CIA ALERT

Alert Archives - Page 23 of 443 - CIA Live

September 28, 2022
nia.png
1min946

ગૃહ મંત્રાલયે દેશમાં 5 વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકી દીધો છે. અનેક રાજ્યો દ્વારા PFI પર પ્રતિબંધની માગણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના અનેક ઠેકાણે દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને પીએફઆઈ વિરૂદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા. 

ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન ઘોષિત કર્યું છે. તે સિવાય અન્ય 8 સહયોગી સંગઠનો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

  • પીએફઆઈ ઉપરાંત
  • રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF),
  • કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI),
  • ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC),
  • નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO),
  • નેશનલ વીમેન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને
  • રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવાસહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

રાષ્ટ્રીય તપાસ એજન્સી, ઈડી અને રાજ્યોની પોલીસે સાથે મળીને 22મી સપ્ટેમ્બરના રોજ પીએફઆઈ સામે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાઓ પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 106 લોકોની ધરપકડ કરાઈ હતી. બીજા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો અમુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને પીએફઆઈ સામે પૂરતા પુરાવાઓ હાથ લાગ્યા હતા.

દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય સમક્ષ કાર્યવાહી માટેની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. 

September 28, 2022
india-vs-sa.png
1min252

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આજે તા.28મી સપ્ટેમ્બર 2022ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવૂમાએ કહ્યંy કે ટીમ સામે સૌથી મોટો પડકાર શરૂઆતી ઓવરોમાં સ્વિંગ થતી ઝડપી બોલનો સામનો કરવાનો હશે. આ તકે બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવનાર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને વિશ્વસ્તરીય ગણાવી હતી.

મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં આફ્રિકી કેપ્ટન બાવુમાએ કહ્યું કે વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ભારતમાં નવા દડાથી બોલરોનો સામનો કરવો ચુનૌતિપૂર્ણ બની રહેશે. શરૂઆતમાં બોલ ઘણા સ્વિંગ થાય છે. અમે આફ્રિકાની જે પરિસ્થિતિમાં ટેવાયેલા છીએ એથી ભારતીય બોલરો વધુ સ્વિંગ કરે છે.

જો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો બહુ પ્રભાવિત કરી શકયા નથી. આમ છતાં બાવુમા કહે છે કે સફળતા માટે અમારે શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવતા બચવું પડશે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરો હંમેશા શરૂમાં પડકાર આપે છે. જો કે આ શ્રેણીમાં ભુવનેશ્વરને વિશ્રામ અપાયો છે. બાવુમા કહે છે કે રોહિત અને વિરાટ મોટા નામ છે. તેની સાથે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમના દેખાવથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે ભારત સામે ખુલીને રમશું. અમે બેસ્ટ ટીમ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શનની કોશિશ કરશું.

September 26, 2022
ghulam-nabi-azad.jpg
1min312

ગુલામ નબી આઝાદે આજે તા.26મી સપ્ટેમ્બરના રોજ પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે. 

આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. 

September 26, 2022
dollarvsrupeee.jpg
1min284

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે પહેલા નોરતેં જ વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. શુક્રવારે 80.99 બંધ રહ્યા બાદ આજે રૂપિયો 81.52 ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાઉન્ડ 1985 પછીની સૌથી નીચી સપાટીએ છે. એક પાઉન્ડ ડોલર સામે અત્યારે 1.03 ની સપાટીએ છે. 

વિશ્વના છ અન્ય ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઈન્ડેક્સ સોમવારે 113.75ની બે દાયકાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

September 26, 2022
amba.png
1min383

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 26, 2022
ચક્રવાત.jpg
1min229

મહાશક્તિશાળી વાવાઝોડાનાં કારણે લાખો લોકોનાં જીવ તાળવે
– મોટાપાયે સ્થળાંતર, વીજ પુરવઠો ખોરવાયો અને વૃક્ષોનો સોંથ

અત્યારે દુનિયાનાં ત્રણ દેશ પ્રાકૃતિક આફત સામે ઝૂઝી રહ્યાં છે. અમેરિકા, ફિલિપીન્સ અને કેનેડામાં ત્રણ અલગ ચક્રવાતોએ કોહરામ મચાવી દીધો છે. ત્રણેય દેશ પોતાનાં નાગરિકો માટે ચેતવણીઓ પણ જારી કરી ચૂક્યાં છે. અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન ચક્રવાતનાં કારણે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને ત્યાં મદદ પહોંચાડવા માટેનાં આદેશો પણ છોડી દીધા છે. તો કેનેડામાં પણ હાલત ચિંતાજનક છે. શનિવારે ત્રાટકેલા તોફાન ફિઓનાનાં કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જ્યારે ફિલિપીન્સમાં હાલત નાજુક છે.

નોરુ વાવાઝોડું ધસમસી રહ્યું હોવાનાં કારણે રાજધાની મનિલા સહિતનાં વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાનાં કારણે દહેશત છે. આ ચક્રવાત વધુ શક્તિશાળી બનવાની ભીતિ છે. કેમેન દ્વીપ સમૂહ પાસેથી પસાર થયેલો ચક્રવાત ગ્રેડ-3માંથી હવે 4માં તબદિલ થવાની આશંકા છે. આ તોફાનની તાકાતને ધ્યાને લેતા નાગરિકોને તમામ પ્રકારની તૈયારીઓ રાખવાની તાકીદ કરી દેવામાં આવેલી છે. આ ચક્રવાતનાં માર્ગમાં આવતાં તમામ રાજ્ય અને સ્થાનિક સરકારી તંત્રોને સંકલન સાધવાની સૂચનાઓ આપવામાં આવી છે.

કેનેડામાં આવેલા ભયંકર તોફાને શનિવારે સવારે જમીન ઉપર પ્રવેશ કર્યો હતો અને તેનાં હિસાબે પૂર્વ કેનેડામાં તેજ હવા અને તોફાની વરસાદથી પાંચ લાખ લોકોનાં ઘરની વીજળી ગુલ થઈ ગઈ છે. આ તોફાનનાં કારણે પ્યૂર્ટો રિકો અને ડોમિનિક ગણરાજ્યમાં આઠ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ચક્રવાતનાં માર્ગમાં આવેલા વિસ્તારોમાં મોટાપાયે ઝાડનો સોંથ વળી ગયો છે.

સુપર ટાઈફૂન નોરુ ઝડપથી ફિલિપીન્સ ભણી ધસમસી રહ્યું છે. આકલન મુજબ આ મહાતોફાનમાં 240 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ છે. જે વધીને 300 કિ.મી. પ્રતિકલાક પણ થઈ શકે તેવી આશંકા છે. ફિલિપીન્સનાં તટરક્ષક દળનાં જણાવ્યા અનુસાર મનિલાનાં દક્ષિણ બંદરોમાં 1200થી વધુ યાત્રીઓ અને 28 જહાજો અટવાઈ ગયેલા છે. ફિલિપીન્સમાં ભારતીય સમુદાયનાં લોકોની સંખ્યા 1.30 લાખ જેટલી છે અને તેમાં 1પ હજાર જેટલા છાત્ર છે. જે મનિલા સહિતનાં શહેરોમાં અભ્યાસ કરી રહ્યાં છે.

September 25, 2022
dhoni.jpg
1min275

મહેન્દ્ર સિંહ ધોની એક ખૂબ જ અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે રાંચીમાં એક સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે અને ભાગ્યે જ કશુંક પોસ્ટ કરે છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે અને કોઈ ચાહક તેમનો ફોટો ક્લિક કરવામાં સફળ રહે ત્યારે જ ક્યાંક જોવા મળે છે. 

જોકે ધોની હવે સોશિયલ મીડિયામાં એક ધમાકો કરવાની તૈયારીમાં છે. આજે તેઓ FACEBOOK સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવશે અને તેમણે પોતે જ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગેની જાણ કરી છે. ધોનીએ પોતે રવિવારે બપોરે 2:00 કલાકે ચાહકો સાથે એક ‘રોમાંચક સમાચાર’ શેર કરશે તેમ જણાવ્યું છે. 

ધોની ફેસબુક લાઈવ આવીને કઈ જાહેરાત કરશે તે હજુ રહસ્ય જ છે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને પણ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ આઈપીએલ (IPL) રમે છે અને એવું માનવામાં આવે છે કે, આગામી આઈપીએલ ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. 

આ સંજોગોમાં ક્રિકેટના અને ખાસ કરીને ધોનીના ચાહકો તે ક્રિકેટ સંન્યાસ સાથે સંકળાયેલી કોઈ જાહેરાત તો નહીં કરેને તેવી અટકળો કરી રહ્યા છે. ધોનીએ પોતે આઈપીએલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચ રમવા ઈચ્છે છે તે જણાવી દીધેલું છે. 

September 25, 2022
amba-1280x1700.jpg
1min262

સોમવારથી એટલે કે ૨૬ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાચીન ભારતીય પરંપરામાં માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. આ નવ દિવસ તેમના વિવિધ સ્વરૂપોની પૂજા, અર્ચના અને સ્તુતિ કરવામાં આવે છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રીનો તહેવાર. માતા દુર્ગાએ સમયાંતરે તેમના નવ અવતાર લીધા છે. દરેક અવતારનું પોતાનું મહત્વ છે. 

કોરોના વાયરસના કારણે બે વર્ષથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં ફક્ત શેરી ગરબા નાના આયોજનમાં થઇ શક્યા હતા. બે વર્ષમાં ગરબા ફક્ત વર્ચ્યુઅલી જ સંભળાતા અને રમાતા હતા. પરંતુ આ વર્ષે જગદંબા, માં અંબે માતાની કૃપાથી કોરોનાનું સકંટ નથી કે નિયંત્રણો નથી, આથી કોરોના પહેલાની પરિસ્થિતિની જેમ જ સુરત સહિત ગુજરાતના જાણિતા વેન્યુઝ, ગરબા ગ્રાઉન્ડસ પર ગ્રાન્ડ સ્કૅલ પર નવરાત્રીનું આયોજન થયું છે.

ગુજરાતમાં જ્યાં પારંપરિક રીતે નવરાત્રિ આજે પણ જીવે છે ત્યાં તહેવારનું હાર્દ સમાયેલું છે અને મુંબઈની માયાનગરીમાં મૉડર્ન ટચ સાથેની કમર્શિયલ ઝાકઝમાળવાળી નવરાત્રિની પણ પોતાની મજા છે.

સૌથી અગત્યની વાત એ છે કે 25 લાખથી વધુ સુરતીઓ પોતાના ઘરઆંગણે જ ગરબા દોઢીયા રમશે

સુરતમાં બે વર્ષના અંતરાય બાદ બીગ સ્કેલ પર પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોની સંખ્યા 15 જેટલી છે. સૌથી વધુ પ્રોફેશનલ નવરાત્રીના આયોજન વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારમાં થયા છે. એ પછી અઠવાલાઇન્સ, વેસુમાં આયોજિત થયા છે. પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે પ્રોફેશનલ નવરાત્રીના આયોજનોમાં માંડ એકાદ ટકા લોકો ગરબે ઘૂમવા જતા હોય છે બાકીના સુરતીઓ તો પરિવાર સમેત પોતાના ઘરઆંગણે યોજાતા ગરબા ઉત્સવમાં જ ગરબે ઘૂમવાનું પસંદ કરશે તદુપરાંત શહેરમાં આવેલા માતાજીના મંદિર પરિસરોમાં યોજાતા ગરબા પણ સૌથી વિશેષ આકર્ષણ જોવા મળે છે. સુરતમાં પ્રોફેશનલ ગરબા ગ્રાઉન્ડમાં જનારા લોકોની સંખ્યા પ્રતિ ગ્રાઉન્ડ દસ હજાર મૂકવામાં આવે તો પણ માંડ એકાદ લાખ લોકો પ્રોફેશનલ નવરાત્રીમાં જોવા મળી શકે પરંતુ, સૌથી વધુ લોકો તો શહેરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, રો હાઉસ, કલબ હાઉસ વગેરેમાં થતી નવરાત્રીમાં જ પબ્લિક વધુ જોવા મળશે.

બે વર્ષ બાદ ફરી નવરાત્રીની ઉજવણી તેના મૂળ રુપમાં થવાની છે. ત્યારે ખેલૈયાઓ અને ગાયકો બહુ જ ઉત્સાહિત છે. એક બાજુ ખેલૈયાઓ સંપુર્ણ તૈયારી કરી લીધી છે તો બીજી તરફ ગાયકોએ પણ કમર કસી છે.

September 25, 2022
india_vs-aus.png
1min269

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્તમાન સમયે ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતના પ્રવાસે છે. આપ્રવાસનો પહેલો મેચ મોહાલીમાં રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી. નાગપુરમાં થયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે છ વિકેટે જીત નોંધાવીને શ્રેણીમા 1-1થી બરાબરી કરી હતી. હવે ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રવિવારે સાંજે’ સાત વાગ્યે હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલો જે ટીમ જીતશે તે શ્રેણી ઉપર કબજો કરી લેશે. રોહિત શર્મા પાસે મેચ સાથે સતત નવમી શ્રેણી જીતવાની તક રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતને ઘરમાં જ બીજી વખત શ્રેણીમાં હરાવનારી પહેલી ટીમ બનવાની કગારે છે.

નિર્ણાયક મેચમાં રોહિત શર્મા અને આરોન ફિંચને ટોસની સાથે કિસ્મતનો સાથ જોઈએ. કારણ કે ટોસ હારનારી ટીમ ઉપર બોજ વધી જશે. ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક જ મેચ રમ્યો છે. 2019મા રમાયેલા મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મેચ બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે હતા. જેમાં ત્રણેય મેચમા અફઘાનિસ્તાનને જીત મળી હતી. અફઘાનિસ્તાનની ટીમે બે વખત પહેલા બેટિંગ કરતા અને એક વખત પહેલા બોલિંગ કરતા જીત નોંધાવી હતી.

હૈદરાબાદની પીચ બાટિંગ માટે સારી છે. ઝડપી બોલર કરતા સ્પિન બોલરોને મદદ મળે છે. જો કે ટોસ પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમ માનસીક રીતે મજબુત બનશે અને ટોસ હારનારી ટીમ કમજોર. રવીન્દ્ર જાડેજા બહાર થયા બાદ પ્લઈંગ ઈલેવનમાં સામેલ અક્ષર પટેલ પોતાની ઉપયોગીતા’ ધીરે ધીરે વધારી રહ્યો છે. મુખ્ય રૂપથી પાવર પ્લેમાં શિકાર કરીને તેણે શ્રેણીમાં વાજબી બોંિલંગ કરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ વિશ્વભરની લીગમાં પોતાની આક્રમક બેટિંગથી જાણિતો છે પણ 2020થી તેનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેની સરેરાશ 20થી નીચની રહી છે. જે ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય છે.

September 25, 2022
chardham.jpg
1min283

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ચારધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી હતી. ૪૦૦ જેટલાં યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આમાંથી મોટાભાગના યાત્રાળુઓ રાજસ્થાનના છે. ઉત્તર ભારતમાં હજુય વરસાદની આગાહી કરવામાં આવી છે. યેલ્લો એલર્ટ જારી કરાયો છે.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલન થયું હતું, ત્યાં ૪૦ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જિલ્લા સરકારી તંત્રએ આખા રસ્તા પર તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ઉત્તરકાશીમાં ગંગોત્રીધામથી પાછા ફરતા ૪૦૦ યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાઈ ગયા હતા. એક મોટી પહાડીમાંથી ભૂસ્ખલન થયું હતું, તેનો વીડિયો પણ યાત્રાળુએ બનાવ્યો હતો. જોકે, સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ભારે વરસાદ અને ભૂસ્ખલન પછી જ્યાં સુધી રસ્તો ચાલુ ન થાય ત્યાં સુધી ચારધામ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. ચારધામ માટે નીકળેલા યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ સરકારે આપી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં યેલ્લો એલર્ટ જારી કરાયો હતો. ઉત્તર ભારતની કેટલીય નદીઓમાં પાણીનો જથ્થો વધી ગયો હતો, તેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ચોમાસું પાક હજુ ઉતાર્યો નથી. ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી હતી. રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ આસામ, મેઘાલય, અરૂણાચલ, બિહાર સહિતના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા.

બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. કેટલાય રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા. ગુરૂગ્રામમાં એક કેબ સર્વિસ રોડમાં ફસાઈ ગઈ હતી. કેબમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં કેબમાં સવાર પેસેન્જરે છતમાં ચડવું પડયું હતું. એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક પોલીસે ડિવાઈડર, ડાઈવર્ઝન વગેરેની એડવાઈઝરી બહાર પાડી હતી. મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો. જોકે, પાણી ભરાયા ન હોવાથી જાહેર પરિવહનને કોઈ અસર પહોંચી ન હતી.