ST & PH40th Percentile104-9313

છેલ્લા ચાર વર્ષના કટઓફની પેટર્ન

Category2022202120202019
Unreserved715-117720-138720-147701-134
Unreserved PWD116-105137-108146-129133-120
Reserved116-93137-122128-113133-107
Reserved PWD104-93121-108128-113133-107
SpecificsDetails
Exam NameNational Eligibility Cum Entrance Test (NEET)
Conducting BodyNational Testing Agency (NTA)
Exam LevelUndergraduate (UG) Exam at National Level
Exam FrequencyYearly
Total Registrations18,72,341
Exam ModeOffline or Paper Pencil Based Test (PBT)
Courses Offered Through NEET UGMBBS, BDS, BAMS, BVSC & AH
Exam FeesRs 1,600 (General)
Rs 1,500 (OBC)
Rs 900 (Reserved category candidates)
Rs 8,500 (Foreign nationals)
Exam Duration200 minutes
Number of Subjects and Total MarksPhysics (180 marks)
Chemistry (180 marks)
Biology (360 marks)
Total Marks – 720
Total Questions200 (180 to be attempted)
Marking Scheme+4 for each correct answer
-1 for each incorrect answer
Number of Exam Cities543 (India)
14 (Abroad)
Language/Medium of Paper13 Languages – English, Hindi, Bengali, Urdu, Assamese, Gujarati, Marathi, Odiya, Kannada, Tamil, Malayalam, Punjabi and Telugu
Accepting Colleges1,613 colleges
Total Number of SeatsMBBS – 92,627
BDS – 27,698
BAMS – 52,720
BVSc & AH – 630
NEET Official Website“www.neet.nta.nic.in”
September 7, 2022
income-tax-raid.jpg
1min269

આજે તા.7મી સપ્ટેમ્બર 2022ને બુધવારે સવારથી જ દેશભરમાં એક સો ઉપરાંત સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને તેમની સાથે ઘરોબો ધરાવતા લોકોના ધંધાકીય તેમજ રહેણાંકના સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મામલો દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 

મળતી પ્રાથમિક માહિતી મુજબ આવકવેરા વિભાગે દેશના 7 રાજ્યોના 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડામાં 300થી વધારે પોલીસકર્મી સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આજની આઇટી રેડની કાર્યવાહીમાં 100 જેટલા વાહનો પણ ઉપયોગમાં લેવાયા છે. ઉપરાંત આઈટી અધિકારીઓએ સુરક્ષા માટે CRPFના જવાનોને પણ સાથે લીધા છે. 

જાણવા મળ્યા મુજબ પોલિટિકલ ફન્ડિંગ મામલે આ એક્શન હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી નાના રાજકીય પક્ષો સાથે સંકળાયેલી છે જે લોકો પાસેથી ફંડ મેળવ્યા બાદ તેમને રોકડ સ્વરૂપે અમુક રકમ પરત કરે છે. ચૂંટણી પંચના રિપોર્ટ બાદ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે. 

આવકવેરા વિભાગની ટીમો દિલ્હીથી શરૂ કરીને ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એક્શનમાં આવી છે અને દિલ્હીના અનેક ઉદ્યોગપતિઓ કરચોરી મામલે આઈટીની રડારમાં છે. રાજસ્થાનના જયપુરમાં પણ ઉદ્યોગપતિઓના સ્થળોએ દરોડા પડ્યા છે.  

September 7, 2022
cia_edu-1280x925.jpg
2min1847

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.

જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.

કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી

ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://medadmgujarat.ncode.in/web/ug2021/Compiled_Closure_UG_2021-22.pdf

ગુજરાતમાં આટલી સીટો પર નીટથી પ્રવેશ મળશે

ગુજરાતમાં મેડીકલ-પેરામેડીકલ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આ વેબસાઇટ પરથી હાથ ધરાશે

https://www.medadmgujarat.org/ug/home.aspx

September 7, 2022
rai1.jpg
1min306

– દેશનું આઇટી હબ થંભી ગયું, વર્ક ફ્રોમ હોમનો અમલ

– પાણીમાં ફસાયેલી યુવતીનું વીજ કરંટથી મોત થતા લોકોમાં રોષ, સતત બીજા દિવસે પણ શહેરમાં ઘૂંટણસમા પાણી

બેંગાલુરુ : દેશના આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે મંગળવારે બેંગાલરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઇન કામ કરવા કહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે.  

સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘંૂટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુુની સ્થિતિને લઇને એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે. 

બેંગાલુરુમાં એક યુવતીને વીજળીના થાંપલાનો શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. બેંગાલુરુમાં સ્કૂટી બંધ પડી જતા ચાલતા જ આ યુવતી જઇ રહી હતી. એવામાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, તેથી તે પાણીમાં પડી ગઇ હતી, તે જે સ્થળે પડી ગઇ હતી ત્યાં જ વીજળીનો થાંપલો હતો, જેમાં વિજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ લોકોમાં પ્રશાસન અને કર્ણાટક સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો જાહેર કરીને મદદ માગી રહ્યા છે પણ કોઇ મદદ માટે આગળ નથી આવી રહ્યું તેવી પણ ફરિયાદો કરી રહ્યા છે. 

બીજી તરફ કાવેરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીના કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને સાલેમ જિલ્લામાં આવેલા મેટ્ટુર ડેમની સપાટી વધી ગઇ છે અને પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે આગામી નવમી તારીખ સુધી બેંગાલુરુ સહિતના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે તેથી પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ છે. 

September 6, 2022
radha_krishnan.jpeg
1min948

– 5મી સપ્ટેમ્બરે રાધાકૃષ્ણનના જન્મદિને અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સહિત મહાનુભાવોએ શિક્ષકોને અભિનંદનો પાઠવ્યાં

5/9/22 રાષ્ટ્રે વિશેષતઃ રાષ્ટ્રના શિક્ષકોએ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તે માત્ર તેઓનાં પદ માટે નહીં પરંતુ તેઓની વિદ્વત્તા અને તત્ત્વજ્ઞાાનનાં અગાધ જ્ઞાાન મોર અર્પી હતી.

ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ તેઓને ભાવાંજલિ અર્પતા આજના દિવસે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સ્મરીને અભિનંદનો અને અભિવાદનો પાઠવ્યાં હતાં.

અમિત શાહે તેઓના ટ્વિટ ઉપર લખ્યું, ‘શિક્ષક માત્ર બાળકોને શિક્ષિત કરી, તેઓનું ભવિષ્ય સુધારતા નથી પરંતુ એક સશક્ત રાષ્ટ્રને સાકાર કરવામાં પણ અદ્વિતિય પ્રદાન અર્પે છે.’ મહાન વિદ્વાન અને તત્ત્વચિંતક પ્રખ્યાત શિક્ષણ વિદ્ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિના દિને તેઓને પ્રણામ તથા તમામ પરિશ્રમી ગુરૂજનોને શિક્ષક દિને શુભેચ્છાઓ.

ભારતમાં શિક્ષક દિન ૫ સપ્ટે. ૧૯૬૨ના દિવસથી દેશભરમાં ઉજવવામાં આવે છે. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા તે પૂર્વે પ્રોફેસર હતા. તેઓએ વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં શિક્ષણ આપ્યું હતું. તેઓ બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય, દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે હતા. જ્યારે આંધ્ર પ્રદેશ વિશ્વ વિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ઓકસફર્ડમાં પણ ઘણાં વર્ષો સુધી શિક્ષણ આપ્યું હતું.

૧૯૫૨માં તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે નિર્વાચિત થયા. દસ વર્ષ સુધી તે પદ પર સેવાઓ આપી. ૧૯૬૨માં તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. તે સમયે તેઓને તેમના વરિષ્ઠ વિદ્યાર્થીઓ મળવા ગયા અને તેઓના જન્મદિન (૫મી સપ્ટેમ્બર)ને દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવા તેઓ પાસે અનુમતિ માગી ઘણી મથામણ પછી તેઓએ તે માટે અનુમતિ પણ આપી ત્યારથી દર વર્ષે ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ તરીકે દેશભરમાં ઉજવાય છે, આ દિવસે તે મહાન વિભૂતિને કોટી કોટી પ્રણામ.

September 6, 2022
truss.jpeg
1min282

– માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાપ્રધાન

– રિશિ સુનકને 60,399 અને લિઝ ટ્રસને 81,326 મતો મળ્યાં કન્ઝર્વેટિવ પાર્ટીના કુલ રજિસ્ટર મતદારોમાંથી 82 ટકાએ મતદાન કર્યું 

લંડન : ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને  વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે બરાબરીનો મુકાબલો થયો હતો. કુલ ૧,૭૨,૪૩૭ કન્ઝર્વેટિવ સભ્યોએ મતદાન કર્યું હતું. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

ભારતીય મૂળના રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. બોરિસ જ્હોન્સનનું સ્થાન લેવા માટે થયેલા આ મતદાનમાં રિશિ સુનકનો પરાજય થયો હતો અને લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. લિઝ ટ્રસની ઈમેજ બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શરૂઆતી રાઉન્ડમાં રિશિ સુનક બધા ઉમેદવારોથી આગળ રહ્યા હતા. ફાઈનલ પાંચમા રાઉન્ડમાં માત્ર બે ઉમેદવારો રહ્યા એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર સભ્યો મતદાનથી આગામી વડાપ્રધાન ચૂંટી કાઢવાના હતા. એ માટે બંને ઉમેદવારો વચ્ચે ડિબેટ થઈ હતી અને બંને ઉમેદવારોએ પોતાની યોજનાઓ, આર્થિકનીતિ, વિદેશીનીતિ મતદારો સમક્ષ રજૂ કરી હતી.

છેલ્લાં ઘણાં સર્વેક્ષણોમાં દાવો થતો હતો કે રિશિ સુનક લિઝ ટ્રસ કરતા પાછળ છે. લિઝ ટ્રસની ટેક્સ માફીની નીતિથી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પ્રભાવિત થયા હતા અને તેમની લોકપ્રિયતા વધી હતી. આખરે પરિણામ પણ અપેક્ષા પ્રમાણે જ આવ્યું હતું. બંને વચ્ચે બરાબરીની ટક્કર થઈ હતી. બે લાખ મતદારોમાંથી ૧,૭૨,૪૩૭ મતદારોએ વોટિંગ કર્યું હતું, તેમાંથી લિઝ ટ્રસને ૮૧૩૨૬ જ્યારે રિશિ સુનકને ૬૦૩૯૯ મતો મળ્યા હતા. 

નવા વડાપ્રધાન બન્યાં પછી લિઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધતી વખતે રિશિ સુનક વિશેકહ્યું હતું ઃ હું સદ્ભાગ્યશાળી છું કે મારી પાર્ટીમાં આટલી ગહેરી સમજદારી ધરાવતા નેતા છે. લિઝ ટ્રસે ૨૦૨૪ની ચૂંટણીમાં પાર્ટીને ફરીથી વિજેતા બનાવવાન નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લિઝ ટ્રસને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં આંતરિક વિરોધ ઉઠયો એ પછી બોરિસ જ્હોન્સને ૭મી જુલાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ્હોન્સનના સ્થાને નવા વડાપ્રધાનની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બ્રિટનમાં વડાપ્રધાનપદની રેસ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના નેતા બનીને રિશિ સુનકે ઈતિહાસ સર્જ્યો છે.

રાણી એલિઝાબેથના કાર્યકાળમાં 15મા વડાપ્રધાન શપથ ગ્રહણ કરશે

રાણી એલિઝાબેથના લાંબાં કાર્યકાળમાં બ્રિટનને ૧૫ વડાપ્રધાનો મળ્યા છે. રાણી એલિઝાબેથે અત્યાર સુધીમાં ૧૪ વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા છે. લિઝ ટ્રસને શપથ લેવડાવશે એ સાથે રાણી એલિઝાબેથ તેમના શાસનકાળમાં ૧૫મા વડાપ્રધાનને શપથ લેવડાવશે.

 ચર્ચિલ ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન વડાપ્રધાન બન્યા ત્યારે રાણી એલિઝાબેથે પ્રથમ વખત વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હતા. લિઝ ટ્રસ ૧૫મા વડાપ્રધાન છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરને શપથ લેવડાવ્યા હતા. એ પછી ૨૦૧૬માં બીજા મહિલા વડાપ્રધાન થેરેસા મેને શપથ ગ્રહણ કરાવ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે.

September 4, 2022
faruk-fatih-ozer-rsmp_cover-overlay.jpg
1min271

– તુર્કીમાં ફારુક ફતેહ ઓઝર નામના આરોપીએ વર્ષ 2017માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ રૂ. 159.4 અબજથી વધુનું કૌભાંડ આચર્યું 

તુર્કીએ ક્રિપ્ટો કૌભાંડમાં પકડાયેલ એક ક્રિપ્ટો સ્કેમરને ૪૦,૦૦૦ વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. ડિજિટલ ટ્રેન્ડ્સમાં જણાવવામાં આવ્યું છે કે ફારુક ફતેહ ઓઝરે વર્ષ ૨૦૧૭માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ કરી હતી.  ફારુક બે અબજ ડોલર એટલેકે લગભગ રૂ. ૧૫૯.૪ અબજથી વધુનું કૌભાંડ કરીને એક વર્ષથી વધુ સમય સુધી ફરાર હતો.

 રિપોર્ટ અનુસાર આ માટે તેને ૪૦,૫૬૪ વર્ષની જેલની સજા થઈ શકે છે. ફારુક ફતેહ ઓજાન નામના આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સ્થાપકની ધરપકડ કરવામાં આવી છે.

થોડેક્સ ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સાત લાખની આસપાસ હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, તુર્કી ચલણમાં ઘટાડાથી ઘણા નાગરિકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું જેનો થોડેક્સને ફાયદો થયો હતો. લોન્ચ થયાના થોડા વર્ષો પછી આ કંપની બધા રોકાણની ઉચાપત કરીને ગાયબ થઈ ગઈ હતી. કંપનીએ ખોટા દાવા કરીને વેપાર બંધ કરી દીધો હતો

વર્ષ ૨૦૨૧માં થોડેક્સે અચાનક ક્રિપ્ટો ટ્રેડિંગ બંધ કરી દીધું અને દાવો કર્યો કે એક વિદેશી રોકાણને કારણે તેને લગભગ પાંચ દિવસ સુધી કામગીરી બંધ કરવી પડી છે. ફારુકે પછી દાવો કર્યો કે કંપનીએ સંપૂર્ણ રીતે વેપાર બંધ કરવો પડશે. કારોબાર સમેટી લેવા માટે સાયબર હુમલા સંબંધિત ધમકીઓને કારણ ગણાવ્યું હતુ. 

તેણે દાવો કર્યો હતો કે યુઝર્સના ફંડ સુરક્ષિત રહેશે પરંતુ યુઝર્સના એકાઉન્ટ પણ છીનવી લેવાયા અને તેમાં રહેલ ફંડની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી.

તુર્કીની પોલીસે કાર્યવાહી કરી અને કંપનીના અનેક કર્મચારીઓની અટકાયત કરી પરંતુ ફારુક ભાગી ગયો અને અલ્બેનિયામાં છુપાઈ ગયો હતો. તેના પર રોકાણકારો અને યુઝર્સના ફંડમાંથી બે અબજ ડોલર લઈને ભાગી જવાનો આરોપ લાગ્યો છે.

September 4, 2022
babar_kohli-1280x843.jpg
1min277

– એશિયા કપ ટી-20માં પ્રથમ મેચ ભારત જીત્યુ હતુ

– સાંજે 7-30થી મેચનો પ્રારંભ : ભારતની ટીમમાં ફેરફાર થશે તે નિશ્ચિત

દુબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિય કપની સુપર ફોરની મેચ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી રમાશે.

આ ટુર્નામેન્ટની ગુ્રપ ‘એ’ની મેચમાં ભારતે હાર્દિક પંડયા અને જાડેજાની બેટિંગ અને ભુવનેશ્વર કુમારની બોલિંગને સહારે પાકિસ્તાનને આખરી ૨૦મી ઓવરમાં ચોથા બોલે પરાજય આપ્યો હતો.

પાકિસ્તાને ગુ્રપ મેચમાં શુક્રવારે હોંગકોંગને જે રીતે પરાજય આપ્યો તેનાથી ભારત સામેની કાલની મેચમાં જુસ્સો વધારે જોવા મળશે.

પાકિસ્તાને ૧૯૩ રન બે વિકેટ ગુમાવીને કર્યા બાદ હોંગ કોંગને ૩૮ રનમાં જ ખખડાવ્યું હતું. તેની તુલનામાં ભારત સામે હોંગ કોંગે પરાજય છતા સન્માનજનક દેખાવ કર્યો હતો.

ભારત તેની ટીમમાં ઈજાગ્રસ્ત જાડેજાના સ્થાને અક્ષર પટેલ કે અશ્વિનને સમાવી શકે છે. ફાસ્ટર આવેશ ખાનની જગ્યાએ પણ એક બોલર સ્થાન પામશે. કે. રાહુલના ફોર્મ પર નજર રહેશે. રોહિત શર્મા અને કોહલીએ આગવા પ્રભુત્વ સાથે રમવાનું છે. પંતને કઈ રીતે સ્થાન અપાય છે તે જોવાનું રહેશે.